Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ખાંડના ભાવ વધારા રોકવા પુરવઠા તંત્રની તપાસ:જથ્થાબંધ વેપારીઓ, ગોડાઉનોમાં સ્ટોક મર્યાદા અને રેકોર્ડ ચકાસાયા

    19 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર આગામી તહેવારોની મોસમ દરમિયાન નાગરિકોને વ્યાજબી ભાવે આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા સક્રિય બન્યું છે. ખાંડના ભાવમાં થતા વધારાને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી એ.જી.ગજ્જર અને તેમની ટીમે સમગ્ર જિલ્લામાં જથ્થાબંધ ખાંડના વેપારીઓ અને મોટા વિક્રેતાઓને ત્યાં સઘન તપાસ હાથ ધરી છે. આ તપાસનો મુખ્ય હેતુ કૃત્રિમ અછત કે સંગ્રહખોરી અટકાવવાનો છે. પુરવઠા વિભાગની ટીમો દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા ગોડાઉનો અને વેપારી મથકોએ રૂબરૂ સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન, ખાંડના ઉપલબ્ધ જથ્થા અને તેના દસ્તાવેજી રેકોર્ડની ઝીણવટભરી ચકાસણી કરાઈ હતી. તપાસમાં ખાસ કરીને નિયત મર્યાદા 4,000 ક્વિન્ટલથી વધુ જથ્થાનો સંગ્રહ થયો છે કે કેમ, તેમજ 30 દિવસથી વધુ સમય માટે સ્ટોક જાળવી રાખવામાં આવ્યો છે કે કેમ, તેની ચકાસણી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા તમામ વેપારીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારના ખાંડ નિયંત્રણ સંબંધિત કાયદાઓ અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લામાં સંગ્રહખોરી, કાળાબજારી કે અન્ય કોઈ ગેરરીતિ આચરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટડી પાસે મજૂરો ભરેલું વાહન પલટતાં એકનું મોત:કચોલીયા ગામે તાર ફેન્સીંગના કામ વડગામના યુવકને કાળ ભેટ્યો, 7 લોકો ઇજાગ્રસ્ત
    Next Article
    Knowledge Realty Trust Stake Sale: Blackstone Sets Rs 108 Floor Price For $1.26-Billion Deal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment