Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોરીની ગાડીનો રંગ બદલી પોલીસને આપતા ચકમો:પશુચોરી કરતી કુખ્યાત ‘મસડા ગેંગ’ના ત્રણ સાગરીતો ઝડપાયા

    1 week ago

    વલ્લભીપુર પંથકમાં લાંબા સમયથી પશુપાલકોમાં આતંક મચાવનારી અને પશુઓની ચોરી કરતી કુખ્યાત ‘મસડા ગેંગ’ આખરે પોલીસના સકંજામાં આવી ગઈ છે. ત્રણ દિવસ અગાઉ સ્થાનિક માધ્યમોમાં માલધારીઓની વ્યથા અને પશુચોરીના આતંક અંગેની સ્ટોરી પ્રસિદ્ધ થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને વલ્લભીપુર પોલીસે ઓપરેશન પાર પાડી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણને ઝડપી લીધા હતા. ​શું હતી ઘટના? ગત તારીખ 6 જૂનના રોજ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં પશુચોરી અંગેનો ગુનો નોંધાયો હતો આ મામલે ઇન્ચાર્જ પી.આઈ. એમ.આર. ભલગરીયા અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસે ધોળકા (અમદાવાદ) તરફથી આવતી આ હાઈટેક ગેંગને ઝડપી પાડી વલ્લભીપુર પોલીસ સ્ટેશનનો ગુનો ઉકેલી કાઢ્યો છે. આરોપીઓની ​મોડસ ઓપરેન્ડી આ ગેંગની કામ કરવાની પદ્ધતિ અત્યંત શાતિર હતી આરોપીઓ રાત્રિના સમયે સ્કોર્પિયો ગાડી લઈને નીકળતા અને ખેતરો કે ઘરની બહાર બાંધેલા પશુઓની ચોરી કરી ફરાર થઈ જતા. પોલીસ પકડથી બચવા માટે તેઓ ચોરીમાં વપરાતી ગાડીનો રંગ વારંવાર બદલી નાખતા હતા. ​પોલીસે ત્રણ શખ્સોએને ઝડપી લીધા 1. ઇદ્રીશ ઉર્ફે બનો ગુલામ રસુલ મન્સૂરી (રહે. ધોળકા, અમદાવાદ) 2. ઇમરાન ઉર્ફે પોપટ યાકુબમિયા મલેક (રહે. ધોળકા, અમદાવાદ) 3. શોહેબ ઉર્ફે બિલ્લો ઘાંચી (રહે. ધોળકા, અમદાવાદ) જ્યારે ગેંગનો અન્ય એક સાગરીત ખાજા શેખ (રહે. જુહાપુરા, અમદાવાદ) હાલ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, આરોપીઓનો ​ગુનાહિત ઇતિહાસ આ ગેંગનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં મુખ્ય સૂત્રધાર ઇદ્રીશ ઉર્ફે બના સામે ચોરી, પ્રોહિબિશન, જુગાર અને પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ 20થી વધુ ગુના નોંધાયેલા છે, આ ઉપરાંત અન્ય આરોપીઓ ઇમરાન સામે 8 અને શોહેબ સામે 7 ગુનાઓ નોંધાયેલા છે, ​આ ગેંગના પર્દાફાશથી વલ્લભીપુર પંથકના માલધારીઓ અને પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.
    Click here to Read More
    Previous Article
    જગન્નાથજી રથયાત્રા અંગેની ચર્ચા-વિચારણા કરવા બેઠક યોજાઈ:ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાના આયોજન અંગે તૈયારીઓ શરૂ
    Next Article
    Days after Malad tragedy: One killed, 6 injured as BEST bus rams crane and five other vehicles in Dadar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment