Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ પૂરમાં ફસાયેલી માનસી પારેખ મુંબઈ પરત ફરી:એરપોર્ટ પર પતિ અને દીકરીને ગળે લગાડીને ભાવુક થઈ; ભૂસ્ખલન પછી પગપાળા સરહદ પાર કરી

    1 week ago

    નેશનલ એવોર્ડ વિજેતા એક્ટ્રેસ માનસી પારેખ કૈલાસ માનસરોવર યાત્રા દરમિયાન નેપાળ-તિબેટ સરહદ પર આવેલા ભયાનક પૂર વચ્ચે ફસાયા બાદ સુરક્ષિત મુંબઈ પરત ફરી છે. મુંબઈ એરપોર્ટ પર પતિ અને દીકરીએ સ્વાગત કરતા એક્ટ્રેસ તેમને ભેટી પડી અને ભાવુક થઈ ગઈ. તિબેટમાં ભૂસ્ખલન થવાને કારણે તેને 4 કલાક સુધી બસમાં રાહ જોવી પડી. ત્યારબાદ તે પગપાળા ખરાબ રસ્તો પાર કરીને નેપાળ સરહદ પહોંચી અને કાઠમંડુ થઈને મુંબઈ પોતાના પરિવાર પાસે પહોંચી. માનસીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ સમગ્ર અનુભવને શેર કરતા યુદ્ધ જીતવા જેવો ગણાવ્યો છે. પગપાળા પાર કર્યો ભૂસ્ખલનવાળો રસ્તો માનસી પારેખે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ સમગ્ર મામલાની જાણકારી આપી છે. ભૂસ્ખલનને કારણે રસ્તો સાફ ન થાય ત્યાં સુધી તેમની બસ 4 કલાક સુધી ત્યાં જ ઊભી રહી. આ પછી લગભગ 40 માઇલનો પ્રવાસ કરીને તેમની ટીમ નેપાળ બોર્ડર પહોંચી. ત્યાં વધુ એક ભૂસ્ખલનને કારણે રસ્તો સંપૂર્ણપણે બંધ હતો. આવી સ્થિતિમાં, બસ છોડીને પગપાળા જ ક્ષતિગ્રસ્ત વિસ્તારને પાર કરવો પડ્યો, જેથી બીજી બાજુ ઉભેલી બસો સુધી પહોંચી શકાય. 'યુદ્ધ જીતવા જેવું હતું મુંબઈ પાછા ફરવું' માનસીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, ચીનથી નીકળીને નેપાળ સરહદ સુધી પહોંચવું કોઈ યુદ્ધ જીતવા જેવું લાગી રહ્યું હતું. નેપાળ સરહદ પાર કર્યા પછી કાઠમંડુ સુધીનો 4 કલાકનો બસ પ્રવાસ તેના જીવનનો સૌથી મુશ્કેલ પ્રવાસ રહ્યો. માનસીએ લખ્યું કે તમામ મુશ્કેલીઓ પછી પણ મુંબઈ પાછા આવવું, પોતાના પરિવારને મળવું અને દીકરીને ગળે લગાવવું સૌથી રાહત આપનારી ક્ષણ હતી. જે જગ્યાએ સ્વાગત થયું હતું, તે પાણીમાં ડૂબી ગઈ સોશિયલ મીડિયા પર 27 ઓગસ્ટે શેર કરવામાં આવેલી અન્ય એક પોસ્ટમાં માનસીએ આ આફત સાથે જોડાયેલો એક ભયાનક સંયોગ પણ જણાવ્યો. તેણે તે જગ્યાનો વીડિયો શેર કર્યો જ્યાં તે આફત આવવાના બરાબર 5 દિવસ પહેલા રોકાઈ હતી. માનસીના મતે, 5 દિવસ પહેલા જે જગ્યાએ તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તે વિસ્તાર પૂરના પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયો હતો. તેણે જણાવ્યું કે, જે દિવસે ત્યાં તબાહી આવી, તે બીજા જ દિવસે ફરીથી તે જ જગ્યાએ પહોંચવાની હતી. માનસી પારેખ નેશનલ એવોર્ડ વિજેતા છે માનસી પારેખે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત વર્ષ 2004માં ટીવી શો 'કિતની મસ્ત હૈ જિંદગી' થી કરી હતી. આ પછી તે 'ઇન્ડિયા કોલિંગ', 'ગુલાલ' અને 'સુમિત સંભાલ લેગા' જેવા લોકપ્રિય ટીવી ધારાવાહિકોમાં જોવા મળી. અભિનયની સાથે સાથે માનસી એક પ્રશિક્ષિત સિંગર પણ છે અને તેણે વર્ષ 2011માં ઝી ટીવીનો સિંગિંગ રિયાલિટી શો 'સ્ટાર યા રોકસ્ટાર' જીત્યો હતો. બોલિવૂડમાં તેણે વર્ષ 2019ની ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક'માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. માનસી ગુજરાતી સિનેમામાં એક એક્ટ્રેસ અને નિર્માતા તરીકે ખૂબ સક્રિય છે. વર્ષ 2024માં 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં તેને ગુજરાતી ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ'માં શ્રેષ્ઠ અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રી (બેસ્ટ એક્ટ્રેસ)નો નેશનલ એવોર્ડ મળ્યો હતો. નેપાળ-તિબેટ સરહદ પર પૂરથી ભારે તબાહી નેપાળ અને તિબેટના સરહદી વિસ્તારોમાં 26 ઓગસ્ટે અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલને ભારે તબાહી મચાવી છે. નેપાળના રસૂવા, નુવાકોટ અને ધાદિંગ જિલ્લાઓ આ આફતથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. સ્થાનિક પ્રશાસન અને રાહત એજન્સીઓના અહેવાલો અનુસાર, આ આફતમાં અત્યાર સુધી નેપાળ અને તિબેટમાં મળીને 900થી વધુ લોકોના જીવ ગયા છે. જ્યારે એકલા નેપાળના વિસ્તારોમાંથી 4 હજારથી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે. પૂરના કારણે અનેક પુલ, રસ્તાઓ અને મકાનો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે.
    Click here to Read More
    Previous Article
    સુભાષચંદ્રા કેસમાં NCLTના આદેશ પર રોક:₹22 હજાર કરોડના દેવા સામે ₹6.5 કરોડના પેમેન્ટને મંજૂરી મળી હતી; 5-સભ્યની બેન્ચે રોક લગાવી, હાલમાં ચંદ્રાની નેટવર્થ માત્ર ₹31.79 કરોડ
    Next Article
    "No Solution On Battlefield": PM Modi At SCO Summit Amid Iran, Ukraine Wars

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment