Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોડ અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલકનું મોત:​જૂનાગઢથી આજક પરત ફરતા અકસ્માત, પરિવારમાં શોકનો માહોલ

    2 days ago

    ​જૂનાગઢથી પોતાના ગામ આજક તરફ પરત ફરી રહેલા એક આધેડને રસ્તામાં કાળ આંબી ગયો હતો. મુસાફરી દરમિયાન અચાનક એક ભયાનક ટુ-વ્હીલર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આજક ગામના વતની 50 વર્ષીય મગનભાઈ જેઠાભાઈ કાથડને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન જ તેમણે દમ તોડી દીધો હતો. અકસ્માત થતાં રોડ પર ચક્કાજામ ​મુખ્ય માર્ગ પર આ અકસ્માત સર્જાવાને કારણે થોડા સમય માટે રોડ પર ચક્કાજામ જેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના લીધે વાહનચાલકો અટવાયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. ત્યારબાદ પોલીસે આ કમનસીબ ઘટના અંગે મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનો શોકમગ્ન ​આ અણધાર્યા અકસ્માતથી મગનભાઈના પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. આધેડના મોતના સમાચાર વાયુવેગે ગામમાં પહોંચતા સમગ્ર આજક ગામમાં પણ માતમ છવાઈ ગયો છે. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આ અકસ્માત આખરે કેવી રીતે સર્જાયો અને તેની પાછળ કયા કારણો જવાબદાર હતા તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનમાં પ્રી-મોન્સૂનમાં સામાન્ય કરતાં 41% વધુ વરસાદ:ચોમાસું આગામી 3 દિવસમાં MP-UP પહોંચશે; બિહારમાં વીજળી પડવાથી 3નાં મોત
    Next Article
    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી:કમિશનરના આદેશથી જાહેર માર્ગો પરથી દબાણ દૂર કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment