Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી પોલીસે અસામાજિક તત્વોને કાયદો સમજાવ્યો:ગુનાહિત પ્રવૃત્તિઓ છોડી સામાન્ય જીવન જીવવા પ્રેરણા આપી

    1 week ago

    મોરબી પોલીસે કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતા અસામાજિક તત્વોને સુધારવા માટે એક નવો અભિગમ અપનાવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (કચ્છ બોર્ડર રેન્જ) અને પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.આલ (મોરબી વિભાગ)ના માર્ગદર્શન હેઠળ આ પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.ડી.સરવૈયાએ કાર્યવાહી કરી હતી. તેમણે તેમના વિસ્તારમાં રહેતા એવા અસામાજિક તત્વોને બોલાવ્યા હતા, જેઓ અવારનવાર શરીર સંબંધિત, મિલકત સંબંધિત ગુનાઓ અને પ્રોહિબિશન પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે. પોલીસે આ તત્વો વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓની માહિતીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમને "કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો" તેવું સૂત્ર સમજાવી, સામાન્ય નાગરિકોની જેમ જીવન જીવવા માટે પ્રેરણા આપી હતી. આ પ્રયાસનો ઉદ્દેશ્ય તેમને સન્માર્ગે વાળવાનો છે.
    Click here to Read More
    Previous Article
    વાઘોડિયા રોડ પર વુડાના મકાનમાં યુવકનો આપઘાત:ખાનગી કંપનીમાં વર્કર તરીકે નોકરી કરતા ઉદેપુરના 25 વર્ષીય યુવકનો રહસ્યમય સંજોગોમાં આપઘાત
    Next Article
    મૂળ હરિયાણાના જી.એસ.મલિક રાજ્યના નવા DGP:BSF અને CISFના ADG રહી ચૂક્યા છે; રાવ CID ક્રાઇમ અને જેલ ડીજી તરીકે યથાવત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment