Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સલમાન ખાન ફરી મુશ્કેલીમાં મુકાયો, કોર્ટે નોટિસ ફટકારી:'બીઇંગ હ્યુમન જ્વેલરી' શોરૂમ ખોલવાના નામે છેતરપિંડી ને કરોડોના નુકસાનનો આરોપ

    12 hours ago

    બોલિવૂડ સુપરસ્ટારની મુશ્કેલીમાં વધારો થયો છે. ચંદીગઢની જિલ્લા અદાલતે એક્ટરની બ્રાન્ડ 'બીઇંગ હ્યુમન જ્વેલરી' શોરૂમ સાથે સંકળાયેલા કથિત છેતરપિંડીના કેસમાં સલમાન ખાન, તેની બહેન અલવીરા ખાન અને સંબંધિત કંપની સ્ટાઈલ એન્ડ કન્ટેન્ટ જ્વેલરી પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર સહિત અન્યોને નોટિસ જારી કરી છે. આ નોટિસ મુજબ, તમામ લોકોએ 5 ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવું પડશે. કોર્ટે તમામ આરોપીઓને સમન્સ જારી કરીને તેમની સામે લગાવવામાં આવેલા આરોપો પર જવાબ દાખલ કરવા પણ જણાવ્યું છે. આ કેસ ચંદીગઢના મનીમાજરામાં રહેતા વેપારી અરુણ ગોયલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, બીઇંગ હ્યુમન બ્રાન્ડના નામે જ્વેલરી શોરૂમ ખોલાવતી વખતે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી, જેના કારણે તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું. ‘બિગ બોસ’ના સેટ પર સલમાન ખાનને મળ્યા હતા ફરિયાદી વેપારી અરુણ ગુપ્તાનો દાવો છે કે, વર્ષ 2018માં તેમની મુલાકાત મુંબઈમાં 'બિગ બોસ'ના સેટ પર સલમાન ખાન સાથે થઈ હતી. તેમનો આરોપ છે કે આ દરમિયાન તેમને ચંદીગઢમાં 'બીઇંગ હ્યુમન જ્વેલરી'નો એક્સક્લુઝિવ શોરૂમ ખોલવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ, તેમને ખાતરી આપવામાં આવી હતી કે સલમાન ખાન પોતે શોરૂમનું ઉદ્ઘાટન કરશે અને બ્રાન્ડના પ્રમોશનમાં પણ સહયોગ કરશે. ફરિયાદીનો એ પણ દાવો છે કે, 'બિગ બોસ'ના સેટ પર થયેલી મુલાકાત અને વાતચીતની વીડિયો ક્લિપ અને ફોટો તેમણે તપાસ દરમિયાન પોલીસને પણ ઉપલબ્ધ કરાવ્યા હતા. ઓગસ્ટ 2018માં એગ્રીમેન્ટ થયો, 3 કરોડના ખર્ચે શોરૂમ ખોલ્યો ફરિયાદ અનુસાર, 3 ઓગસ્ટ 2018ના રોજ સ્ટાઇલ એન્ડ ક્યુન્ટન્ટ (સ્ટાઇલ ક્વોશિયન્ટ) જ્વેલરી પ્રાઇવેટ લિમિટેડ સાથે ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ (એમઓયુ) થયું. આ પછી, મનીમાજરાના એનએસી વિસ્તારમાં લગભગ 3 કરોડ રૂપિયાના ખર્ચે 'બીઇંગ હ્યુમન જ્વેલરી'નો એક્સક્લુઝિવ શોરૂમ તૈયાર કરવામાં આવ્યો. શોરૂમ તૈયાર કરવામાં જ લગભગ 1 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. ફરિયાદકર્તાનું કહેવું છે કે તેમણે કંપનીની તમામ શરતોનું પાલન કર્યું અને બ્રાન્ડની જ્વેલરી પણ સ્ટોરમાં રાખવામાં આવી. ઉદ્ઘાટનમાં સલમાન ન પહોંચ્યો, બનેવી આયુષ શર્મા આવ્યો ફરિયાદીનો દાવો છે કે, શોરૂમનું ઉદ્ઘાટન સલમાન ખાને કરવાનું હતું, પરંતુ તે ન આવ્યો. તેની જગ્યાએ સલમાનનો બનેવી (અર્પિતા ખાનનો પતિ) અને એક્ટર આયુષ શર્માએ 3 નવેમ્બર 2018ના રોજ શોરૂમનું ઉદ્ઘાટન કર્યું. વેપારીનો આરોપ છે કે, જે સ્તરના પ્રમોશનનું વચન આપવામાં આવ્યું હતું, તે ક્યારેય મળ્યું નથી. ખોટો ભરોસો આપીને શોરૂમ ખોલાવ્યો ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, કંપની સાથે સંકળાયેલા છ લોકોએ ખોટો ભરોસો આપીને તેમની પાસે શોરૂમ ખોલાવ્યો હતો. તેમનું કહેવું છે કે, શોરૂમ શરૂ થયા પછી કંપની તરફથી અપેક્ષિત સહયોગ મળ્યો ન હતો. ફેબ્રુઆરી 2020થી જે ઓફિસ દ્વારા 'બીઇંગ હ્યુમન' જ્વેલરીનો સપ્લાય થવાનો હતો, તે બંધ થઈ ગઈ. ત્યારબાદ નવો સ્ટોક મળ્યો નહીં, જેના કારણે ધંધો સંપૂર્ણપણે પ્રભાવિત થયો અને છેવટે શોરૂમ બંધ કરવો પડ્યો. પોલીસ સુધી પહોંચ્યો મામલો, સલમાને જવાબ મોકલ્યો કંપની તરફથી રાહત ન મળતા જુલાઈ 2021માં અરુણ ગુપ્તાએ ચંદીગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં સલમાન ખાન, અલવીરા ખાન, કંપનીના ડિરેક્ટરો સહિત અન્ય લોકો પર છેતરપિંડી અને ખોટો ભરોસો આપીને રોકાણ કરાવવાના આરોપો લગાવવામાં આવ્યા. પોલીસે સંબંધિત પક્ષો પાસેથી જવાબ માંગ્યો. ફરિયાદી અનુસાર, વર્ષ 2021માં પોલીસ દ્વારા નોટિસ મોકલવામાં આવતા સલમાન ખાને ઈ-મેલ દ્વારા પોતાનો જવાબ પણ મોકલ્યો હતો. પરંતુ, મામલો લાંબો ખેંચાતા અને સમાધાન ન નીકળતા ફરિયાદીએ જિલ્લા અદાલતનો સંપર્ક કર્યો. કંપની પહેલા આપી ચૂકી છે સ્પષ્ટતા આ મામલે આરોપો સામે આવ્યા પછી સ્ટાઇલ એન્ડ ક્યુન્ટેન્ટ જ્વેલરી પ્રાઇવેટ લિમિટેડે પહેલા સોશિયલ મીડિયા પર નિવેદન જારી કરીને કહ્યું હતું કે, આ મામલે સલમાન ખાનની કોઈ સીધી ભૂમિકા નથી. કંપનીનું કહેવું હતું કે, વર્ષ 2018માં મનીમાજરાના વેપારી સાથે થયેલા કરાર સાથે સલમાન ખાનનો કોઈ સંબંધ નહોતો. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, વર્ષ 2015માં સલમાન ખાન ફાઉન્ડેશને તેને બીઇંગ હ્યુમન બ્રાન્ડ હેઠળ જ્વેલરી ઉત્પાદનો વેચવાનું લાઇસન્સ આપ્યું હતું. બ્રાન્ડના સંચાલન, વેચાણ અને કારોબારની સંપૂર્ણ જવાબદારી કંપનીની હતી. 5 ઓક્ટોબરે કોર્ટમાં આગામી સુનાવણી આ મામલે ચંદીગઢ જિલ્લા કોર્ટે સલમાન ખાન, અલવીરા ખાન અને અન્ય આરોપીઓને 5 ઓક્ટોબર 2026ના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટે બધા પાસેથી ફરિયાદમાં લગાવવામાં આવેલા આરોપો પર જવાબ પણ માંગ્યો છે. જો કોઈ આરોપી પરવાનગી વગર કોર્ટમાં હાજર ન થાય, તો તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 374 પોઈન્ટ વધીને 78,955 પર બંધ:નિફ્ટી નજીવા વધારા સાથે 24,636 પર પહોંચ્યો, બેન્કિંગ શેરોમાં ખરીદી, રિયલ્ટીમાં ઘટાડો
    Next Article
    અભિજીત દીપકે દેશભરમાં ક્યા બોલતી પબ્લિક કેમ્પેન શરૂ કરશે:યુવાનોને CJP સાથે જોડાવા અપીલ; 2 છોકરાઓનું તેમના ઘરની બહાર પ્રદર્શન

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment