Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રતનપરમાં મેલડી માતાજીને સમૂહ તાવો:10 હજારથી વધુ ભક્તો પ્રસાદ લેશે, વાર્ષિક આયોજન

    2 days ago

    સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર-1 મેલડી માતાજીના મંદિર ખાતે ૧૧મા સમૂહ તાવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 5 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. મહાઆરતી સાંજે 4:30 વાગ્યે અને ત્યારબાદ સાંજે 5:00 વાગ્યાથી પ્રસાદ વિતરણ શરૂ થશે. આ વાર્ષિક આયોજનમાં રતનપર વિસ્તારના તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ લેવા ઉમટી પડે છે. આયોજકો દ્વારા શહેરીજનોને માતાજીના પ્રસાદનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. દર વર્ષે 10 હજારથી વધુ લોકો આ સમૂહ તાવાના પ્રસાદનો લાભ લે છે. આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મેલડી ગ્રુપ દ્વારા સુરેન્દ્રનગરની જનતાને માતાજીના દર્શન અને મહાપ્રસાદ માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા માટે મેલડી ગ્રુપના યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય પરિવારે પિતાની પુણ્યતિથિએ બ્રહ્મભોજન કરાવ્યું:3500થી વધુ બ્રાહ્મણોએ પ્રસાદ લીધો, સમાજે સન્માન કર્યું
    Next Article
    વડોદરામાં હનુમાન પ્રાગટ્યોત્સવ, મહાપ્રસાદનું આયોજન:વાડી હનુમાન પોળ યુવક મંડળે ભક્તો માટે કર્યો કાર્યક્રમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment