Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વરા ભાસ્કરે રાણી પદ્માવતીને કાયર કહ્યાં?:'પદ્માવત'ના જૌહર સીન અંગે નિવેદનથી વિવાદ; યુઝર્સે ઝાટકણી કાઢતા એક્ટ્રેસનો ખુલાસો

    7 hours ago

    એક્ટ્રેસ સ્વરા ભાસ્કર 2018ની ફિલ્મ 'પદ્માવત'ના જૌહર સીન પર આપેલા નિવેદન બાદ વિવાદોમાં આવી ગઈ છે. દિલ્હીમાં એક ઇવેન્ટ દરમિયાન તેણે સંજય લીલા ભણસાલીની ફિલ્મના જૌહર સીન પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. નિવેદન બાદ સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો કે, સ્વરાએ રાણી પદ્માવતી અને જૌહર કરનારી મહિલાઓને કાયર કહ્યા છે. ભારે ટ્રોલિંગ બાદ મંગળવારે સ્વરાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરી. સ્વરાએ કહ્યું કે, તેણે રાણી પદ્માવતીને કાયર કહ્યા નથી, પરંતુ તેના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. દિલ્હીના ઇવેન્ટમાં આપેલા નિવેદન પર વિવાદ શરૂ થયો હતો આ આખો વિવાદ 31 ઓગસ્ટે દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં આયોજિત 'વુમન, લાઇફ, ફ્રીડમ' ટૉક દરમિયાન શરૂ થયો હતો. ઇવેન્ટમાં સ્વરાએ ફિલ્મના જૌહર સીનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આનાથી રેપ સર્વાઇવર્સ સુધી ખોટો સંદેશ જઈ શકે છે. તેણે આગળ કહ્યું કે, 'શું આપણે સર્વાઈવર્સને એ જ કહેવા માંગીએ છીએ કે તેઓ જીવવાને લાયક નથી, કે જો તમે ખરેખર ઇજ્જતદાર અને બહાદુર મહિલા હોત, તો તમે પોતાને મારી નાખ્યા હોત? શું આપણે એમ કહી રહ્યા છીએ કે રેપ કોઈ મહિલાના જીવનનો અંત છે?' એક સીનમાં ગર્ભવતી મહિલાનું પેટ બતાવવામાં આવ્યું છે, જે જૌહર કરવા જઈ રહી છે. સ્વરાએ કહ્યું હતું કે, 'આ જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો હતો અને મેં થિયેટરમાં જ 'છી' કહી દીધું હતું. 5 દિવસ વિચાર કર્યા પછી મેં ડિરેક્ટર સંજય લીલા ભણસાલીને ઓપન લેટર લખ્યો હતો.' તેના આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર લોકોએ તેના પર ઐતિહાસિક બલિદાનનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ વીડિયો શેર કરીને સ્પષ્ટતા કરી મંગળવારે સ્વરા ભાસ્કરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો. તેણે કહ્યું, 'સોશિયલ મીડિયા પર મારી એક ક્લિપ વાયરલ થઈ રહી છે. મને પૂછવામાં આવ્યું હતું કે, 'પદ્માવત' જોયા પછી મેં ઓપન લેટર શા માટે લખ્યો હતો? હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મેં રાણી પદ્માવતી કે મહેલની બાકીની મહિલાઓને કાયર નથી કહી. જો ગાળો આપવી હોય તો સાચી વાત પર આપો. મેં કહ્યું હતું કે જો હું રેપ પીડિતા હોત, તો ક્લાઇમેક્સ જોઈને મને લાગત કે રેપ પછી જીવતી બચીને મેં કાયરતા બતાવી છે.' 'શું મહિલાની પવિત્રતા તેના જીવ કરતાં વધુ કિંમતી છે?' સ્વરાએ કહ્યું કે, દેશમાં આજે પણ રેપ એક મહામારી જેવો બની ગયો છે. તાજેતરમાં દિલ્હીમાં ચાલતી બસમાં થયેલા ગેંગરેપનો ઉલ્લેખ કરતા તેણે પ્રશ્ન ઉઠાવ્યો કે, 'શું આપણે એવી ફિલ્મો બનાવવી જોઈએ જે સંદેશ આપે કે મહિલાની પવિત્રતા તેના જીવન કરતાં વધુ કિંમતી છે?' તેણે નિર્ભયા કેસનું ઉદાહરણ આપતા કહ્યું કે, 'નિર્ભયાએ છેલ્લા શ્વાસ સુધી પોતાના જીવન માટે લડાઈ લડી હતી. કોઈપણ મહિલાની જીવવાની ઈચ્છાને ઓછી આંકવી ન જોઈએ.' પ્રિયંકા ચતુર્વેદી સાથે સોશિયલ મીડિયા પર થઈ ચર્ચા સ્વરાના નિવેદન પર શિવસેના (યુબીટી) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોતાની પ્રતિક્રિયા આપી. પ્રિયંકાએ લખ્યું કે, 'જ્યારે પસંદગી મૃત્યુ અને હરામમાં ગુલામ બનવા વચ્ચે હોય, ત્યારે મહિલાઓએ મૃત્યુ પસંદ કર્યું, જે તેમનો એક નિર્ણય હતો.' આના પર જવાબ આપતા સ્વરાએ લખ્યું, 'પ્રિયંકાજી, તમે અસલ વાત સમજી રહ્યા નથી. વાત જૌહર કરનારી મહિલાઓની પસંદગીની નથી, પરંતુ આ વાતની છે કે આપણે કઈ વસ્તુને મહિમામંડિત કરી રહ્યા છીએ. શું દુષ્કર્મ પછી કોઈ સર્વાઈવરને જીવવાનો અધિકાર નથી?' શું છે પદ્માવતનો જૌહર સીન? ફિલ્મમાં જૌહરનો સીન ક્લાઇમેક્સની નજીક આવે છે. અલાઉદ્દીન ખિલજીની સેના રાજપૂતોને હરાવી દે છે અને ચિત્તોડના કિલ્લામાં ઘૂસી જાય છે. દીપિકા પાદુકોણનું પાત્ર 'રાણી પદ્માવતી' કિલ્લાની મહિલાઓ સાથે જૌહર કરે છે. ફિલ્મમાં તેને પકડાઈ જવાથી બચવા માટે પોતાને આગને હવાલે કરવાની ઘટના તરીકે દર્શાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    2 દિવસમાં ચાંદીમાં મોટો કડાકો, ₹9000 સસ્તી થઈ:સોનું ₹4,500 સસ્તું થયું, PM મોદીની બિનજરૂરી સોનું ન ખરીદવાની અપીલ ફળી
    Next Article
    વલસાડમાં ગણેશ મહોત્સવ પૂર્વે યુવાનોમાં ભારે ઉત્સાહ:આઝાદ ચોકમાં ઢોલ-નગારા સાથે શ્રીજીનું ભવ્ય આગમન; 'તરિયાવાળના રાજા' સહિત પ્રતિમાઓ પંડાલમાં વિરાજમાન

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment