Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં તિરંગા યાત્રાની તૈયારીઓ, પ્રાંત અધિકારીએ બેઠક યોજી:'હર ઘર તિરંગા' અભિયાનને વેગ આપવા અધિકારીઓ-પદાધિકારીઓ સાથે ચર્ચા

    17 hours ago

    વેરાવળમાં આવતીકાલે યોજાનારી તિરંગા યાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે પ્રાંત કચેરી, વેરાવળ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પ્રાંત અધિકારી જે.વી. કાકડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં અધિકારીઓ, પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે જરૂરી આયોજન અને વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં 'હર ઘર તિરંગા' અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાય અને નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બને તે માટે તિરંગા યાત્રાને જનભાગીદારીનું સ્વરૂપ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. યાત્રા દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને નાગરિકો ઉત્સાહભેર જોડાઈ શકે તે માટેની વિવિધ વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી જે.વી. કાકડિયાએ 'હર ઘર તિરંગા' અભિયાનને વધુ વેગવાન બનાવવા માટે અધિકારીઓ, પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓને સંકલનથી કામગીરી કરવા સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તિરંગાના સન્માનમાં દરેક નાગરિક સહભાગી બને અને રાષ્ટ્રાભિમાનની ભાવના વધુ મજબૂત બને તેવા કાર્યક્રમો સુદ્રઢ રીતે યોજાય. આવતીકાલે યોજાનારી તિરંગા યાત્રા ટાવર ચોક પાસે આવેલા ડૉ. આંબેડકર પાર્ક ખાતેથી પ્રારંભ થશે. આ યાત્રા ટાવર ચોક, સટ્ટા બજાર, સ્વામિનારાયણ મંદિર, સુભાષ રોડ, એમ.જી. રોડ અને શાક માર્કેટ થઈને પરત ડૉ. આંબેડકર પાર્ક ખાતે પૂર્ણ થશે. યાત્રામાં અધિકારીઓ-પદાધિકારીઓ ઉપરાંત જનપ્રતિનિધિઓ, સમાજ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે તેવી અપેક્ષા છે. આ યાત્રા સાથે સ્વચ્છતા અભિયાનને પણ જોડવામાં આવ્યું છે, જેથી રાષ્ટ્રભક્તિની સાથે સ્વચ્છતાનો સંદેશ પણ લોકો સુધી પહોંચાડી શકાય. આ ઉપરાંત, જિલ્લામાં નિબંધ, ક્વિઝ અને રંગોળી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે. જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા ઉપરાંત તાલુકા કક્ષાએ પણ સમાન યાત્રાઓ યોજાશે. બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજયભાઈ પરમાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના ઉપપ્રમુખ હેમીબેન જેઠવા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મંથન બાદ હવે આવતીકાલની તિરંગા યાત્રા માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    સાયબર ઠગો હોટલમાં સૂતા હતા'ને પોલીસ ત્રાટકી, VIDEO:PNB Oneના નામે APK ફાઈલ મોકલી 31 હજાર મોબાઈલ હેક કર્યા, 5613 લોકો પાસેથી 125 કરોડ પડાવ્યા
    Next Article
    ગોધરા LCBએ ઇન્દોર-અમદાવાદ NH પર ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપ્યો:ટ્રક સહિત 1 કરોડ 23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, ટ્રકચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment