Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભોજપરામાં જૂની અદાવતનો ઘાતકી ખેલ:પોલીસ અરજીમાં સાથે જવાની દાઝ રાખી 4 શખસનો યુવક પર હુમલો; મારી નાખવાની ધમકી

    6 days ago

    ભાવનગર નજીક આવેલા ભોજપરા ગામે અગાઉ થયેલી એક પોલીસ અરજીની અદાવત રાખીને 4 શખ્સોએ એકસંપ થઈને એક યુવક પર હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના હાઇવે નજીક આવેલી મઢુલી પાસે બેઠેલા યુવકને શખ્સોએ ઘેરી લીધો હતો અને "અમારા વિરૂદ્ધની અરજીમાં તું કેમ સાથે ગયો હતો?" તેમ કહી બેફામ ઢીંકાપાટુનો માર માર્યો હતો. હુમલાખોરોએ જતાં-જતાં "જો પોલીસ ફરિયાદ કરીશ તો જીવતો નહીં રાખીએ" તેવી ધમકી પણ આપી હતી. આ અંગે ભોગ બનનાર યુવકે વરતેજ પોલીસ મથકમાં 4 સામે નામજોગ ગુનો દાખલ કરાવ્યો છે. મઢુલી પાસે બાઇક પર બેઠેલા યુવકને બોલાવીને ઝઘડો શરૂ કર્યો બનાવની વિગત એવી છે કે, ભોજપરા ગામે રહેતા ઉમેશભાઈ ડાયાભાઈ પરમાર (ઉં.વ. 32) ગત રાત્રે આશરે 12:30 વાગ્યાના અરસામાં ભોજપરા ગામ પાસે હાઇવે રોડ પર આવેલી એક મઢુલી નજીક પોતાની બાઇક લઈને બેઠા હતા. તે સમયે ત્યાં આવેલા આરોપી દિવ્યરાજસિંહ ભરતસિંહ ગોહિલે ઉમેશભાઈને પોતાની પાસે બોલાવ્યા હતા. ઉમેશભાઈ ત્યાં પહોંચતા જ દિવ્યરાજસિંહે અગાઉ તેમના વિરૂદ્ધ થયેલી એક પોલીસ અરજીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી. 4 શખ્સો તૂટી પડ્યા, ગામના લોકોએ વચ્ચે પડી બચાવ્યો અગાઉની અરજીમાં ઉમેશભાઈ સાથે ગયા હોવાની પાકી દાઝ અને અદાવત રાખીને દિવ્યરાજસિંહ ભરતસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ચેતનસિંહ ગોહિલ, જયપાલસિંહ ધમભા ગોહિલ અને દિવ્યરાજસિંહ લગધીરસિંહ જાડેજા નામના ચારેય શખ્સો ઉમેશભાઈ પર તૂટી પડ્યા હતા. ચારેય જણાએ ઉમેશભાઈને આડેધડ ઢીંકાપાટુનો નિર્મમ માર મારી શરીરે ઇજાઓ પહોંચાડી હતી. આ દરમિયાન રાત્રિના સમયે દેકારો અને બૂમાબૂમ થતાં ભોજપરા ગામના અન્ય લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઉમેશભાઈને વધુ માર ખાવામાંથી બચાવી લીધા હતા. વરતેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ગામના લોકો એકઠા થઈ જતાં ચારેય હુમલાખોરો ઉશ્કેરાયા હતા અને ઉમેશભાઈને ગંદી ગાળો આપી ધમકી આપી હતી કે, "હવે પછી જો અમારા વિરૂદ્ધમાં કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કરી છે, તો તને જીવતો રહેવા નહીં દઈએ અને જાનથી મારી નાખીશું." આ ધમકી આપીને ચારેય શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા. જૂન મહિનાના આ બનાવ અંગે ઉમેશભાઈ પરમારે વરતેજ પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે નવા કાયદાની કલમ BNS એક્ટ 115(2) [સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી], 351(3) [જાનથી મારી નાખવાની ધમકી], 352 [ગેરકાયદેસર અટકાયત] અને 54 મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શામળાજી મંદિરમાં અધિક માસના અંતિમ દિવસે ભક્તો ઉમટ્યા:મહિલાઓએ પિતૃમોક્ષ માટે પીપળાની પ્રદક્ષિણા કરી, હરખઘેલી થઈ નાચી, મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ
    Next Article
    નર્મદા ભાજપમાં ભડકો:PMના સુશાસનના કાર્યક્રમમાં દર્શનાબેનનું અપમાન, વોકઆઉટ સાથે રાજીનામાની ચીમકી, મનસુખ વસાવા પણ ધરણાં પર બેઠા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment