Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોકલેટ ખવડાવી વડોદરાની 16 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ:ટ્રસ્ટમાં કામ માટે ગઈ ને આરોપીએ પીંખી નાખી, 6 મહિનાના ગર્ભની જાણ થતાં માતા શોકમગ્ન, બંને આરોપીની ધરપકડ

    2 days ago

    વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. દીકરીને 6 મહિનાનો ગર્ભ હોવાની જાણ થતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે મકરપુરા પોલીસે અ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. સગીરા ટ્રસ્ટમાં કામ માટે ગઈ ત્યારે આરોપીએ પીંખી નાખી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર બંને આરોપીઓને મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. આ સગીરા જ્યોતિ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં નોકરી કરતી હતી અને તે પંકજભાઈ રમેશભાઈ પરમાર (ઉ.વ.37 રહે. મ.નં 60, શ્રીજી વસાહત, દશામાતાના મંદિર પાસે, માણેજા, વડોદરા શહેર, મુળ રહે- શીનોર ગામ, તા.ડભોઈ, જી.વડોદરા) ચલાવતો હતો. આ સગીરા ટ્રસ્ટમાં કામ માટે ગઈ ત્યારે આ આરોપીએ પીંખી નાખી હતી. ગર્ભ કોનો છે તે મેડિકલ રિપોર્ટ અને FSL બાદ જ જાણી શકશે જ્યારે અન્ય આરોપી જતીન ઉર્ફે આદેશ ઇશ્વરભાઈ ગોહીલ (ઉ.વ. 20, રહે.- બ્લોક નં 26, રુમ નં 306, વી.એમ.સી. કવાટર્સ, ટીપી-13, છાણી જકાતનાકા પાસે, વડોદરા શહેર) પણ આ સગીરાના સંપર્કમાં સોશિયલ મીડિયા દ્વારા આવ્યો હતો. તેણે પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યારે આ સગીરાને હાલમાં છ માસનો ગર્ભ છે. આ ગર્ભ કોનો છે તે તો મેડિકલ રિપોર્ટ અને FSL બાદ જ જાણી શકશે. હાલમાં મકરપુરા પોલીસે બંને આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પિતાની તબિયત ખરાબ રહેવાના કારણે દીકરીએ વાત છુપાવી પીડિતાની માતાએ જણાવ્યું કે, પતિની તબિયત ખરાબ રહેતી હોવાથી દીકરીએ ડરના માર્યા ઘરે કંઈ જણાવ્યું નહોતું. તે વારંવાર પૂછતી અને દવાખાને લઈ જવાનું કહેતી, પરંતુ દીકરી ના પાડતી હતી. પરિવારે પહેલા ખાનગી હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં ખર્ચ વધુ હોવાથી છેવટે સરકારી હોસ્પિટલમાં ગયા. ત્યાં ડોક્ટરે પોલીસને જાણ કરવાનું કહેતા પરિવાર ગભરાઈને પાછો ફર્યો. પછી પતિના એક મિત્રને વાત કરતા તેમણે હિંમત આપી કે કોઈ ભૂલ નથી તો પોલીસથી ડરવાની જરૂર નથી. આથી પરિવારે મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી. આરોપીએ કંઈક ચોકલેટ જેવું ખવડાવીને સગીરા સાથે જબરદસ્તી કરી હતી માતાના જણાવ્યા અનુસાર આરોપીએ કંઈક ચોકલેટ જેવું ખવડાવીને સગીરા સાથે જબરદસ્તી કરી હતી. આ કેસમાં બે આરોપીઓ – પંકજભાઈ રમેશભાઈ પરમાર (ઉંમર 37, માણેજા વિસ્તાર) જે જ્યોતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવે છે અને જતીન ઉર્ફે આદેશ ઇશ્વરભાઈ ગોહીલ (ઉંમર 20, છાણી વિસ્તાર) ને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પંકજ પરમારે ટ્રસ્ટમાં કામ કરવા આવેલી સગીરાને ફસાવી હતી, જ્યારે જતીન ગોહીલ સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યો હતો અને તેણે પણ દુષ્કર્મ આચર્યું હતું. હાલ પીડિતા સગીરા સરકારી હોસ્પિટલમાં દાખલ છે અને તેની તબિયત સારી છે. ગર્ભ કોનો છે તે મેડિકલ રિપોર્ટ અને FSL તપાસ બાદ જાણી શકાશે. મકરપુરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને POCSO અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    MSUમાં અર્થરંગ 2026નો ત્રીજો દિવસ:બુદ્ધિપ્રધાન અને સાહિત્યિક સ્પર્ધાઓનું આયોજન કરાયું
    Next Article
    હવા પ્રદુષણ અટકાવવા કડક કાર્યવાહી:એસજી હાઇવે અને રિંગ રોડ આસપાસ 21 કન્સ્ટ્રક્શન સાઈટો ગ્રીન નેટ ન હોવાથી સીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment