Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં શ્રીમદ્ ભાગવત કથા સંપન્ન:'ત્રિમાતૃ અભિયાન' સાથે ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરી

    1 week ago

    જામનગરમાં જુના પ્રસાદી સ્વામિનારાયણ મંદિર ખાતે તા. 1 જૂન, 2026 થી 7 જૂન, 2026 દરમિયાન શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તા વિવેકસ્વરૂપદાસજી સ્વામીજીએ વ્યાસાસનેથી રાત્રે 9 થી 11 વાગ્યે કથાનું રસપાન કરાવ્યું હતું. આ કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ, રાસોત્સવ અને રુક્ષ્મણી વિવાહ ઉત્સવ જેવા વિવિધ પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કથાની પૂર્ણાહુતિ બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરી હતી. આ કથા સાથે 'ત્રિમાતૃ અભિયાન'નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનના ત્રણ મુખ્ય ઉદ્દેશો ખેતી બચાવવી, જનેતા બચાવવી અને ગાય બચાવવી જેવા ઉચ્ચ આશયથી લોકોને જાગૃત કરવાનો હતો. આ કથાનું સફળ સંચાલન આયોજક સમિતિના જતીનભાઈ વડનગરા, ભાવેશભાઈ ટીલવા, અમરીશભાઈ વડનગરા, સંદિપભાઈ ટીલવા, જયસુખભાઈ કાચા, અભયભાઈ ધોળકિયા, દીપકભાઈ સોલંકી અને જામનગર સ્વામિનારાયણ મંદિર યુવક મંડળે કર્યું હતું. આ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન તરીકે કેયુરકુમાર ધર્મેશભાઈ જોષી, ધર્મેશભાઈ જોષી (પિતા), હીનાબહેન ડી. જોષી (માતા), કૃપાલીબહેન કે. જોષી (પત્ની) તથા નિમિષા ડી. જોષી (બહેન) રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સોલા ગૌશાળામાં પુરુષોત્તમ માસ નિમિત્તે ભાગવત પારાયણ:ઈલાબેન દેસાઈ દ્વારા દશમસ્કંધના પાઠનું રોજ પઠન
    Next Article
    "Security Guard Required Stitches": What Happened On Stokes' Nightclub Visit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment