Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપઘાત:ભુજ અને માનકુવામાં યુવાને ફાંસો ખાઈ જિંદગી ટુંકાવી લીધી

    1 week ago

    શહેરના આત્મારામ સર્કલ નજીક રહેતા 23 વર્ષીય યુવાને કોઈ કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ આત્મારામ સર્કલ નજીક રહેતા 23 વર્ષીય કિરણભાઈ હરેશભાઈ જોગીએ આત્મઘતી પગલું ભરી લીધું હતું.બનાવ સોમવારે સાડા છ વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી યુવકે કોઈ કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હતો.બનાવ બાદ તેને જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.બનાવને પગલે પોલીસે ઘટના સબંધિત ગુનો દાખલ કરવા સહીતની તજવીજ હાથ ધરી છે. માનકુવા નવાવાસ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય યુવકે પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ નવાવાસના રહેવાસી વિનોદ કુમાર દામજીભાઈ મેરીયાએ 7 જૂનના સવારે અગિયારેક વાગ્યાના અરસામાં આત્મઘાતી પગલું ભરી લીધું હતું.બનાવની જાણ થતાં જ મૃતકના પિતરાઈ ભાઈ તેમને તાત્કાલિક સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ અંગે માનકુવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી ઘટના સબંધિત વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભારતનો પરમાણુ ભંડાર વધીને 190 પર પહોંચ્યો:પ્રથમ વખત 12 પરમાણુ હથિયારો મોરચા પર તૈનાત કર્યા, 2025માં સૈન્ય ખર્ચ 92.1 અબજ ડોલર રહ્યો
    Next Article
    ચોમાસા પૂર્વે પોરબંદર ફાયર બ્રિગેડ સજ્જ:મોન્સૂન કંટ્રોલ રૂમ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment