Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કસ્તુરબા હોસ્પિટલને મોડ્યુલર ઇન્ટેન્સિવ કેર યુનિટનું લોકાર્પણ:સ્વાતંત્ર્ય પર્વે ગંભીર દર્દીઓ માટે નવી સુવિધા ઉપલબ્ધ

    1 week ago

    વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે આધુનિક મોડ્યુલર ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કૃષ્ણાવદન ઠાકોરભાઈ દેસાઈના હસ્તે રિબન કાપીને આ ICU ખુલ્લું મુકાયું હતું. કસ્તુરબા હોસ્પિટલની સ્થાપના 1 જૂન, 1944ના રોજ થઈ હતી અને તે હાલ 83મા વર્ષમાં પ્રવેશી છે. હોસ્પિટલમાં વર્ષ 1983થી ICU અને ક્રિટિકલ કેર સેવાઓ કાર્યરત છે. છેલ્લા ચાર દાયકામાં તબીબી વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આવેલા બદલાવને અનુરૂપ આરોગ્ય સુવિધાઓનું તબક્કાવાર આધુનિકીકરણ કરાયું છે. આ પુનઃવિકસિત ICUમાં ગંભીર દર્દીઓની સારવાર માટે અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. તેમાં અલગ પેશન્ટ ક્યુબિકલ્સ, ડાયાલિસિસ અને હેમોડાયાફિલ્ટ્રેશનની સુવિધાનો સમાવેશ થાય છે. જરૂરિયાત મુજબ નેગેટિવ તથા પોઝિટિવ પ્રેશર આઇસોલેશનની વ્યવસ્થા સાથે ICU માટે સમર્પિત એર હેન્ડલિંગ યુનિટ (AHU) પણ સ્થાપિત કરાયું છે. વધુમાં, બેડસાઇડ અને સેન્ટ્રલ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ, વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર, ઇન્ફ્યુઝન તથા સિરિન્જ પમ્પ સહિતના ક્રિટિકલ કેર ઉપકરણો પણ ઉપલબ્ધ કરાયા છે. યોગ્ય ક્લિનિકલ પરિસ્થિતિમાં બેડસાઇડ એન્ડોસ્કોપી અને બ્રોન્કોસ્કોપી માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. ICUમાં ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ, ફાયર સેફ્ટી, ઇમરજન્સી પ્રિપેર્ડનેસ અને સુરક્ષિત ક્લિનિકલ વર્કફ્લો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જેથી દર્દીઓને સુરક્ષિત અને અસરકારક સારવાર મળી શકે. આ ICUના પુનઃવિકાસમાં વિવિધ દાતાઓ અને શુભેચ્છકોનો સહયોગ મળ્યો છે. હનુમાન ભાગડા, વલસાડના સ્વ. ઠાકોરભાઈ દયાભાઈ દેસાઈના પરિવાર દ્વારા નોંધપાત્ર સહયોગ આપવામાં આવ્યો છે. આ યોગદાન સ્વ. ઠાકોરભાઈ દયાભાઈ દેસાઈની સ્મૃતિ અને સમાજસેવાની ભાવનાને આગળ ધપાવે છે. શ્રી જયંતીભાઈ બલસારા (USA) સહિત અન્ય દાતાઓનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. આ પ્રસંગે સ્વ. ઠાકોરભાઈ દયાભાઈ દેસાઈના પરિવારજનો, દાતાઓ, કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળના ટ્રસ્ટીઓ, તબીબી નિષ્ણાતો, કન્સલ્ટન્ટ્સ તથા હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. સમીર દેસાઈ, ડૉ. મુશ્તાક કુરેશી, શ્રી જયનીશભાઈ કોઠારી સહિત શહેરના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળના પ્રમુખ કિરણ ઠાકોરભાઈ દેસાઈ, ઉપપ્રમુખ અપૂર્વ અર્જુનભાઈ દેસાઈ, સહમંત્રી અનીશ પ્રદ્યુમ્નભાઈ શાહ તથા ટ્રસ્ટી મંડળે તમામ દાતાશ્રીઓ, તબીબી નિષ્ણાતો અને હોસ્પિટલના તબીબો-નર્સિંગ તથા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. આ આધુનિક ICUથી વલસાડ અને આસપાસના વિસ્તારોના ગંભીર દર્દીઓને વધુ સુદૃઢ અને આધુનિક ક્રિટિકલ કેર સેવાઓ ઉપલબ્ધ બનશે, જે તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    પાટણ ભાજપ કાર્યાલયે મુસ્કાન પ્રજાપતિએ ધ્વજવંદન કર્યું:જિલ્લા પ્રમુખ રમેશ સિંધવ, કે.સી. પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા
    Next Article
    પાટણની ઓક્સફર્ડ સ્કૂલમાં 80મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો:ડો. લિગી એન્ડ્રુસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment