Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જો જમીન સરકારી, વો જમીન હમારી', ચૂંટણી વચ્ચે પ્રચંડ વિરોધ:નવસારીમાં 41 વસાહતોને ટાર્ગેટ કરાતાં આદિવાસીમાં રોષ; મનપા કચેરીએ રેલી યોજી પુનર્વસનની ઉગ્ર માંગ કરી

    2 days ago

    નવસારી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી રસ્તા પહોળા કરવાની ઝુંબેશ હેઠળ 41 જેટલી આદિવાસી વસાહતો પર ડિમોલિશનની તલવાર લટકતા આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. 'આદિવાસી જનજાગૃતિ સમિતિ'ના નેજા હેઠળ એકત્ર થયેલા પ્રચંડ માનવ મહેરામણે મનપા કચેરી સુધી વિરોધ રેલી યોજી હતી અને મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી વિરુદ્ધ આભ ગજવતા સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આ આંદોલને નવસારીના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મહાનગરપાલિકાની સીમામાં જ અસરગ્રસ્તોને ઘરની માગ સમિતિએ તંત્ર પર આકરા પ્રહાર કરતા આક્ષેપ કર્યો છે કે, દાયકાઓથી વસવાટ કરતા આદિવાસી પરિવારોને વિશ્વાસમાં લીધા વિના જ વહીવટી તંત્ર દ્વારા આડેધડ ઘર તોડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. આંદોલનકારીઓની સ્પષ્ટ અને તાર્કિક માંગ છે કે, જો શહેરના વિકાસ માટે રસ્તા પહોળા કરવા અને ઘર તોડવા અનિવાર્ય હોય, તો નવસારી મહાનગરપાલિકાની સીમામાં જ અસરગ્રસ્તોને કાયમી ધોરણે સંપૂર્ણ સુવિધા સાથેના વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી આપવામાં આવે. મતદાન પહેલાં જ સંવેદનશીલ મુદ્દો આદિવાસી સમાજના અગ્રણીઓએ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપરત કરી રજૂઆત કરી હતી કે, જે વસાહતોમાં લોકો વર્ષોથી સ્થાયી થયા છે તેમને તાત્કાલિક ધોરણે પ્રોપર્ટી કાર્ડ અને આકારણી સાથે કાયદેસરના માલિકી હક એનાયત કરવામાં આવે. આગામી ચૂંટણીના સમીકરણોમાં આ સંવેદનશીલ મુદ્દો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેમ છે. સામાજિક પ્રતિનિધિઓ સાથે પરામર્શની માગ આ આંદોલનના મુખ્ય એજન્ડામાં વર્ષો જૂના વસવાટના સ્થાને પ્રોપર્ટી કાર્ડ અને માલિકી હકની ખાતરી, કોઈપણ પ્રકારના ડિમોલિશન પૂર્વે સુવ્યવસ્થિત પુનર્વસન, કપાત બાદ બાકી રહેલી જમીન પર ઉપરના માળના બાંધકામની કાયદેસર મંજૂરી અને ભવિષ્યમાં કોઈપણ સરકારી યોજનાના અમલીકરણ પૂર્વે સામાજિક પ્રતિનિધિઓ સાથે પરામર્શનો સમાવેશ થાય છે. આદિવાસી પરિવારોમાં છત્ર છીનવાઈ જવાનો ભય વહીવટી તંત્રની આકરી કાર્યવાહીને પગલે સેંકડો આદિવાસી પરિવારોમાં પોતાનું છત્ર છીનવાઈ જવાનો ભય વ્યાપ્યો છે. પરિણામે, પોતાના અસ્તિત્વ અને અધિકારોની રક્ષા માટે આદિવાસી સમાજ હવે શાસકો અને તંત્ર સામે આરપારની લડાઈ લડવાના મૂડમાં હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    શુદ્ધ-આનંદમય જીવનનો મર્મ સમજાવતો લશ્કર વગરનો દક્ષિણ અમેરિકન દેશ કોસ્ટારિકા:સ્પેન પાસેથી સ્વતંત્રતા મેળવી, 1948માં નાગરિક યુદ્ધ બાદ મહત્વના સુધારા થયા
    Next Article
    Laskhar Co-Founder, Behind Several Terror Attacks In India, Shot In Lahore

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment