Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તહેવારમાં બહારનું ખાતા પહેલા ચેતજો!:શાહીબાગમાં હોકો ઇટરીમાં ભટુરેમાંથી મચ્છર નીકળ્યા, મેનેજરે કહ્યું- રેસ્ટોરન્ટમાંથી ઉડીને આવ્યા હશે

    22 hours ago

    તહેવારોની સિઝનમાં શહેરીજનો પરિવાર અને મિત્રો સાથે બહાર રેસ્ટોરન્ટ્સમાં જમવાનું વધુ પસંદ કરતા હોય છે, ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી જાણીતી રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી સામે આવી છે. શાહીબાગ ઘેવર સર્કલ નજીક આવેલી 'હોકો ઈટરી' નામક રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા 2 યુવકોના ભોજનમાંથી મચ્છર નીકળતાં ભારે હોબાળો મચી ગયો હતો. આ અંગે ગ્રાહકે રેસ્ટોરન્ટ સંચાલકોનું ધ્યાન દોરતાં મેનેજરે જવાબદારી સ્વીકારવાને બદલે 'આ તો રેસ્ટોરન્ટમાંથી ઊડીને આવ્યું હશે' તેવો ઉડાઉ બચાવ કર્યો હતો, જેના પગલે ગ્રાહકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. છોલે-ભટુરેના ઓર્ડરમાં ઉપર જ મચ્છર દેખાતાં વિવાદ થયો શાહીબાગ વિસ્તારમાં રહેતા 2 સ્થાનિક યુવકો ઘેવર પાસે આવેલી હોકો ઈટરીમાં જમવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મેનુમાંથી છોલે ભટુરે અને વેજિટેબલ બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો. વેઇટર દ્વારા સૌપ્રથમ છોલે-ભટુરેની ડિશ પીરસવામાં આવી હતી, જેમાં પીરસાયેલા છોલે અને ભટુરેના ભાગ પર ઉપરની સાઇડ જ સ્પષ્ટપણે મચ્છર પડેલું નજરે પડ્યું હતું. ગ્રાહકે તાત્કાલિક સમગ્ર બાબતની ગંભીરતા સમજી પોતાના મોબાઇલ ફોનમાં ફોટોગ્રાફ્સ અને વીડિયો રેકોર્ડ કરી લીધા હતા અને ત્યારબાદ રેસ્ટોરન્ટના મેનેજર સમક્ષ ફરિયાદ રજૂ કરી હતી. મેનેજરે ભૂલ સ્વીકારવાને બદલે ઊડીને આવ્યું હોવાનો બચાવ કર્યો રેસ્ટોરન્ટના મેનેજર અબ્બાસભાઈએ ગ્રાહક સમક્ષ પોતાની ભૂલ કે કિચનની અસ્વચ્છતા સ્વીકારવાને બદલે એવો વાહિયાત ખુલાસો કર્યો હતો કે રસોડામાંથી કે જમવામાં મચ્છર નથી આવ્યું, પરંતુ હોલમાં આસપાસ મચ્છર ઊડતાં હોવાથી તે ઊડીને ભટુરે પર બેસી ગયું હશે. સંચાલકોના આવા બેજવાબદાર અને ઉદ્ધત વલણથી રોષે ભરાયેલા યુવકે અન્ય ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે તંત્રના દ્વાર ખખડાવ્યા હતા. ગ્રાહકે AMCના વોટ્સએપ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધી તપાસ માંગી જાગૃત ગ્રાહકે રેસ્ટોરન્ટ સામે તાત્કાલિક પગલાં ભરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટ્સએપ હેલ્પલાઇન નંબર પર પુરાવા સાથે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. તહેવારો દરમિયાન શહેરીજનોના આરોગ્ય સાથે થતી ગંભીર બેદરકારી સામે મનપાના હેલ્થ અને ફૂડ વિભાગ દ્વારા હોકો ઈટરીમાં આકસ્મિક દરોડા પાડીને સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવે તેમજ કડક દંડાત્મક પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    नेपाल बाढ़: विदिशा के डॉक्‍टर की बेटी स्वाती और NGDC के जीएम की बहन डॉ. मीना लापता, परिवार परेशान
    Next Article
    સુરત ઉદ્યોગજગતમાં શોકની લહેર:જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્રભાઈ કતારગામવાળાનું નિધન, ડેપ્યુટી CM હર્ષ સંઘવી સહિત અગ્રણીઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment