Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મધ્યપ્રદેશમાં કોંગ્રેસ રાજ્યસભા ઉમેદવારનું નામાંકન રદ:કોંગ્રેસ નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં જશે, ધારાસભ્યોને લઈને બેંગલુરુ જઈ રહેલું વિમાન રનવે પરથી પાછું ફર્યું

    1 week ago

    મધ્યપ્રદેશ ક્વોટાની ત્રીજી રાજ્યસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન પત્ર રદ કરવામાં આવ્યું છે. ભાજપના વાંધા પર રિટર્નિંગ ઓફિસરે આ નિર્ણય લીધો છે. વાસ્તવમાં, ભાજપનો આરોપ છે કે મીનાક્ષીએ તેલંગાણાની હૈદરાબાદ કોર્ટમાં પેન્ડિંગ એક કેસની માહિતી નામાંકન પત્રમાં છુપાવી છે. સુપરવાઇઝરે કારણદર્શક નોટિસ જાહેર કરીને આજે સાંજ સુધીમાં જવાબ માંગ્યો હતો. આ તરફ, વિરોધ પક્ષના નેતા ઉમંગ સિંઘારે આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે- મીનાક્ષી વિરુદ્ધ કોઈ ફોજદારી કેસ નથી. તેમને કોર્ટમાંથી ફક્ત એક નોટિસ મળી હતી. નામાંકન રદ થવાના નિર્ણય વિરુદ્ધ અમે કોર્ટમાં જઈશું. નામાંકન રદ થવાની જાણ થતાં જ કોંગ્રેસના ધારાસભ્યોને લઈને બેંગલુરુ જઈ રહેલું વિમાન પણ રનવે પરથી પાછું ફર્યું. આ પહેલા ભોપાલ એરપોર્ટ ઓથોરિટીએ કોંગ્રેસના ધારાસભ્યોના વિમાનને ઉડાન ભરવાની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો હતો. તેમનું કહેવું હતું કે ફ્લાઇટને દેશમાં ઉડાન ભરવાની મંજૂરી નથી. આ અંગે પાર્ટીના વરિષ્ઠ નેતા સજ્જન સિંહ વર્માએ કહ્યું હતું કે- સરકારના ઇશારે અમારા વિમાનને કારણ વગર રોકવામાં આવી રહ્યું છે. ભોપાલ એરપોર્ટના ઇન્ચાર્જ અવસ્થી ફ્લાઇટને કારણ વગર રોકી રહ્યા છે, પરંતુ અમે જઈશું. તેમણે કહ્યું હતું કે- એરપોર્ટ ઓથોરિટી પર મોહન સરકારનું દબાણ છે. તેમનું કહેવું છે કે તમારી આ ફ્લાઇટ વિદેશ જઈ શકે છે, પરંતુ દેશની અંદર ઉડાન ભરી શકતી નથી. કેટલી મૂર્ખતાભરી વાત છે કે જે ફ્લાઇટ દિલ્હીથી ભોપાલ આવી શકે છે, તે બેંગલુરુ જઈ શકતી નથી. જુઓ, 5 તસવીરો… ઉમંગ સિંઘારનું ટ્વીટ- એક ગાંધીવાદી નારીથી ડરી ગઈ ભાજપ
    Click here to Read More
    Previous Article
    From Devil Wears Prada to the Indian offices: What the perfect first boss actually looks like
    Next Article
    સુરતમાં ભૂતિયા ડિમોલિશન મુદ્દે SMCને તાળા મારવાનો પ્રયાસ:નાસીરનગરવાસીઓનો મ્યુનિ.કમિ.ના બંગલોએ હલ્લાબોલ, તમામની અટકાયત; કોંગ્રેસે કહ્યું-ગોળી મારી દો તો પણ ઉભા નહીં થઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment