Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની ભગવતી નગર સોસાયટીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી:યજમાન પરિવારે રાસગરબા સાથે નંદલાલાને પારણામાં ઝુલાવ્યા

    1 week ago

    પાટણ શહેરની ભગવતી નગર સોસાયટીમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા દરમિયાન શુક્રવારે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીના કોમન પ્લોટમાં યજમાન ભૂમિબેન મયંકભાઈ પટેલ પરિવારના યજમાન પદે અને ધીરજભાઈ શાસ્ત્રીના વ્યાસપીઠે આ કથાનું આયોજન કરાયું છે. દરરોજ રાત્રે 8 થી 11 દરમિયાન ભક્તિમય માહોલમાં કથાનું શ્રવણ થાય છે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં યજમાન પરિવાર સહિત સોસાયટીના તમામ રહીશોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી'ના ગગનભેદી નારા સાથે રાસગરબાની રમઝટ જામી હતી અને સૌએ નંદલાલાને પારણામાં ઝુલાવવાનો લ્હાવો લીધો હતો. ભક્તિ સંગીતના સુરો વચ્ચે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થતાં સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી કૃષ્ણના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં યુજીવીસીએલ દ્વારા વીજ સલામતી સપ્તાહની ઉજવણી:ચોમાસા પૂર્વે 1 થી 7 જૂન સુધી જાગૃતિ માટે કાર્યક્રમો યોજાશે
    Next Article
    RTEના બે રાઉન્ડ બાદ પણ અમદાવાદમાં 656 બેઠકો ખાલી:ત્રીજા રાઉન્ડ માટે 8 જૂન સુધી સ્કૂલોની પુનઃપસંદગી કરી શકાશે, સૌથી વધુ હિન્દી મીડિયમમાં 440 બેઠકો ખાલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment