Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તમે ગઝનવી અને કાસિમના અનુગામીઓ છો':ભાવનગરમાં મદ્રેસામાં શિક્ષણના નામે બાળકોના મનમાં 'ઝેર' ભરતા મૌલાનાની ધરપકડ, ડાયરીઓમાંથી સ્ફોટક લખાણ મળ્યું

    16 घंटे पहले

    ભાવનગરના સિદસર વિસ્તારમાં ગેરકાયદે મદ્રેસા ચલાવી બાળકોના મગજમાં 'ઝેર' ભરતા શફિક મરેડિયા નામના મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે. 21 જુલાઈએ ભાવનગર પોલીસે મદ્રેસા પર દરોડો પાડી કેટલાક શંકાસ્પદ લખાણ અને પુસ્તકો સાથે મૌલાનાની ધરપકડ કરવામાં આવી હતી. ઉર્દુ અને અરબીમાં લખાયેલા સાહિત્યનું ટ્રાન્સલેશન કરાતા રાષ્ટ્રીય અખંડતતાને નુકસાન પહોંચાડનારી અને ધાર્મિક વૈમનસ્ય ફેલાય તે પ્રકારની વિગત હોવાનું સ્પષ્ટ થયું છે. આ મદ્રેસા ચલાવવા માટે ભાવનગરમાં જ બે લોકો ફંડ આપતા હોવાનું ખુલતા તેની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મૌલાના દ્વારા વિશેષ સમુદાયના ગરીબ વર્ગના બાળકોને ટાર્ગેટ કરી અલગ અલગ પ્રલોભન આપી શિક્ષણના નામે અહીં બોલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.ઘટનાસ્થળે અભ્યાસ કરતા બાળકોની નોટબુક્સની તપાસ કરતા તેમાંથી પણ વાંધાજનક લખાણ મળી આવ્યા હતા. સિદસરમાં ધમધમતા ગેરકાયદે મદ્રેસાની તસવીર મદ્રેસામાં શિક્ષણના નામે બાળકોના મગજમાં 'ઝેર' ભરવાનું કામ થતું પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મદ્રેસામાંથી જે સાહિત્ય મળી આવ્યું છે તે બાળકોમાં દેશભક્તિના બદલે કટરપંથ રોપતું હોય તેવું છે. અલગ અલગ હસ્તલિખિત સાહિત્ય અને પુસ્તકોના માધ્યમથી બાળકોને જણાવવામાં આવતું હતું કે, “તમે ગઝનવી અને કાસિમના અનુગામીઓ છો”. મોહમ્મદ બિન કાસિમ, મહમૂદ ગઝનવી, જેવા ઐતિહાસિક લશ્કરી આક્રમણકારોના નામોનો ઉપયોગ કરી બાળકોના મનમાં મુજાહિદ બનવાનો જુવાળ ઊભો કરતો હતો. ડાયરીમાં સ્પષ્ટ લખીને ભય પેદા કરાતો કે, 'જો તમે જાગશો નહીં, તો બરબાદ થઈ જશો અને મૂળા-ગાજરની જેમ કાપી નાખવામાં આવશે' બાળકો અને નાગરિકોને ભારતીય બંધારણના મૂળ ભાવથી દૂર રાખીને માત્ર “બરાદરાન-એ-ઇસ્લામ” કે “મિલ્લત-એ-ઇસ્લામિયા” ના નામે સંબોધિત કરતો. (Muslim Brotherhood).ભારત દેશ માટે 'દાર-ઉલ-હરબ' (યુદ્ધની ભૂમિ) શબ્દનો ઉપયોગ કરી દેશના સાર્વભૌમત્વ અને સરકાર સામે બળવો કરવાની વિચારધારા વાવતો. રાષ્ટ્રગીત 'વંદે માતરમ' ને “ગંદું અને નાપાક” કહી, તેને ગાવાથી ઇસ્લામમાંથી બહાર થઈ જવાય તેવો ઝેરી પ્રચાર કરી બાળકોમાં દેશભક્તિને બદલે કટ્ટરપંથ રોપતો હતો. 21 તારીખે સિદસરમાં ચાલતા ગેરકાયદે મદ્રેસાનો પર્દાફાશ થયો હતો ભાવનગર ગ્રામ્યના ASP ઘનશ્યામ ગૌતમે જણાવ્યું કે, 21 જુલાઈએ સિદસર 25 વારિયા વિસ્તારમાં સર્ચ ઓપરેશન કામગીરી કરી હતી. જેમાં એક ધાર્મિક સ્ટ્રકચર મળી આવ્યું હતું.ઘટનાસ્થળેથી 26 વર્ષીય મૌલાના શફિક મરેડિયા મળી આવ્યો હતો. સ્થળની તપાસ દરમિયાન અમને ઘણા બધા એવા સાહિત્ય મળ્યા, જેમાં ખાસ કરીને બીજા ધર્મોના દેવી-દેવતાઓ માટે સારા શબ્દો નહોતા લખ્યા. પછી વધુ સાહિત્ય વાંચવામાં આવ્યું તો એ ઉર્દૂ અથવા અરબીક હોય એવું લાગતું હતું. મૌલાનાની અટક કરી પૂછપરછ કરતા તે ઓક્ટોબર 2023-2024થી અહીંયા રહે છે. ગેરકાયદે મદ્રેસા ચલાવીએક ચોક્કસ સમુદાયના બાળકોને શિક્ષણ આપતો હતો. હાઉસિંગ બોર્ડના 110,111,112 નંબરના મકાનમાં મદ્રેસા ચાલતુ હતું. નિયમ મુજબ હાઉસિંગ બોર્ડની પ્રોપર્ટી ખરીદ-વેચાણ થઈ શક્તિ નથી અને કોઈ ધાર્મિક હેતુ માટે વાપરી પણ શકાતી નથી. બાળકોની નોટબુક્સમાંથી પણ વાંધાજનક લખાણ મળ્યા ઘટનાસ્થળની તલાશી લેતા પોલીસને ઉર્દુ અને અરેબિક ભાષાના લખાણ વાળા પુસ્તકો અને સાહિત્ય મળી આવ્યું હતું. જેનું ભાષાંતર કરવામાં આવતા તેમાં ધાર્મિક વૈમનસ્ય ફેલાય તે પ્રકારનું લખાણ હોવાનું ફલિત થયું છે. બાળકોની જે નોટબુક્સ મળી આવી હતી તેમાં પણ વાંધાજનક લખાણ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ચોક્કસ સમુદાયના ગરીબ બાળકોને ટાર્ગેટ કરાતા ​શફિક ઓક્ટોબર 2024માં સિદસર આવ્યો હતો. એક સમુદાય વિશેષના લોકોને ટાર્ગેટ કરતો હતો જેઓ ખૂબ ગરીબ હોય છે. તેમને પ્રલોભન આપતો હતો કે, તમે અમારી સાથે જોડાયેલા રહો, તમારા બાળકોને અહીં મોકલતા રહો તો અમે તમને ફાઇનાન્સિયલ સપોર્ટ આપીશું અને બીજી જે મદદ હશે એ કરીશું.પોલીસે આ લોકોના પણ નિવેદન લેવાની શરૂઆત કરી છે. મૌલાનાને ફંડિંગ કરનારા બે લોકોની પૂછપરછ શરૂ શફિક મરેડિયાને ફંડિગ કરનારા બે લોકોના નામ ખૂલતા પોલીસે તેઓની પૂછપરછ શરૂ કરી છે. ASPએ વધુમાં જણાવ્યું હતું કે, જે સાહિત્ય મળ્યું છે તેમાં ખાસ કરીને વારંવાર 'રીલિજિયસ વોર' (ધાર્મિક યુદ્ધ)ની વાતો, ભેગા થવાની વાતો, અને કોઈ ગુપ્ત ફોજ/સેના બનાવવાની વાતો કરવામાં આવી છે. આ પ્રકારની વાતો કરવામાં આવી છે જે સમાજમાં કટ્ટરતા ફેલાવે છે. તેના આધારે અમે FIR નોંધી છે. આમાં અત્યાર સુધી કોઈ ટેરર મોડ્યુલ જેવું મળ્યું નથી.એ દિશામાં પણ અમારું કામ ચાલુ છે. ભરૂચ કનેક્શન પર પણ અમે તજવીજ કરી રહ્યા છીએ. મૌલાના શફિક મરેડિયા સામે વરતેજ પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 196(1)(એ),196(1)(બી),196(2), 197(1)(સી), 197(1)(ડી), 197(2), 299, 3(5) 54 મુજબ ફરિયાદ દાખલ કરી કોર્ટમાં રજૂ કરતા 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ શાકમાર્કેટમાં નિર્દોષ વાછરડી પર છરી વડે હુમલો:ઘાયલ વાછરડી પાંજરાપોળમાં સારવાર હેઠળ, હુમલાખોર સામે કડક કાર્યવાહીની માંગ
    Next Article
    ગોધરામાં વરસાદ શરૂ, વાતાવરણમાં ઠંડક પ્રસરી:ચર્ચ સર્કલ નજીક ટ્રાફિકજામ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment