Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શામળાજી મંદિરમાં અધિક માસના અંતિમ દિવસે ભક્તો ઉમટ્યા:મહિલાઓએ પિતૃમોક્ષ માટે પીપળાની પ્રદક્ષિણા કરી, હરખઘેલી થઈ નાચી, મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ

    6 days ago

    શામળાજી: પવિત્ર પુરુષોત્તમ માસ, જેને વિષ્ણુ પ્રિય માસ પણ કહેવાય છે, તેના અંતિમ દિવસે યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શન કરવા પહોંચ્યા હતા. આજે ભગવાન શામળિયાને અનોખા વસ્ત્રો, સોનાના આભૂષણો અને હીરાજડિત મુગટથી શણગારવામાં આવ્યા હતા. પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. શાસ્ત્રો અનુસાર, ભગવાન વિષ્ણુ પિતૃઓને મોક્ષ અપાવે છે. આ માન્યતાને કારણે, અધિક માસના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા હતા. મંદિર પરિસરમાં મહિલાઓએ પવિત્ર પીપળાની પ્રદક્ષિણા કરી હતી. પીપળામાં પિતૃઓનો વાસ હોવાનું મનાય છે, તેથી મહિલાઓએ પિતૃમોક્ષ માટે પ્રાર્થના કરી હતી. અધિક માસના અંતિમ દિવસે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિર પરિસરમાં મહિલાઓ ભક્તિભાવમાં લીન થઈ નાચી ઉઠી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ મર્કન્ટાઇલ બેંકે રક્તદાન કેમ્પ યોજ્યો:55મી AGMમાં સભ્યોને 12 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
    Next Article
    ભોજપરામાં જૂની અદાવતનો ઘાતકી ખેલ:પોલીસ અરજીમાં સાથે જવાની દાઝ રાખી 4 શખસનો યુવક પર હુમલો; મારી નાખવાની ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment