Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોકરોચ જનતા પાર્ટી'ના વિરોધ પ્રદર્શન પર દિલજીત દોસાંઝની પ્રતિક્રિયા:'હું ફક્ત કલાકાર છું, રાજકારણથી મને દૂર રાખો'; અગાઉ ખેડૂત આંદોલનનું ખૂલીને સમર્થન કર્યું હતું

    10 hours ago

    સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝે સોશિયલ મીડિયા પર એક લાઇવ સેશન દરમિયાન દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે, તે એક કલાકાર છે અને તેનું રાજકારણ કે કોઈપણ પ્રકારના પ્રદર્શન સાથે કોઈ લેવાદેવા નથી. દિલજીતે ચાહકોને અપીલ કરી છે કે, તેને આ મામલાઓથી દૂર રાખવામાં આવે. કકરોચ જનતા પાર્ટી છેલ્લા કેટલાક સમયથી નીટ (NEET) પેપર લીક મામલાને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ લાઇવમાં ફેને પૂછ્યો હતો પ્રશ્ન દિલજીત દોસાંઝે બુધવારે સાંજે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ચાહકો સાથે લાઇવ વાતચીત કરી. આ દરમિયાન એક ફેને તેને દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા પ્રદર્શનને લઈને તેનો અભિપ્રાય પૂછ્યો. આ પ્રશ્નનો જવાબ આપતા દિલજીતે કહ્યું, 'જંતર-મંતર ક્યાં છે પ્રદર્શન માટે? ભાઈ, મને પ્રદર્શન જેવી વસ્તુઓથી દૂર જ રાખો. હું એક કલાકાર છું, હું કોઈ નેતા નથી.' દિલજીતે આગળ કહ્યું કે, તેને એ વાતનો અંદાજ નથી કે લોકો તેના વિશે શું વિચારે છે, પરંતુ તે પોતાને ફક્ત મનોરંજનની દુનિયા સુધી સીમિત રાખવા માંગે છે. દુનિયામાં બધું ક્યારેય ઠીક નથી થઈ શકતું લાઇવ સેશન દરમિયાન દિલજીતે ગુરુ ગ્રંથ સાહિબની એક પંક્તિ ‘નાનક દુખિયા સબ સંસાર, સો સુખિયા જિસ નામ આધાર’નો ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું, 'જીવનમાં બધું ક્યારેય ઠીક નથી થઈ શકતું. આ દુનિયામાં બધું જ સાચું હોવું શક્ય નથી.' આ પછી તેણે વિવાદ પર સીધા બોલવાનું ટાળતા રમુજી અંદાજમાં કહ્યું, 'જે લોકો પ્રદર્શન કરી રહ્યા છે, તેમને પણ અભિનંદન અને જેમના વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યું છે, તેમને પણ અભિનંદન. મને આ વિશે વધારે કંઈ ખબર નથી.' શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી રહી છે CJP દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા આ આંદોલનનું નેતૃત્વ કકરોચ જનતા પાર્ટી (CJP) કરી રહી છે. આ સંગઠનની શરૂઆત એક ડિજિટલ સટાયર (વ્યંગ્ય) ગ્રુપ તરીકે થઈ હતી, જેના ફાઉન્ડર અભિજીત દિપકે છે. આ સંગઠન 20 જૂનથી NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અને પેપર લીક વિવાદને લઈને જંતર મંતર પર સતત પ્રદર્શન કરી રહ્યું છે. પ્રદર્શનકારીઓની માંગ છે કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદ પરથી રાજીનામું આપે. 2020માં કર્યું હતું ખેડૂત આંદોલનનું સમર્થન સોશિયલ મીડિયા પર દિલજીતના આ નિવેદન બાદ તેના જૂના સ્ટેન્ડની ચર્ચા શરૂ થઈ ગઈ છે. વર્ષ 2020-21માં થયેલા ખેડૂત આંદોલન દરમિયાન દિલજીતે ખુલ્લેઆમ ખેડૂતોનું સમર્થન કર્યું હતું. તે પોતે દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા પ્રદર્શનમાં સામેલ થવા પહોંચ્યો હતો અને આર્થિક મદદ પણ કરી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેણે રાજકીય મુદ્દાઓ પર બોલવાથી સંપૂર્ણપણે અંતર જાળવી રાખ્યું છે. આ જ વર્ષે મે મહિનામાં એક સામાજિક સંગઠને તેને રાજકારણમાં આવવાની અપીલ કરી હતી, જેને તેણે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. રાજકારણમાં આવવાની પહેલાં જ ના પાડી ચૂક્યો છે સિંગર રાજકારણમાં આવવાની ચર્ચાઓ પર દિલજીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પહેલા ટ્વિટર) પર સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેણે લખ્યું હતું કે, 'મારું કામ ફક્ત લોકોનું મનોરંજન કરવાનું છે. હું મારા આ જ ક્ષેત્રમાં ખૂબ ખુશ છું.' વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિલજીતને તાજેતરમાં ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'મૈં વાપસ આઉંગા'માં જોવા મળ્યો હતો. ભારત-પાકિસ્તાન વિભાજનની પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મને સિનેમાઘરોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તે પોતાના 'ઓરા ટૂર 2026' હેઠળ દુનિયાભરમાં મ્યુઝિક કોન્સર્ટ કરી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 579 પોઈન્ટ વધીને 77,502 પર બંધ:નિફ્ટી 170 પોઈન્ટ વધીને 24,176 પર પહોંચ્યો, IT અને ઓટો શેરોમાં ભારે ખરીદી
    Next Article
    પદ્મશ્રી વિજેતા જાણીતા કેન્સર ફિઝિશિયન ડૉ. પંકજ શાહનું અવસાન:સાંજે નવરંગપુરા સ્થિત તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળશે, 50 વર્ષથી વધુ સમય સુધી તબીબી સેવા આપી હતી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment