Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે જેઠ માસની અમાસ:બપોરે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો ને સૂર્યાસ્ત પછી તુલસી ક્યારે દીવો પ્રગટાવો, જાણો કયા-કયા શુભ કાર્યો કરવા

    3 days ago

    આજે (મંગળવાર, 14 જુલાઈ) જેઠ માસની અમાસ એટલે કે હલહારિણી અમાસ છે. આ પર્વ ખેડૂતો માટે વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે આ દિવસે ખેતીમાં ઉપયોગમાં લેવાતા હળ, બળદ અને અન્ય કૃષિ ઉપકરણોની પૂજા કરવાની પરંપરા છે. ખેડૂતો સારા પાક, જમીનની ફળદ્રુપતા અને ખેતીમાં સફળતાની કામનાથી આ યંત્રોનું પૂજન કરે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, જેઠ અમાસ પર ઇષ્ટદેવની પૂજા, પિતૃઓનું સ્મરણ, તર્પણ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવાની પરંપરા છે. દિવસની શરૂઆત સૂર્યદેવની પૂજાથી કરશો, તો ખૂબ શુભ રહેશે. માન્યતા છે કે આ દિવસે શ્રદ્ધાથી કરાયેલા શુભ કાર્યોથી અક્ષય પુણ્ય મળે છે, એવું પુણ્ય જેની શુભ અસર જીવનમાં જીવનભર બની રહે છે. તાંબાના લોટાથી સૂર્યને જળ ચઢાવો સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવો. તેના માટે તાંબાના લોટામાં જળ લો, જળમાં કુમકુમ, ચોખા, ફૂલ નાખી દો. ત્યારબાદ સૂર્યદેવને અર્પણ કરો અને 'ૐ સૂર્યાય નમ:' મંત્રનો જાપ કરો. ત્યારબાદ ઘરના મંદિરમાં તમારા ઇષ્ટદેવની પૂજા કરો. અમાસના દિવસે ભગવાન ગણેશ, ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, માતા દુર્ગા અને ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે વ્રત રાખવાનું વિચારી રહી હોય તો પૂજા સમયે વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. ઇષ્ટદેવના મંત્રોનો જાપ કરો અમાસના દિવસે ઉપવાસ કરો. જે લોકો નિરાહાર વ્રત ન રાખી શકે, તેઓ એક સમય ફળાહાર કરીને પણ વ્રત કરી શકે છે. પૂજામાં ભગવાનના મંત્રોનો જાપ કરવો જોઈએ. ભગવાન ગણેશ માટે શ્રી ગણેશાય નમ:, ભગવાન શિવ માટે ૐ નમ: શિવાય, ભગવાન વિષ્ણુ માટે ૐ નમો ભગવતે વાસુદેવાય અને માતા દુર્ગા માટે દુર્ગાયૈ નમ: મંત્રનો જાપ કરી શકાય છે. જો તમારી પાસે પર્યાપ્ત સમય હોય, તો ધાર્મિક ગ્રંથોનું પઠન પણ કરી શકો છો. તમારી સુવિધા અનુસાર શિવપુરાણ, વિષ્ણુપુરાણ અથવા શ્રીમદ્ભાગવત કથાના અધ્યાય વાંચી શકાય છે. આ ઉપરાંત સંતોના પ્રવચન પણ સાંભળી શકો છો. બપોરે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો અમાવસ્યા પર પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવાની વિશેષ પરંપરા છે. બપોરના લગભગ 12 વાગ્યાનો સમય પિતૃઓ માટે કરવામાં આવતા પૂજન કાર્યો માટે શુભ માનવામાં આવે છે. આને કુતપ કાળ કહે છે. આ સમયે ગાયના છાણમાંથી બનેલા છાણાને સળગાવીને ધૂપ આપવામાં આવે છે. જ્યારે છાણામાંથી ધુમાડો નીકળવાનું બંધ થઈ જાય, ત્યારે તેના પર ગોળ અને ઘી અર્પણ કરી શકાય છે. કેટલાક લોકો પિતૃઓની પ્રસન્નતા માટે ખીર-પુરીનો ભોગ પણ લગાવે છે. પિતૃઓનું સ્મરણ કરતા હથેળીમાં જળ લઈને અંગૂઠા તરફથી જળ અર્પણ કરવાની પરંપરા છે. આ પછી થોડો સમય શાંત બેસીને પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ અને 'ૐ પિતૃભ્યો નમ:' મંત્રનો જાપ કરવો જોઈએ. પિતૃઓને ધૂપ આપ્યા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ઘરની બહાર ગાય, કૂતરા અને કાગડાઓ માટે પણ ભોજન રાખવું જોઈએ. ગૌશાળામાં દાન કરવું પણ પુણ્યદાયી માનવામાં આવ્યું છે. નદી સ્નાન ન કરી શકો, તો શું કરવું? અમાવસ્યાના દિવસે ગંગા, યમુના, નર્મદા અને શિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આ દિવસે તીર્થ સ્નાન કરવાથી વ્યક્તિના જાણતા-અજાણતામાં કરેલા ખોટા કર્મોનું ફળ ઓછું થાય છે. જો કોઈ કારણસર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય, તો ઘરે જ સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકાય છે. સ્નાન કરતી વખતે બધા તીર્થો અને દેવી-દેવતાઓનું ધ્યાન કરવાથી પણ પુણ્ય પ્રાપ્ત થવાની માન્યતા છે. મંગળવાર ને અમાસનો યોગ જેઠ અમાસ અને મંગળવારના યોગમાં હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે. શ્રદ્ધા અનુસાર રામ નામનો જાપ અને સુંદરકાંડનો પાઠ પણ કરી શકાય છે. જ્યોતિષમાં મંગળવારનો કારક ગ્રહ મંગળને માનવામાં આવે છે. મંગળને ગ્રહોનો સેનાપતિ કહેવાય છે. તે મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી માનવામાં આવ્યો છે. જે લોકોની કુંડળીમાં મંગળ નબળી સ્થિતિમાં હોય છે, તેઓ મંગળ દોષને શાંત કરવા માટે મંગળવારે મંગળ દેવની પૂજા કરી શકે છે. આ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપે કરવામાં આવે છે, તેથી શિવલિંગ પર લાલ ફૂલ, લાલ ગુલાલ, બિલ્વપત્ર, ધતૂરો અને આંકડાના ફૂલ ચઢાવી શકાય છે. આ દરમિયાન 'ૐ ભોં ભૌમાય નમ:' મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. સાંજે સૂર્યાસ્ત પછી ઘરના આંગણામાં તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો. તુલસીની પરિક્રમા કરીને દેવી તુલસીને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    India News Live Updates,14 July 2026: One killed, several injured as boiler explodes at Tamil Nadu smelting factory
    Next Article
    ઝરીન ખાન પાપારાઝી પર ભડકી, કહ્યું- ફાલતુગીરી ન કરો:'હદમાં રહીને વાત કરો, સહન નહીં કરું'; ફોટોગ્રાફરે કેમેરા સામે ડ્રેસ ટ્રાય કરવાનું કહ્યું

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment