Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ઈમરાન ખાનનું જેલમાં મોત થયું':પૂર્વ વડાપ્રધાનને લઈ પાકિસ્તાની પત્રકારે કર્યો મોટો દાવો, પરિવાર અને પાર્ટી નેતાઓને મુલાકાતની મંજૂરી નહીં

    1 day ago

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ એટલે કે PTIના સ્થાપક ઇમરાન ખાનના જેલમાં મોતના સમાચારથી પાકિસ્તાનના રાજકારણમાં હલચલ વધી ગઈ છે. પાકિસ્તાની પત્રકારના એક દાવા પછી ઇમરાનની તબિયત અને તેમની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. પાકિસ્તાની પત્રકાર વજાહત સઈદ ખાને પોતાની યુટ્યુબ ચેનલ પર દાવો કર્યો કે ત્રણ વરિષ્ઠ સૈન્ય સૂત્રોએ તેમને જણાવ્યું છે કે તેમને આશંકા છે કે ઇમરાન ખાન હવે જીવતા નથી. પત્રકારે એ પણ સ્પષ્ટ કર્યું કે આ સૂત્રોએ પોતે ઇમરાનને મૃત જોયા નથી અને તેમનો દાવો પ્રત્યક્ષ પુષ્ટિ પર આધારિત નથી. તેમ છતાં તેમના દાવાએ જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાનની સ્થિતિને લઈને પહેલાથી ચાલી રહેલી અટકળોને વધુ હવા આપી છે. પરિવાર અને PTIને મુલાકાતની મંજૂરી નહીં ઇમરાન ખાનની તબિયતને લઈને ચિંતા એટલા માટે પણ વધી છે કારણ કે તેમના પરિવાર, પાર્ટી નેતાઓ, વકીલો અને ખાનગી ડોકટરોની તેમની મુલાકાતને લઈને સતત વિવાદ રહ્યો છે. PTI પહેલા પણ ઇમરાનને અલગ રાખવા અને તેમની સારવારને લઈને સવાલો ઉઠાવતી રહી છે. જૂનમાં પાર્ટીએ તેમને હોસ્પિટલ મોકલવા, નિયમિત મુલાકાતની મંજૂરી આપવા અને ખાનગી ડોકટરો દ્વારા તપાસ કરાવવાની માગ કરી હતી. મે મહિનામાં પણ ઇમરાનની બહેનો અને ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીને અદિયાલા જેલ પહોંચતા રોકવામાં આવ્યા હતા. તેને લઈને PTIએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોતની અફવા વચ્ચે PTIનું શક્તિ પ્રદર્શન ઇમરાન ખાનની સ્થિતિને લઈને વધતી ચિંતા હવે રાજકીય ટકરાવનું રૂપ લઈ રહી છે. PTI નેતા અને ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીએ દાવો કર્યો છે કે પાર્ટીના 20 લાખથી વધુ લોકો રસ્તાઓ પર ઉતરવા માટે તૈયાર છે. પાર્ટીએ 27 સપ્ટેમ્બરે ઇસ્લામાબાદ સુધી માર્ચની જાહેરાત પણ કરી છે. ઇમરાન ખાન ઓગસ્ટ 2023થી જેલમાં છે અને ઘણા કેસોમાં સજા ભોગવી રહ્યા છે. તેમની ધરપકડ પછી તેમનો સૈન્ય સંસ્થાપન સાથેનો ટકરાવ પાકિસ્તાનના રાજકારણનો સૌથી મોટો મુદ્દો બન્યો છે. આવા સમયે તેમના મોતના અપ્રમાણિત સમાચારે રાજકીય તણાવને વધુ વધારી દીધો છે. હાલમાં ઇમરાન ખાનના મોતની કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ પરિવાર અને પાર્ટીને મુલાકાતની મંજૂરી ન મળવા, તેમની તબિયતને લઈને જૂના વિવાદો અને પત્રકારના નવા દાવાએ પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો સવાલ ઊભો કર્યો છે કે આખરે અદિયાલા જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાનની હાલત કેવી છે. ઈમરાન ખાનના દિકરાએ મદદની ભીખ માગી આ પહેલાં ઇમરાન ખાનની તબિયતને લઈને તેમના પુત્ર કાસિમ ખાને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો કે 1100 દિવસથી જેલમાં બંધ ઇમરાન ખાનની આંખોની રોશની સતત નબળી પડી રહી છે, પરંતુ પરિવારને તેમને મળવા કે તેમની મેડિકલ સ્થિતિની માહિતી પણ આપવામાં આવી રહી નથી. કાસિમે આંતરરાષ્ટ્રીય સમુદાયને હસ્તક્ષેપ કરવાની અપીલ કરતા પાકિસ્તાનની સરકાર અને સૈન્ય પ્રશાસન પર તીખો હુમલો બોલ્યો. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાને શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ભાવુક પોસ્ટ લખીને પોતાના પિતાની તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ઇમરાન ખાનને જેલમાં બંધ થયાને હવે લગભગ 1100 દિવસ થઈ ચૂક્યા છે અને માર્ચ પછી તેમણે પોતાના પિતાનો અવાજ પણ સાંભળ્યો નથી. કાસિમે લખ્યું, 'ઘણા મહિનાઓથી અમને તેમની સાથે વાત કરવા કે મળવાની પરવાનગી આપવામાં આવી નથી. અમને એ પણ નથી ખબર કે તેમને યોગ્ય સારવાર મળી રહી છે કે નહીં. તેમની આંખોની રોશની સતત નબળી પડી રહી છે અને તેમને તાત્કાલિક મેડિકલ સહાયની જરૂર છે.' 26 વર્ષના કાસિમ અને તેમના મોટા ભાઈ સુલેમાન ખાન બ્રિટનમાં રહે છે. તેમણે કહ્યું કે તેમને પોતાના પિતાની માત્ર રાજકીય ચિંતા જ નથી, પરંતુ એક પુત્ર તરીકે તેમને ખૂબ યાદ આવે છે. તેમણે લખ્યું, 'કાશ હું તેમની સાથે ક્રિકેટ, પુસ્તકો અને ફિલ્મો જેવી સામાન્ય વાતો કરી શકતો હોત. પાકિસ્તાનની જનતા પોતાના ચૂંટાયેલા નેતાને આઝાદ જોવા માંગે છે, પરંતુ મને મારા પિતાની પહેલા કરતાં પણ વધુ યાદ આવે છે.' કાસિમે પાકિસ્તાનની હાલની વ્યવસ્થા પર પણ પ્રહાર કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે સૈન્ય સમર્થિત સરકાર લોકતાંત્રિક સંસ્થાઓને નબળી પાડી રહી છે, રાજકીય વિરોધીઓને કચડી રહી છે અને લોકો પાસેથી પોતાના નેતાઓને ચૂંટવાનો અધિકાર છીનવી રહી છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી કે તે આ મામલે ચૂપ ન રહે. ઈમરાન ખાનને આંખમાં શું થયું? CRVOની સારવાર સામાન્ય દવાથી કે નાના ક્લિનિકમાં કરી શકાતી નથી. તેને રેટિના નિષ્ણાત પાસેથી તાત્કાલિક સારવારની જરૂર છે. સારવાર દરમિયાન, આંખની અંદર બળતરા ઘટાડવા માટે ખાસ ઇન્જેક્શન આપવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં, લેસર સારવાર પણ જરૂરી છે. આ ઉપરાંત, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવા રોગોને કન્ટ્રોલ કરવા પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તેને બ્લોકેજના મુખ્ય કારણો માનવામાં આવે છે. આ રોગની સારવાર માટે ઓપરેશન થિયેટર જેવી સુવિધાઓ, જંતુરહિત વાતાવરણ અને અનુભવી નિષ્ણાતો જરૂરી છે. ----------------------- આ સમાચાર પણ વાંચો: 5 દેશના 14 પૂર્વ-કેપ્ટનનો પાકિસ્તાન સરકારને પત્ર:લેટરમાં સુનીલ ગાવસ્કર, કપિલ દેવની પણ સહી; લખ્યું- ઈમરાન ખાનની સારવાર તાત્કાલિક કરાવો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના ખરાબ સ્વાસ્થ્યને લઈને 5 દેશના 14 પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેપ્ટનોએ પાકિસ્તાન સરકારને પત્ર લખ્યો છે. 73 વર્ષના ઈમરાન ઓગસ્ટ 2023થી જેલમાં છે. આ પત્ર પર ભારતના બે પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર, કપિલ દેવ ઉપરાંત ગ્રેગ ચેપલ, બેલિન્ડા ક્લાર્ક, માઈકલ એથર્ટન, નાસિર હુસૈન, ઈયાન ચેપલ, એલન બોર્ડર, માઈકલ બ્રિયરલી, ડેવિડ ગાવર, કિમ હ્યુજીસ, ક્લાઈવ લોયડ, સ્ટીવ વો અને જોન રાઈટે હસ્તાક્ષર કર્યા છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, 14 દિગ્ગજ કેપ્ટનોએ પાકિસ્તાની પીએમ શહબાઝ શરીફને અપીલ કરી છે કે ઈમરાનને યોગ્ય સારવાર આપે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    રવીન્દ્ર જાડેજા 1556 દિવસથી નંબર-1 ઓલરાઉન્ડર:જસપ્રીત બુમરાહ 21 મહિનાથી સતત ટૉપ ટેસ્ટ બોલર; શુભમન ગિલ વન-ડેમાં ટૉપ પર યથાવત
    Next Article
    ISI સાથે સંકળાયેલો પાકિસ્તાની જાસૂસ બાંગ્લાદેશ બોર્ડર પરથી ઝડપાયો:નકલી દસ્તાવેજો પર ભારતમાં રહેતો હતો; કોલકાતાના સુથારે મદદ કરી હતી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment