Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાગેશ્વર જ્યોતિર્લિંગમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે તિરંગી શણગાર:ભક્તોમાં ભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો અનોખો સંગમ જોવા મળ્યો

    2 days ago

    દેવભૂમિ દ્વારકાના પવિત્ર નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે વિશેષ તિરંગી પુષ્પ શણગાર કરવામાં આવ્યો હતો. કેસરિયા, સફેદ અને લીલા રંગના પુષ્પોથી સજાવવામાં આવેલું મંદિર પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. નાગેશ્વર મંદિરના મહંત ગિરધરભારતી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ આ વિશેષ શણગાર તૈયાર કરવામાં આવ્યો હતો. આ મનમોહક સજાવટે ભક્તો અને દર્શનાર્થીઓનું ધ્યાન ખેંચ્યું હતું. જ્યોતિર્લિંગના પાવન દર્શન સાથે તિરંગી પુષ્પોની આભા નિહાળી ભક્તોમાં ભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવના જોવા મળી હતી. આ શણગાર શિવભક્તિ સાથે રાષ્ટ્રભક્તિના અનોખા સંગમનું પ્રતિક બન્યો હતો. કેસરિયો રંગ સાહસ અને શૌર્ય, સફેદ રંગ શાંતિ અને સત્ય, જ્યારે લીલો રંગ સમૃદ્ધિ અને પ્રગતિનો સંદેશ આપે છે. આ પ્રકારે મંદિરનો આ શણગાર સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગોઝારીયામાં પંચાયત સભ્ય સહિત 9 જુગાર રમતા ઝડપાયા:રાંઘણજ પોલીસે ₹1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, પ્લાસ્ટિકના કોઈન વડે રમાડતો હતો જુગાર
    Next Article
    પાટણમાં 80માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી:ડો. પંડ્યા અભ્યાસગૃહ ખાતે ધ્વજવંદન, વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment