Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે:રિજિજુની રાહુલ ગાંધી સાથે બેઠક, સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારતું બિલ રાજ્યસભામાં પાસ

    2 days ago

    સરકાર સીમાંકન બિલને લઈને 16 થી 18 ઓગસ્ટ સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવી શકે છે. આ અંગે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ બુધવારે સંસદમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે લગભગ 50 મિનિટ બેઠક કરી અને કોંગ્રેસનો પક્ષ જાણ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિજિજુએ ગૃહમાં બિલ પર ચર્ચા કરવા માટે કોંગ્રેસ પાસેથી સહયોગ માંગ્યો. જોકે રાહુલ ગાંધીએ આ માટે સીધો ઇનકાર કરી દીધો. રાહુલ પહેલાં દાન ચોરી અને લાઠીચાર્જના મુદ્દે ચર્ચા અને જવાબ ઇચ્છે છે. આ પહેલાં વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કરતા ગાંધી પ્રતિમાથી મકર દ્વાર સુધી માર્ચ કાઢી. વિપક્ષી સાંસદો 20 જુલાઈએ જંતર-મંતર પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને રામ મંદિર દાન ચોરીને લઈને સરકારને ઘેરી રહ્યા છે. તેમની માગ છે કે ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં આવીને જવાબ આપે. આ અંગે વિપક્ષી સાંસદો લોકસભા-રાજ્યસભામાં હોબાળો કરી રહ્યા છે. સંસદ પરિસરમાં વિરોધની તસવીરો… એપ્રિલમાં પણ વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું, બિલ પસાર થઈ શક્યું નહીં સરકારે 16 થી 18 એપ્રિલ સુધી પણ સંસદનું ત્રણ દિવસીય વિશેષ સત્ર બોલાવ્યું હતું. આ દરમિયાન સીમાંકન સુધારા બંધારણ બિલ, બંધારણનું 131મું સુધારા બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદો (સુધારા) બિલ પર ચર્ચા કરવામાં આવી હતી. 18 એપ્રિલે બંધારણના 131મા સુધારા બિલ પર વોટિંગ થયું હતું પરંતુ સરકાર લોકસભામાં બિલ પસાર કરાવી શકી ન હતી. આ પછી સરકારે બાકીના બે બિલ રજૂ કર્યા ન હતા. સંસદ સંબંધિત અપડેટ્સ વાંચવા માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    યમુનોત્રી ધામમાં 6.55 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા:કઠિન ભૌગોલિક સ્થિતિ અને કુદરતી પડકારો છતાં ભક્તોનો અવિરત પ્રવાહ યથાવત
    Next Article
    'દેશમાં હવે બે પપ્પુ, નવાનો સંતોને ચોર દર્શાવાનો પ્રયાસ':દાનપેટી સાથે સંતના સ્વાંગમા વિરોધથી સાધુ સમાજની લાગણી દુભાઈ, સુરતમાં કલેક્ટર કચેરીએ 'પપ્પુ યાદવ મુર્દાબાદ'ના નારા લગાવ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment