Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસ્લિમ મહિલાની નામ બદલવા હાઇકોર્ટમાં અરજી:મૂળ ક્રિશ્ચન મહિલાએ મુસ્લિમ સાથે લગ્ન કર્યા, પતિનું મોત થતા ઘર છોડ્યું; મુસ્લિમ ઓળખથી બહુમતી વિસ્તારમાં કોઈ ઘર આપતું નથી

    12 hours ago

    લગ્ન પછી અપનાવેલું મુસ્લિમ નામ હટાવીને પોતાના ખ્રિસ્તી પિતૃપક્ષનું નામ પુનઃ ધારણ કરવા માટે વડોદરાના એક 66 વર્ષીય મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેઓએ ઘર મેળવવામાં પડતી સામાજિક મુશ્કેલીઓનું કારણ દર્શાવ્યું છે. આ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સંબંધિત સત્તાવાળાઓને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે કે સરકારી ગેઝેટમાં નામ બદલવાની તેમની વિનંતી શા માટે સ્વીકારવામાં આવી નહોતી? મૂળ ક્રિશ્ચન મહિલાએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા અરજદાર જેઓ કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારી અને વિધવા છે, તેમનો જન્મ ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. પરંતુ મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કર્યા પછી તેમણે મુસ્લિમ ઓળખ અપનાવી હતી. વર્ષ 2021 માં તેમના પતિના અવસાન પછી, તેમણે સાસરું છોડી દીધું હતું અને પોતાના પિતૃપક્ષના મૂળ સાથે ફરી જોડાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમણે દાવો કર્યો છે કે મુસ્લિમ નામ હોવાને કારણે વડોદરાના બિન-મુસ્લિમ વિસ્તારોમાં મકાન મેળવવામાં તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નામ બદલવાની જાહેરાત છાપવાની વિનંતી સત્તાવાળાઓએ ફગાવી તેમના વકીલના જણાવ્યા અનુસાર આ પરિસ્થિતિઓએ તેમને તેમનું મૂળ નામ પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કર્યા છે, જે તેમની ખ્રિસ્તી ઓળખ દર્શાવે છે. સરકારી ગેઝેટમાં નામ બદલવાની જાહેરાત છાપવાની વિનંતી સત્તાવાળાઓએ ફગાવી દીધા બાદ મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. સત્તાવાળાઓએ તેમને જણાવ્યું હતું કે છૂટાછેડાના હુકમનામા વિના તેઓ પોતાનું નામ બદલી શકતા નથી અને તેમના પિતાનું નામ તથા મૂળ અટક સરનામ તરીકે અપનાવી શકતા નથી. પોતાની અરજીમાં મહિલાએ જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત નામ બદલવાનો હેતુ કોઈ સિવિલ કે ફોજદારી જવાબદારીમાંથી છટકવાનો નથી, પરંતુ તે સંપૂર્ણપણે સામાજિક પરિસ્થિતિઓથી પ્રેરિત છે. એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેમણે પતિનું ઘર છોડી દીધું છે અને તેમની મિલકતો પરના પોતાના તમામ હક જતા કર્યા છે. મહિલાને બિન-મુસ્લિમ વિસ્તારમાં મકાન મેળવવામાં મુશ્કેલી આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ વિનંતીના કારણો અંગે વધુ સ્પષ્ટતા માંગી હતી, જેના પગલે તેમના વકીલે પ્રસ્તાવિત ફેરફાર પાછળના કારણોની વિગતવાર માહિતી આપતું વધારાનું એફિડેવિટ દાખલ કર્યું હતું, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેમને બિન-મુસ્લિમ વિસ્તારમાં મકાન મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. હાઈકોર્ટે સંબંધિત વિભાગોને નોટિસ ફટકારી જવાબ માંગ્યો એફિડેવિટ ધ્યાને લીધા પછી હાઇકોર્ટે નોંધ્યું હતું કે અરજદાર દ્વારા દર્શાવવામાં આવેલા કારણો સામાજિક પ્રકૃતિના છે. રાજ્ય સરકાર, ગવર્નમેન્ટ પ્રિન્ટિંગ અને સ્ટેશનરી નિયામક, અને રાજકોટ સ્થિત ગવર્નમેન્ટ પ્રેસ અને સ્ટેશનરીને નોટિસ ફટકારીને કોર્ટે 27 ઓગસ્ટ સુધીમાં તેમના જવાબો માંગ્યા છે.
    Click here to Read More
    Previous Article
    નબળું કામ થશે તો ભાજપના નેતાઓને શું જવાબ આપીશું?:સરખેજમાં અધિકારીઓની મનમાની અને રજાના કારણે કામો ટલ્લે ચડ્યા, ભાજપના કોર્પોરેટરે પત્ર લખવો પડ્યો
    Next Article
    Iran Shifted Nuclear Centrifuges To Pickaxe Mountain: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment