Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તળાજા-મહુવાના રત્નકલાકારોએ કલેકટરને આવેદન પાઠવ્યું:ફિક્સ પગારમાં ભાવ વધારો અને પગાર બેન્ક ખાતામાં ચૂકવવા સહિતની માંગ, નવા ચાર લેબર કોડ-મજૂર કાયદાઓનું પાલન કરવા રજૂઆત

    7 hours ago

    ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા તાલુકાના અંદાજે 30થી 35 હજાર રત્નકલાકારો છેલ્લા આઠ દિવસથી હડતાળ પર છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા, આજ રોજ મોટી સંખ્યામાં કારીગરોએ જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલને આવેદનપત્ર પાઠવ્યું હતું. આગામી સમયમાં જો પ્રશ્નોનું નિવારણ નહીં આવે તો સમગ્ર જિલ્લામાં હીરા ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મોંઘવારી પ્રમાણે પગાર વધારો આપવા માગ કારીગરોની મુખ્ય માંગણીઓમાં મોંઘવારી મુજબ પર પીસ અને ફિક્સ પગારમાં 30 ટકાનો વધારો કરવો, દર મહિનાની 7 તારીખ સુધીમાં વેતન આપવું અને પગાર સીધો બેંક ખાતામાં જમા કરાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહિલા કામદારો માટે સમાન કામ સમાન વેતન, 100 ટકા હીરા જમા લેવા, મફતમાં કામ કરાવવાની પ્રથા બંધ કરવી તથા નવા ચાર લેબર કોડ અને મજૂર કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવાની માંગ કરાઈ છે. હડતાળમાં જોડાયેલા કારીગરોને નોકરીમાંથી છૂટા ન કરવા કે હેરાન ન કરવાની પણ અપીલ કરાઈ છે. કારીગરોની આર્થિક કપરી સ્થિતિ રત્નકલાકાર આદેશ બારૈયાએ જણાવ્યું કે, મોંઘવારી બમણી થઈ હોવા છતાં છેલ્લા 6-7 વર્ષથી કારીગરોના ભાવમાં એક પણ રૂપિયાનો વધારો કરાયો નથી. સાતમ-આઠમ અને રક્ષાબંધન જેવા તહેવારો નજીક હોવાથી પરિવારનું ઘર-ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બન્યું છે. ડાયમંડ વર્કર યુનિયનના હોદ્દેદારો ભગવાનદાસ દાણીધરીયા અને ભાવેશ ટાંકના જણાવ્યા મુજબ, લેબર ડિપાર્ટમેન્ટની બેઠકમાં માલિકો તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા કલેક્ટરને રજૂઆત કરવી પડી છે. કલેક્ટરે ટૂંક સમયમાં બેઠક યોજી નિવારણ લાવવાનું આશ્વાસન આપ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં જન્માષ્ટમી મેળાના પ્લોટની હરાજી:105 પ્લોટ માટે વેપારીઓમાં ભારે ઉત્સાહ, દૈનિક ₹190થી 1824 ભાડું
    Next Article
    રાજકોટ મનપાનાં બે કેસમાં મહત્વના ચુકાદા:રાજકોટ કોર્પોરેશનની ટીપી શાખાનાં વાંકે હાઈકોર્ટે દ્વારા મનપાને રૂ. 50,000નો દંડ, મિલકત વેરાનો ચેક રિટર્ન થવાના કેસમાં આસામીને 6 માસની સજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment