Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'વીરે પ્રીતમ બનવા ઘણા ઓડિશન આપવા પડ્યા':રાજકુમાર હિરાણીએ દીકરાના ડેબ્યૂ માટે કોઈ શોર્ટ કટ ન લીધો; 'પ્રીતમ એન્ડ પેડ્રો'ના કિસ્સા શેર કર્યા

    3 days ago

    રાજકુમાર હિરાણીએ વેબ સિરીઝ ‘પ્રીતમ એન્ડ પેડ્રો’થી OTT ડેબ્યૂ કર્યું. આનાથી તેના દીકરા વીરનું પણ ડેબ્યૂ થયું. બોક્સ ઓફિસ પછી હવે હિરાણી OTT પર પણ ઇતિહાસ રચી રહ્યા છે. વાંચો ખાસ વાતચીત... આ વાર્તામાં એવું શું હતું કે તમે તેની સાથે જોડાવાનો નિર્ણય કર્યો? આજકાલ ટેકનોલોજી રોજિંદા જીવનનો એક ભાગ બની ગઈ છે, પરંતુ વૃદ્ધો અથવા ટેકનોલોજીથી ઓછા પરિચિત લોકો માટે તે સરળ નથી. ટ્રેનની ટિકિટ બુક કરવાથી લઈને બેન્કિંગ સુધીના દરેક કામ ઓનલાઈન થઈ ગયા છે. સાયબર ક્રાઈમની કેટલીક વાર્તાઓ વાંચ્યા પછી લાગ્યું કે, હવે ગુના કરવાની રીતો જ નહીં, તેમને ઉકેલવાની રીતો પણ બદલાઈ ગઈ છે. અહીંથી મારા મનમાં એક વાર્તા જન્મી, જેમાં એક પ્રામાણિક પોલીસ અધિકારીને અચાનક સાયબર સેલમાં મોકલી દેવામાં આવે, તો તે આ નવી દુનિયામાં પોતાને કેવી રીતે ઢાળશે અને ગુનાની તપાસ કેવી રીતે કરશે. આ પછી પ્રીતમનું પાત્ર જોડાયું, જે યુવા હેકર છે. બંનેની અલગ વિચારસરણી અને અનુભવથી એક અનોખી મિત્રતા અને રોમાંચક વાર્તા બને છે. શૂટિંગ દરમિયાન કઈ ક્ષણ વેબ સિરીઝનો સાચો જીવ લાગી? શોની સૌથી મોટી તાકાત અંતમાં આવનારું ગીત છે. તેના બોલ છે- ‘ક્યારેક કોઈની માફી માંગી લો, ક્યારેક કોઈને માફ પણ કરી દો. જિંદગીના સફરને થોડો સરળ કરી દો (કભી કિસી સે માફી માંગ લો, કભી કિસી કો માફ કર ભી દો, જિંદગી કે સફર કો આસાન કર ભી દો).’ વાર્તા લખતી વખતે મારા મનમાં એ જ પ્રશ્ન હતો કે, આખરે આપણે દર્શકોને શું કહેવા માંગીએ છીએ? હું નહોતો ઈચ્છતો કે આ માત્ર મિત્રતા, તપાસ-પડતાલ કે સાયબર ક્રાઈમ સુધી સીમિત રહી જાય. જ્યારે ‘માફી’નો આ ભાવ વાર્તાનો મૂળ વિષય બનીને સામે આવ્યો, ત્યારે લાગ્યું કે સિરીઝને તેનો સાચો આત્મા મળી ગયો. સિરીઝ સાથે જોડાયેલો કોઈ એવો કિસ્સો, જે હજુ સુધી શેર ન કર્યો હોય? ક્રિકેટ ખેલાડી વીરેન્દ્ર સેહવાગનો સિરીઝમાં ગેસ્ટ અપિયરન્સ. શૂટ દરમિયાન તેમણે પોતાનો આખો સીન એક જ ટેકમાં પરફેક્ટ કરી દીધો હતો. હું પોતે આશ્ચર્યચકિત હતો. મેં તેમને મજાકમાં કહ્યું...‘શોટ તો પરફેક્ટ છે, પણ એક વધુ ટેક કરી લઈએ. એવું લાગી રહ્યું છે કે આજે સ્કૂલની રજા વહેલી પડી ગઈ.’ મને યાદ છે કે, જ્યારે તેમને ફોન પર સંપર્ક કર્યો હતો, ત્યારે તેમને જણાવ્યું કે, સિરીઝમાં એક નાનો રોલ છે. તેમણે એક પણ ક્ષણ ગુમાવ્યા વિના જવાબ આપ્યો કે, ‘હું ફલાણી તારીખે દિલ્હી પાછો ફરી રહ્યો છું, તે જ દિવસે શૂટ કરી લઈએ.’ સેહવાગ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સુખદ રહ્યો. સામાન્ય લોકોની અસાધારણ વાર્તાઓ કહેવાનો દૃષ્ટિકોણ ક્યાંથી આવે છે? એક કહેવત છે...‘જિંદગી ત્યારે સારી લાગે છે, જ્યારે તેમાં ટકરાવ ન હોય. જ્યારે ફિલ્મ ત્યારે સારી બને છે, જ્યારે તેમાં ટકરાવ હોય.’ મારું માનવું છે કે, વાર્તાનો નાયક ભલે એક સામાન્ય માણસ હોય, પરંતુ તેનું જીવન સામાન્ય ન હોવું જોઈએ. જો વાર્તામાં સંઘર્ષ ન હોય, તો તેનો રોમાંચ અને અસર બંને ઓછા થઈ જાય છે. શું OTT એ વાર્તા કહેવાની રીત બદલી છે કે માત્ર પ્લેટફોર્મ? ફિલ્મો અને OTT ના લેખનમાં થોડો ફરક ચોક્કસ છે, પરંતુ ડ્રામા અને ઇમોશનના મૂળ સિદ્ધાંતો તે જ રહે છે. OTT પર સમય-મર્યાદા હોતી નથી. તેથી તમે લાંબી વાર્તાઓ કહી શકો છો, પાત્રોને વધુ ઊંડાણપૂર્વક રચી શકો છો. સાથે જ, દર્શકોની રુચિ જાળવી રાખવી સૌથી મોટી પડકાર હોય છે. વળી, દર્શકોને કંઈક નવું અને રોમાંચક પણ આપવું પડે છે, કારણ કે જો તેઓ કંટાળી જાય તો તેમની પાસે બીજા શો પણ ઉપલબ્ધ છે. હંમેશા અલગ વાર્તા કેવી રીતે લાવો છો? સૌથી પહેલો પ્રયાસ એ જ હોય છે કે, એવી વાર્તા મળે, જે દર્શકોએ પહેલા ક્યારેય ન જોઈ હોય. જોકે, હવે આ સરળ નથી. દર વર્ષે અઢળક ફિલ્મો અને સિરીઝ બની રહી છે. દર્શકો પાસે દુનિયાભરનું સિનેમા, ડબિંગ અને સબટાઈટલ્સમાં ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં એક નવી વાર્તા શોધવી પડકારજનક છે. આજે સૌથી મહત્વની વાત દર્શકોને અંત સુધી જકડી રાખવાની છે. સૌથી વધુ ખુશી કોઈ પ્રોજેક્ટની સફળતાથી મળે છે કે લોકોથી? એનો સૌથી મોટો માપદંડ દર્શકોની પ્રતિક્રિયા જ છે. ‘પ્રીતમ એન્ડ પેડ્રો’ પછી જેટલા સંદેશા મળ્યા, તેટલા કદાચ કોઈ ફિલ્મ પછી પણ નથી મળ્યા. ઘણા લોકોએ મને મેસેજ મોકલીને કહ્યું, ‘વિચાર્યું હતું કે ફક્ત એક એપિસોડ જોઈશું, પણ આખી રાત નીકળી ગઈ. 3 વાગ્યા સુધી જાગીને બધા છ એપિસોડ જોઈ લીધા.’ એક ફિલ્મ નિર્માતા માટે આ પ્રેમ અને પ્રશંસા જ સૌથી મોટો સંતોષ છે. દીકરા વીર સાથે કામ કરતી વખતે સૌથી વધુ ઉત્સાહ હતો કે જવાબદારી? મેં ઘણા સમય પહેલાં નિર્ણય લીધો હતો કે, હું વીરનો પહેલો પ્રોજેક્ટ ડિરેક્ટ નહીં કરું. મેં ફક્ત વાર્તા લખી અને સિરીઝનું નિર્માણ કર્યું છે. તેનું ડિરેક્શન અવિનાશ અરુણે કર્યું છે. રસપ્રદ વાત એ છે કે, વીર પહેલાં આ રોલ કોઈ અન્ય અભિનેતા કરી રહ્યા હતા. પછી કેટલીક તારીખોના મુદ્દા થયા, તો વીરે ઈચ્છા વ્યક્ત કરી કે તે આ રોલ કરવા માંગે છે. મેં કહ્યું, 'અવિનાશ સાથે વાત કરો અને ઓડિશન આપો.' પછી વીરે અવિનાશને પહેલાં પોતાનું નાટક ‘લેટર્સ ઓફ સુરેશ’ બતાવ્યું, જેનું ડિરેક્શન ફિરોઝ અબ્બાસ ખાને કર્યું છે. તેમણે સિરીઝના ઓછામાં ઓછા 15 સીન્સનું ઓડિશન કર્યું. આ સિલસિલો ઘણા દિવસો સુધી ચાલ્યો. પછી એક દિવસ અવિનાશે આવીને કહ્યું કે, 'વીર, પ્રીતમના રોલ માટે બિલકુલ પરફેક્ટ છે.' શું છે આ સિરીઝની વાર્તા ગોવાની પૃષ્ઠભૂમિ પર બનેલી આ 6-એપિસોડની સિરીઝમાં પેડ્રો (અરશદ વારસી) જૂના વિચારો ધરાવતા પોલીસકર્મી છે, જેમને સાયબર સેલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્યાં તેમની મુલાકાત પ્રીતમ (વીર હિરાણી) સાથે થાય છે, જે એક જીનિયસ એથિકલ હેકર છે. બંને મળીને અપહરણ અને સાયબર અપરાધ જેવા જટિલ કેસો ઉકેલે છે. આ સિરીઝમાં વિક્રાંત મેસી એક વિચિત્ર નકારાત્મક પાત્રમાં જોવા મળ્યો છે, જ્યારે બોમન ઈરાની અને મોના સિંહ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.
    Click here to Read More
    Previous Article
    Bharat Arun found Siraj. Now he searches for India’s next pace sensation
    Next Article
    ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી:વિદ્યાર્થીઓએ રોકેટના જીવંત પ્રયોગો નિહાળ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment