Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલિકા કચેરીમાં જ રખડતાં પશુઓનો ‘રાજ’!:શહેરને રખડતાં પશુઓથી મુક્ત કરવાના દાવા વચ્ચે પાલિકા કચેરીમાં જ આખલા-પશુઓના બિન્દાસ આંટાફેરા

    7 hours ago

    વેરાવળ-સોમનાથ જોડિયા શહેરમાં રખડતાં પશુઓ અને આખલાઓનો આતંક શહેરીજનો માટે વર્ષોથી કાયમી ફરિયાદ બની ગયો છે. શહેરના મુખ્ય માર્ગો, બજારો અને રહેણાંક વિસ્તારોમાં રખડતાં પશુઓના ટોળાં અવારનવાર જોવા મળે છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ સતત તોળાતું રહે છે. પરંતુ હવે આ સમસ્યાએ એવી હદ વટાવી છે કે, શહેરમાંથી રખડતાં પશુઓને દૂર કરવાની જવાબદારી ધરાવતી પાલિકાની કચેરીમાં જ પશુઓ બિન્દાસ આંટાફેરા કરતા જોવા મળ્યા છે. વેરાવળ પાલિકા કચેરીના પરિસરમાં રખડતાં પશુઓ ઘૂસી જતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં પશુઓ કચેરી પરિસરમાં બિન્દાસ ફરતા જોવા મળે છે. એટલું જ નહીં, કચેરી પરિસરમાં મળમૂત્ર પણ કરતા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. જેના કારણે પાલિકા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરની રખડતાં પશુઓની સમસ્યા દૂર કરવા માટે પાલિકા તંત્ર દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે. પશુઓને પકડવાની કામગીરી, રસ્તાઓ પરથી પશુઓને દૂર કરવા સહિતની કાર્યવાહી અંગે તંત્ર દ્વારા વાત કરવામાં આવે છે. જોકે, પાલિકાની પોતાની કચેરી જ જો રખડતાં પશુઓથી સુરક્ષિત ન રહી શકે તો શહેરની શેરીઓ અને માર્ગો પરથી પશુઓને દૂર કરવાની કામગીરી કેટલી અસરકારક છે તે અંગે હવે શહેરીજનોમાં ચર્ચા શરૂ થઈ છે. પાલિકા કચેરીમાં ચીફ ઓફિસર, પ્રમુખ સહિતના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ બેસે છે. શહેરની સમસ્યાઓના ઉકેલ માટે અહીં બેઠકો યોજાય છે અને નિર્ણયો લેવામાં આવે છે. પરંતુ જે કચેરીમાંથી શહેરના રખડતાં પશુઓની સમસ્યાના ઉકેલ માટે આયોજન થવું જોઈએ, એ જ કચેરીના પરિસરમાં પશુઓનો મુક્ત વિહાર જોવા મળતા તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરીજનોનો સવાલ છે કે પાલિકા કચેરી જ રખડતાં પશુઓથી મુક્ત ન હોય તો શહેરના રસ્તાઓ પરથી પશુઓનો ત્રાસ ક્યારે દૂર થશે રખડતાં પશુઓના કારણે અકસ્માત સર્જાય અથવા કોઈ વ્યક્તિને ઈજા થાય ત્યારબાદ જ તંત્ર જાગશે કે પછી અગાઉથી કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવશે? દરમિયાન પાલિકા કચેરીમાં રખડતાં પશુઓના આંટાફેરાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. શહેરમાં રખડતાં પશુઓની સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે માત્ર દાવા નહીં, પરંતુ અસરકારક અને સતત કામગીરી કરવાની શહેરીજનો માંગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    JSSC-CGL Exam Cancelled: Rahul Gandhi भूख हड़ताल खत्म होने पर बोले | Congress | Devendra Nath Mahato
    Next Article
    મેંદરડાના નતાડીયા ગામે ફાર્મ હાઉસમાંથી હાઇપ્રોફાઇલ દારૂ મહેફિલ ઝડપાઈ:જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે 8 વેપારીઓ અને 2 મહિલાને મહેફિલ માણતા રંગેહાથ ઝડપી પાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment