Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાગવત બોલ્યા- જેન-ઝી અમારી પેઢી કરતાં વધુ પ્રામાણિક-દેશભક્ત:આપણે તેમની વાત સમજવી જોઈએ, તેમની સાથે વાત ન થઈ ત્યારે જ તો આંદોલન થયું

    21 hours ago

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત 15થી 19 વર્ષની વયના 2,000થી વધુ જેન-ઝી અને જેન-આલ્ફા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. આ કાર્યક્રમ મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં યોજાઈ રહ્યો છે. તેનું આયોજન ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઈટ નેશન્સ એટલે કે IIMUN દ્વારા તેની 15મી વર્ષગાંઠ પર કરવામાં આવ્યું છે. NEET પેપર લીક સામે દેશભરમાં થયેલા વિરોધ પ્રદર્શનો બાદ તેને RSSનો યુવાનો સાથેનો સૌથી મહત્વપૂર્ણ સંવાદ માનવામાં આવી રહ્યો છે. જંતર-મંતર પર 36 દિવસ ચાલેલા આંદોલન બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું હતું. 24 જુલાઈ: ભાગવતે કહ્યું હતું- નવી પેઢીને આદેશ ન આપો, વાતચીત કરો મોહન ભાગવતે દિલ્હીમાં 20 જુલાઈએ વિદ્યાર્થીઓના પ્રદર્શનના 4 દિવસ પછી કહ્યું હતું કે આજની નવી પેઢી ઘણા પ્રશ્નો પૂછે છે. આપણે આદેશ આપવાને બદલે તેમની સાથે વાતચીત કરવી જોઈએ. આપણે મનમાની કરીશું, શક્તિથી બધાના માલિક બનીશું, એવું ન થઈ શકે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે દેશમાં પેપર લીકના મુદ્દાને લઈને વિદ્યાર્થીઓ જંતર-મંતર પર પ્રદર્શન કરી રહ્યા હતા. તેમના નિવેદનના 12 કલાક પછી શિક્ષણ મંત્રીએ રાજીનામું આપી દીધું હતું. પૂરા સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    कौन हैं वो 5 लोग जिन्हें ABC जूस जरूर पीना चाहिए? फायदे और बनाने का आसान तरीका
    Next Article
    ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો નકલી ડૉક્ટર ઝડપાયો:UPમાં 3 વર્ષ કંપાઉન્ડરનું કામ કરી સુરતમાં પટેલ ક્લિનિક ખોલી બેસી ગયો, ઇન્જેક્શન, એલોપેથિક દવાઓનો જથ્થો જપ્ત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment