Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિત શાહના નિવેદન બાદ નર્મદામાં ઓપરેશન બાંગ્લાદેશ શરૂ:8 શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરાઈ, 2 પશ્ચિમ બંગાળ; સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત જિલ્લામાં ચેકિંગ

    9 hours ago

    નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે 'ઓપરેશન બાંગ્લાદેશ' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા LCB અને SOGની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 8 શંકાસ્પદ પરપ્રાંતીય વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આ પૈકી 6 વ્યક્તિઓ ગુજરાતના અને 2 પશ્ચિમ બંગાળના હોવાનું જાણવા મળ્યું છે. શંકાસ્પદ 8માંથી માત્ર 2 બંગાળના નર્મદાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પી.આર. પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ગૃહ વિભાગમાંથી મળેલી સૂચનાના આધારે નર્મદા પોલીસે વિવિધ ટીમો બનાવીને જિલ્લામાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તેમણે ઉમેર્યું કે અત્યાર સુધીમાં 8 શંકાસ્પદ લોકો મળ્યા છે, પરંતુ તેઓ બાંગ્લાદેશના નથી અને વધુ તપાસ ચાલુ છે. પોલીસ પાસે તમામ લોકોનો સંપર્ક છે અને બાતમીદારો દ્વારા પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે. ભાડુઆતોની નોંધણી કરાવવી પણ અત્યંત જરૂરી છે. અમિત શાહના આહવાન પર સર્ચ ઓપરેશન આ અભિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના 28 મે, 2024ના રોજ ગાંધીનગરમાં આપેલા નિવેદન બાદ શરૂ થયું છે, જેમાં તેમણે દેશભરમાંથી એક-એક ઘૂસણખોરને શોધી કાઢવાની હાકલ કરી હતી. શાહના નિવેદનના પાંચ દિવસ બાદ, 2 જૂનથી સમગ્ર ગુજરાતમાં બાંગ્લાદેશીઓને પકડવા માટે સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત સઘન ચેકિંગ પોલીસને એવી માહિતી મળી હતી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) અને જિલ્લામાં ચાલી રહેલા વિકાસના કામોમાં બાંગ્લાદેશીઓ અને પશ્ચિમ બંગાળની સરહદીય વિસ્તારોના લોકો કામ કરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આ ઉપરાંત, નદી કિનારાના આશ્રમોમાં પણ તપાસ કરવામાં આવશે. ભાડે રહેતા હોય તો પોલીસને જાણ કરો નર્મદા પોલીસે જિલ્લાની જનતાને પણ આ અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરી છે. પોલીસે જણાવ્યું છે કે જો કોઈના ઘરમાં પરપ્રાંતીય ભાડે રહેતા હોય અથવા કોઈ ફેક્ટરી, ખેતર કે ધંધામાં પરપ્રાંતીય કામ કરતા હોય, તો તેની તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી. આવા વ્યક્તિઓના ફોટોગ્રાફ્સ, ઓળખકાર્ડ અને મૂળ રહેઠાણના પુરાવા રજૂ કરવા ફરજિયાત છે. જો આમ કરવામાં નહીં આવે, તો ભાડુઆતની સાથે ઘર માલિક સામે પણ ગુનો નોંધવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાંચમા પગાર પંચના કર્મીઓેને સરકારની ભેટ:રાજ્યભરમાં બાંગ્લાદેશી ઘુષણખોરો સામે કાર્યવાહી, થલતેજ ગોતામાં દુષિત પાણીથી ફેલાયો રોગચાળો, પુત્રની સામે જ તરફડિયાં મારી પિતાનું મોત
    Next Article
    ગોત્રી તળાવમાં ઓક્સિજનના અભાવે અસંખ્ય માછલાંના મોત:તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ, પાણીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment