Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રિજભૂષણ સિંહ મહિલા કુસ્તીબાજ યૌન શોષણ કેસમાં નિર્દોષ જાહેર:દિલ્હી કોર્ટે ચુકાદો સંભળાવ્યો, પૂર્વ સાંસદ બોલ્યા- મારી વિરુદ્ધ ષડયંત્ર રચાયું હતું

    6 days ago

    મહિલા કુસ્તીબાજોના યૌનશોષણ કેસમાં બ્રિજભૂષણ સિંહ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. રાઉઝ એવન્યુ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સોમવારે મહિલા કુસ્તીબાજો સાથે સંકળાયેલા યૌન શોષણ કેસમાં ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહને નિર્દોષ જાહેર કર્યા છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અશ્વિની પંવારે સવારે 10 વાગ્યે ચુકાદો સંભળાવ્યો. આ દરમિયાન કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ અને ભારતીય કુસ્તી સંઘ (WFI)ના પૂર્વ સચિવ વિનોદ તોમર કોર્ટમાં હાજર રહ્યા હતા. 2 જુલાઈ 2026ના રોજ બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ મામલો જાન્યુઆરી 2023માં સામે આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં કુલ 1133 દિવસમાં કોર્ટમાં 127 સુનાવણી થઈ છે. જેમાં 2023માં 24, 2024માં 37, 2025માં 30 અને 2026માં 36 સુનાવણીનો સમાવેશ થાય છે. બ્રિજભૂષણ 20 જુલાઈ 2023થી નિયમિત જામીન પર હતા. 10 મે 2024ના રોજ કોર્ટે દિલ્હી પોલીસની ચાર્જશીટના આધારે આરોપો ઘડ્યા હતા, ત્યારબાદ ટ્રાયલ શરૂ થઈ હતી. વધુ અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    હેલો મારો સાંભળો રણુંજાના રાય....!:સ્કોટલેન્ડમાં ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદીનો જાદુ, કોમનવેલ્થની ક્લોઝિંગ સેરેમનીમાં 'શિવ તાંડવ'-'વંદે માતરમ્' ગુંજ્યું; VIDEO
    Next Article
    સાબરકાંઠાના 7 તાલુકામાં વરસાદ નોંધાયો:ગુહાઈ જળાશયમાં પાણીની આવક ચાલુ, સરેરાશ 39.53% વરસાદ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment