Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જગન્નાથજી રથયાત્રા અંગેની ચર્ચા-વિચારણા કરવા બેઠક યોજાઈ:ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાના આયોજન અંગે તૈયારીઓ શરૂ

    1 week ago

    સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત 'જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ-ભાવનગર' દ્વારા આગામી તા.16 જુલાઈ 26 ને ગુરૂવારના રોજ ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ​આ રથયાત્રાના સુચારૂ આયોજન માટે એક મહત્વપૂર્ણ બેઠક રામવાડી ખાતે મળી હતી. આગેવાનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોની બેઠક યોજાઈ જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રાની તૈયારી એક માસ અગાઉ કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે શહેરના ભીડભંજન મહાદેવ મંદિર સામે આવેલ 'રામવાડી' ખાતે સમિતિના આગેવાનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોની બેઠક યોજાઈ હતી. ​આ બેઠકમાં રથયાત્રાના સફળ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, સમિતિના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલિયા દ્વારા ઉપસ્થિત કાર્યકર્તાઓને રથયાત્રા માટેની જુદી-જુદી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. તા.15 ને સોમવારના રોજ જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા કાર્યાલયનું ઉદ્ધાટન થશે અને જેમાં રથયાત્રાની તમામ તૈયારીઓ માટે એક માસ અગાઉ કાર્યાલયનું ઉદ્ધાટન સંતો મહંતોની ઉપસ્થિતમાં યોજાશે. બેઠકની શરૂઆતમાં સમિતિના સ્વર્ગસ્થ કાર્યકર્તા વાસુદેવભાઈ ખત્રીના દુઃખદ અવસાન અંગે બે મિનિટનું મૌન પાળી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અંતમાં સમિતિના કાર્યકારી અધ્યક્ષ પાર્થભાઈ ગોંડલિયાએ તમામ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Apple WWDC Event 2026 Live Updates: Siri’s big comeback? Apple set to showcase major AI upgrades at WWDC 2026
    Next Article
    ચોરીની ગાડીનો રંગ બદલી પોલીસને આપતા ચકમો:પશુચોરી કરતી કુખ્યાત ‘મસડા ગેંગ’ના ત્રણ સાગરીતો ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment