Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે શ્રાવણના છેલ્લા સોમવારે અજા એકાદશીનો સંયોગ:વિષ્ણુજીની સાથે ભોળાનાથ અને ચંદ્રદેવની આરાધનાથી દૂર થશે કુંડળીના દોષ, જાણો સંપૂર્ણ પૂજા-વિધિ

    14 hours ago

    આજે (7 સપ્ટેમ્બર) શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી અને શ્રાવણનો છેલ્લો સોમવાર છે. તેને અજા એકાદશી કહેવાય છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાની કામનાથી કરવામાં આવે છે. આ વ્રત શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પછી આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી ભક્તની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા અનુસાર, અજા એકાદશીના દિવસે વ્રત રાખનારા ભક્તો સવારે વહેલા ઉઠીને સ્નાન કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. આખો દિવસ નિયમ અને સંયમનું પાલન કરે છે. રાત્રે જાગરણ કરીને ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવામાં આવે છે. બીજા દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી ફરીથી ભગવાનની પૂજા કરે છે. જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવ્યા પછી ભક્તો પોતે ભોજન કરે છે. ગ્રંથોમાં એકાદશીને પવિત્ર અને પાપનાશિની તિથિ ગણાવવામાં આવી છે. સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં એકાદશી વ્રતની મહિમા વિશે વિસ્તારપૂર્વક લખવામાં આવ્યું છે. અજા એકાદશીના વ્રતને લઈને એવી માન્યતા છે કે વિધિ-વિધાનથી આ વ્રત કરનાર ભક્તને બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. શ્રદ્ધાળુઓ આ દિવસે અન્નનો ત્યાગ કરે છે, ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, દિવસભર સંયમ રાખે છે અને ભગવાનના નામનું સ્મરણ કરે છે. જોકે, વ્રત પોતાની શારીરિક ક્ષમતા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જ રાખવું જોઈએ. એકાદશી સાથે સોમવારનો સંયોગ આ વખતે અજા એકાદશી સોમવારે આવી રહી છે. જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા અનુસાર, સોમવારનો સંબંધ શિવજી સાથે છે. જ્યોતિષમાં સોમવારનો કારક ગ્રહ ચંદ્રને માનવામાં આવે છે. આવા સમયે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે શિવજી અને ચંદ્રદેવની પૂજા કરવાનો યોગ બન્યો છે. જે લોકોની કુંડળીમાં ચંદ્ર સંબંધિત દોષ છે, તેમને દર સોમવારે શિવજીનો વિશેષ અભિષેક કરવો જોઈએ. શિવલિંગ પર જળ, દૂધ અને પંચામૃત ચઢાવો. બિલ્વપત્ર, હાર-ફૂલથી શૃંગાર કરો. શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો. મીઠાઈનો ભોગ ધરાવો. 'ૐ સોં સોમાય નમ:' મંત્રનો જાપ કરો. ધૂપ-દીપ પ્રગટાવી આરતી કરો. એકાદશી પર તુલસી પૂજાનું પણ છે મહત્વ ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીનું વિશેષ મહત્વ છે. એકાદશીની સવારે તુલસીના છોડને જળ અર્પણ કરો અને સાંજે તેની પાસે દીવો પ્રગટાવો. શ્રદ્ધાળુઓ તુલસીની પરિક્રમા પણ કરી શકે છે. ધ્યાન રાખો, સૂર્યાસ્ત પછી તુલસીના પાન તોડવા કે છોડને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ. તુલસી પૂજામાં તુલસી નામાષ્ટકનો પાઠ પણ કરી શકાય છે. વૃંદા, વૃન્દાવની, વિશ્વપૂજિતા, વિશ્વપાવની. પુષ્પસારા, નંદિની ચ તુલસી, કૃષ્ણજીવની. એતન્નામાષ્ટકં ચૈતત્સ્તોત્રં નામર્થસંયુતમ્. યઃ પઠેત્તાં ચ સંપૂજ્ય સોઽશ્વમેધફલં લભેત્. વ્રતની સાથે દાન-પુણ્ય અને સેવા પણ કરો એકાદશી પર પૂજાની સાથે સેવા અને દાન-પુણ્ય કરવાનું વિશેષ મહત્વ છે. જરૂરિયાતમંદોને અનાજ, કપડાં, જૂતા, છત્રી કે ભોજન દાન કરો. કોઈ ગૌશાળામાં દાન કરો. ગાયોને લીલું ઘાસ ખવડાવો. રોગી અને વૃદ્ધ લોકોની સેવા કરો. પક્ષીઓ માટે છત પર દાણા-પાણી રાખવું, કીડીઓ માટે લોટ-ખાંડ રાખવું અને જરૂરિયાતમંદ બાળકોને ભોજન અને મીઠાઈ ખવડાવવું પણ સેવાના સરળ માર્ગો છે. બાળકોને ભણતરની વસ્તુઓ પણ દાન કરી શકો છો. દ્વાદશી પર પણ કરો વિશેષ પૂજા અજા એકાદશીનું વ્રત બીજા દિવસે દ્વાદશી તિથિ પર પૂજા પછી પૂર્ણ કરવામાં આવે છે. સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. ત્યારબાદ જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો અને પોતાની શ્રદ્ધા અનુસાર દાન કરો. દાન અને ભોજન કરાવ્યા પછી પોતે ભોજન કરીને વ્રતનું પારણ કરવામાં આવે છે. પૂજામાં સ્થાપિત કરવામાં આવેલા કળશને પણ બીજા દિવસે હટાવી લો. ત્યારબાદ કળશનું પાણી આખા ઘરમાં છાંટી દો અને વધેલું પાણી તુલસીના છોડમાં નાખી દો.
    Click here to Read More
    Previous Article
    This SME Stock Jumps Over 9% In Trade Today. Here's Why
    Next Article
    10 મિનિટ માટે રહી ગયા, બાકી અમેય દટાઈ જાત:વિદ્યાર્થીએ કહ્યું- બિલ્ડિંગમાં તિરાડ પડવાના અવાજો આવતાં'તા; દિલ્હી દુર્ઘટનામાં જન્માષ્ટમીની રજાને લીધે અનેક જીવ બચ્યા

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment