Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઋષભની 'પ્રાઇડ ઓફ ભારત'માં હોલીવુડ જેવું એક્શન!:છત્રપતિ શિવાજી મહારાજની વાર્તાને ભવ્ય બનાવવા માર્ક હેન્સન સહિત ઇન્ટરનેશનલ એક્શન ટીમ જોડાઈ

    14 hours ago

    ફિલ્મ નિર્માતા સંદીપ સિંહ તેમની આગામી મોટી ઐતિહાસિક ફિલ્મ ‘ધ પ્રાઈડ ઓફ ભારત: છત્રપતિ શિવાજી મહારાજ’ને મોટા પાયે બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મમાં 'કાંતારા' ફેમ સાઉથ સ્ટાર ઋષભ શેટ્ટી છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવતો જોવા મળશે. હવે આ ફિલ્મને વધુ ખાસ બનાવવા માટે મેકર્સે આંતરરાષ્ટ્રીય સ્તરની એક્શન ટીમને સામેલ કરી છે, જે ફિલ્મના યુદ્ધ અને એક્શન સીન્સને શાનદાર બનાવવાનું કામ કરશે. યુદ્ધના દ્રશ્યોને ભવ્ય બનાવાશે આ પીરિયડ ફિલ્મને ભવ્ય બનાવવા માટે જે ટીમ જોડવામાં આવી છે, તે ફિલ્મના યુદ્ધ અને એક્શન સીન્સ તૈયાર કરવામાં લાગી ગઈ છે. લોકપ્રિય સિરીઝ ‘ગેમ ઓફ થ્રોન્સ’ ઉપરાંત ‘વાઈકિંગ્સ’, ‘ધ વિચર’ અને ઓસ્કર વિજેતા ફિલ્મ ‘ગ્રેવીટી’માં તેમના એક્શન ડિઝાઈન માટે જાણીતા માર્ક હેન્સન તેના એક્શનની કમાન સંભાળશે. હોલીવુડના વધુ બે અનુભવી સામેલ ફિલ્મની એક્શન ટીમમાં હોલીવુડના વધુ બે અનુભવી નામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલા વ્લાદ રિમબર્ગ, જેમણે ‘ધ ફેટ ઓફ ધ ફ્યુરિયસ’, ‘બ્લડશોટ’ અને ‘લ્યુસિફર’ જેવા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે, બીજા ક્રેગ મેક્રે છે, જેઓ ‘ટ્રોય: ફોલ ઓફ અ સિટી’ માટે જાણીતા રહ્યા છે. મેકર્સનો દાવો છે કે, આ ટીમ ભારતીય ઐતિહાસિક સિનેમાના સૌથી મોટા યુદ્ધ દ્રશ્યોમાંથી એક તૈયાર કરશે. વિવેક ઓબેરોય મુઘલ સમ્રાટ ઔરંગઝેબના રોલમાં જોવા મળશે લગભગ 500 કરોડ રૂપિયાના બજેટમાં બની રહેલી આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. ઋષભ ઉપરાંત, તેમાં અર્જુન રામપાલ, વિવેક ઓબેરોય અને શેફાલી શાહ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા જોવા મળશે. ફિલ્મમાં શેફાલી તેમના માતા રાજમાતા જીજાબાઈના પાત્રમાં જોવા મળશે, જ્યારે વિવેક મુઘલ સમ્રાટ ઔરંગઝેબની ભૂમિકા ભજવી રહ્યો છે. જ્યારે અર્જુન ફિલ્મના મુખ્ય વિલન તરીકે દેખાશે. મેકર્સનો દાવો છે કે, તમામ પાત્રોને ઐતિહાસિક સંદર્ભોને અનુરૂપ મોટા પાયે પડદા પર ઉતારવામાં આવશે. મોટાભાગનું શૂટિંગ મહારાષ્ટ્રના ઐતિહાસિક કિલ્લાઓમાં થશે ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મહારાષ્ટ્રના વિવિધ ઐતિહાસિક કિલ્લાઓ અને સ્થળોએ કરવામાં આવશે, જ્યાં છત્રપતિ શિવાજી મહારાજે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. નિર્માતાઓનો ઉદ્દેશ્ય યુદ્ધ, કિલ્લાઓ અને ઐતિહાસિક વાતાવરણને વાસ્તવિકતાની નજીક બતાવવાનો છે. આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી, કન્નડ, તમિલ, તેલુગુ અને મરાઠી સહિત અનેક ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય ભારતીય દર્શકોની સાથે આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચવાનો છે. આ ફિલ્મ 21 જાન્યુઆરી 2027ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ શકે છે. છત્રપતિ પર અત્યાર સુધી ફિલ્મ અને ટીવીમાં 60થી વધુ પ્રોજેક્ટ્સ બની ચૂક્યા છે 17મી સદીમાં મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરનાર છત્રપતિ શિવાજી મહારાજ ભારતીય ઇતિહાસના સૌથી પ્રેરણાદાયક યોદ્ધાઓમાંના એક ગણાય છે. તેમના જીવન પર અત્યાર સુધી ફિલ્મ અને ટેલિવિઝનમાં 60થી વધુ પ્રોજેક્ટ્સ બની ચૂક્યા છે. તેની શરૂઆત 1923માં આવેલી મૂક ફિલ્મ ‘સિંહગઢ’થી થઈ હતી. નિર્માતાઓનું કહેવું છે કે ‘ધ પ્રાઇડ ઓફ ભારત: છત્રપતિ....’ આ ઐતિહાસિક વારસાને નવા સ્તરે દર્શકો સુધી પહોંચાડશે.
    Click here to Read More
    Previous Article
    ગિફ્ટ-સિટીએ ફિનટેક લીડર્સ તૈયાર કરવા 'યંગ બિલ્ડર્સ પ્રોગ્રામ' શરૂ કર્યો:ટોપ ત્રણ સ્ટાર્ટઅપ્સને આઈએફએસસીએ ફિનટેક સેન્ડબોક્સમાં સીધી એન્ટ્રી મળશે
    Next Article
    ઘર ખૂલ્લું રાખી દારૂ વેચતા હત્યાના આરોપીને પોલીસે દબોચ્યો:કાપોદ્રા પોલીસે રેડ કરી ₹5.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, મિત્રના ઝઘડાનું સમાધાન કરવા ગયેલા યુવકની હત્યામાં આરોપી સામેલ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment