Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાણીપીણીની ગુણવત્તા સુધરશે:માણેકચોકથી લો ગાર્ડન સુધીના 50 હજાર લારી-ગલ્લાનો ‘ડિજિટલ મેપ’ બનશે

    23 hours ago

    ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ બનાવેલા નિયમનો 1 એપ્રિલથી અમલ થશે. નાના ફૂડ બિઝનેસ પર વ્યવસ્થિત અને ડિજિટલ દેખરેખ રહેશે. માણેચોકથી લૉ ગાર્ડન સુધીના 50 હજાર લારી-ગલ્લાનો ‘ડિજિટલ મેપ’ તૈયાર થશે. જેના કારણે ખાણીપીણીની ગુણવત્તામાં સુધારો થશે. નવા નિયમો મુજબ રૂ.1.5 કરોડ સુધીના વાર્ષિક ટર્નઓવર ધરાવતા ફૂડ બિઝનેસ માટે માત્ર નોંધણી પૂરતી રહેશે, જ્યારે રૂ.1.5 કરોડથી રૂ. 50 કરોડ સુધીના વ્યવસાય માટે રાજ્ય લાઇસન્સ અને રૂ. 50 કરોડથી વધુ માટે કેન્દ્રીય લાઇસન્સ જરૂરી રહેશે. અમદાવાદમાં અંદાજે 70 હજાર ફૂડ બિઝનેસ છે, જેમાંથી લગભગ 50 હજાર નાના લારી-ગલ્લા અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરો છે. નાના વેપારીઓ સરળ નોંધણીથી કાયદેસર રીતે વ્યવસાય કરી શકશે. મ્યુનિ. પાસે શહેરમાં કેટલા લારી-ગલ્લા છે, તેઓ ક્યાં ઊભા રહે છે અને શું વેચે છે તેની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ નહોતી. હવે મોટા પ્રમાણમાં વેપારીઓ નોંધણી કરશે ત્યારે સરકાર અને ફૂડ સેફ્ટી વિભાગ પાસે શહેરનો એક પ્રકારનો ડિજિટલ નકશો તૈયાર થશે, જેમાં સ્પષ્ટ રીતે ખબર પડશે કે કયા વિસ્તારમાં કેટલા વેન્ડર છે અને કોણ કયો ખાદ્ય પદાર્થ વેચે છે. આ ડેટા મળવાથી ચેકિંગની પ્રક્રિયા વધુ ચોક્કસ બની શકે છે. 1.5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા 50 હજારથી વધુ નાના વેપારીઓને લાઈસન્સ પ્રક્રિયામાંથી રાહત લાઈસન્સ માટેનાં નવાં ધોરણો નવા નિયમો ગ્રાહકો માટે ફાયદાકારક શહેરમાં વધુ ફૂડ બિઝનેસ કાયદેસર રીતે નોંધાયેલા રહેશે, ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા પર વધુ નિયંત્રણ રહેશે. રિસ્ક આધારિત નિરીક્ષણ વ્યવસ્થા થકી નિયમોનું પાલન વધુ અસરકારક રીતે થશે અને અનિયમિતતા સામે ઝડપી કાર્યવાહી શક્ય બનશે. - હિરેન ગાંધી, જીસીસીઆઇ ફૂડ કમિટીના પૂર્વ પ્રમુખ
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:વિવિધ છોડનાં પાનના રોગ શોધવા, માર્ગદર્શન માટે ‘હરિત રક્ષક’ એપ્લિકેશન ડિઝાઈન કરાઈ
    Next Article
    સિટી એન્કર:અમદાવાદ સહિત રાજ્યનાં 700 પોલીસ સ્ટેશન 160 IPSએ દત્તક લીધા, લોકો સાથેનો વ્યવહાર, પાણી, CCTV સહિતની સુવિધા પર નજર રાખશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment