Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા:શિરવાણીયા, નાગલપર, ઢાંકણીયા તળાવો ભરવા ખેડૂતોની માંગ

    9 hours ago

    બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. શિરવાણીયા, ઢાકણીયા અને નાગલપર તળાવોમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જો આ તળાવો અને ચેકડેમોમાં પાણી ભરવામાં આવે તો આશરે 15 થી 20 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈ માટે મોટો લાભ મળી શકે છે. હાલ કપાસનું વાવેતર કર્યા બાદ ઓછા વરસાદ અને ભૂગર્ભ જળસ્તર નીચે જવાને કારણે કૂવા અને બોરમાં પાણી ખૂટી રહ્યા છે. પરિણામે, ખેડૂતો તેમના પાકને બચાવવા માટે ચિંતિત છે. બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈના પાણીની અછત દિવસેને દિવસે ગંભીર બની રહી છે. વિસ્તારમાં આવેલા શિરવાણીયા, ઢાકણીયા અને નાગલપર તળાવોમાં પાણી સંપૂર્ણપણે સુકાઈ ગયા છે. ખેડૂતોની માંગ છે કે સરકાર અને સંબંધિત તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરીને આ ચેકડેમો અને તળાવોમાં પાણી છોડે, જેથી વાવેતર કરેલા પાકને બચાવી શકાય અને ખેડૂતોને સિંચાઈ માટે રાહત મળી શકે. શિરવાણીયા ગામના ખેડૂત મધુભાઈ વેલાભાઈએ આ અંગે માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    Motorola Edge 70 Pro review: Refined design, great display strike the perfect balance
    Next Article
    MLA યોગેશ પટેલની આવતીકાલે અંતિમયાત્રા:ખાસવાડી સ્મશાન ખાતે પંચમહાભૂતમાં વિલીન થશે, મુખ્યમંત્રી સહિતના દિગ્ગજો હાજર રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment