Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન:પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

    1 week ago

    જામનગરમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ચા.મ.મોઢ બ્રહ્મ જ્ઞાતિ, કંચનવાડી દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન સત્યનારાયણની પૂજા મયંકભાઈ શશિકાંતભાઈ દવે પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ કથામાં જ્ઞાતિ મંડળના પરિવારજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સંસ્થાના હોદ્દેદારો કિશોરભાઈ ભટ્ટ, બી.કે. પંડ્યા, કિરીટભાઈ પંડ્યા, નરેન્દ્રભાઈ ડી. ત્રિવેદી, હેમલભાઈ પંડ્યા, કેયુરભાઈ ત્રિવેદી, જગદીશભાઈ જાની, ભાસ્કરભાઈ દવે, ભાનુશંકર દવે, અલ્પેશ દવે તેમજ મહિલા મંડળના મીનાબેન દવે, શિલ્પાબેન પંડ્યા, વેદાંગીબેન ત્રિવેદી, કપિલાબેન ભટ્ટ, કમળાબેન દવે, મીરાબેન દવે, દીપિકાબેન પંડ્યા, હેમાબેન પંડ્યા અને કાજલબેન દવેએ આ આયોજનમાં જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે જ્ઞાતિના ભાઈઓ તથા બહેનો ઉપરાંત શાંતિનગરના ધૂન મંડળના બહેનો તથા ભાઈઓ પણ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો. કથા પૂર્ણ થયા બાદ સર્વ ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ માહિતી એન.ડી. ત્રિવેદીની યાદીમાં જણાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક:ઉંઘમાં જ 11 બાળકો સહિત 13 મોત, 14 મહિલા ઘાયલ; તાલિબાને પાક.ની નાપાક હરકતની નિંદા કરી
    Next Article
    વલસાડમાં ભારે પવન સાથે વરસાદ, આજે દક્ષિણ ગુજરાતમાં આગાહી:અમદાવાદ સહિતના શહેરોમાં આગામી બે દિવસ ગરમીનો પારો યથાવત, 16 રાજ્યોમાં મોનસૂનની એન્ટ્રી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment