Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ પટેલ કેળવણી મંડળ વિવાદ:ટ્રસ્ટીને હટાવવા વાલીઓના ઉપવાસ, MLA સંજય કોરડીયાના ચેતન ફળદુ પર દારૂ-જુગાર અને જમીન પચાવવાના ગંભીર આક્ષેપ

    1 week ago

    જૂનાગઢમાં આવેલી પ્રતિષ્ઠિત સંસ્થા પટેલ કેળવણી મંડળમાં છેલ્લા ચાર દિવસથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કાંતિ ફળદુ સામે વાલીઓએ મોરચો માંડ્યો છે. આ વિવાદમાં આજે રાજકીય ભૂકંપ ત્યારે આવ્યો જ્યારે સ્થાનિક ધારાસભ્યોએ આંદોલનકારી વાલીઓની મુલાકાત લીધી અને ટ્રસ્ટીના પરિવાર સામે ગંભીર આક્ષેપોની ઝડી વર્ષાવી. ધારાસભ્ય સંજય કોરડીયાના ચેતન ફળદુ પર પ્રહાર ધારાસભ્ય સંજય કોરડીયાએ ચેતન ફળદુના વાઇરલ વીડિયો અને તેની વર્તણૂક અંગે અત્યંત આકરા શબ્દોમાં પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે જે ચેતન ફળદુનો જે વીડિયો વાઇરલ થયો જેને લઈ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ પટેલ સમાજની લડાઈ છે. ત્યારે આ લડાઈમાં દલિત સમાજ વિશે અભદ્ર વાત કરવી અને દલિત સમાજને આ વિવાદમાં જોડવો ખૂબ જ નિંદનીય બાબત છે. આ દલિત સમાજનું અપમાન છે. જ્યારે કોઈપણ સમાજની લડાઈ હોય અન્ય કોઈ સમાજને વચ્ચે લાવવો ન જોઈએ. આ પણ વાંચો: જૂનાગઢ પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટીના પુત્રનો બેફામ વાણી વિલાસ 'ચેતન ફળદુ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ' હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખા દેશમાં વસુધૈવ કુટુંબકમ વાત કરી રહ્યા છે અને વિશ્વ એક પરિવાર છે તેવો સંદેશો આપી રહ્યા છે, ત્યારે માનવજાત એ એક જાત છે અને સમરસતાની વાત લઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલતી હોય ત્યારે દલિત સમાજ વિશે અભદ્ર વાત કરવી તે ખૂબ જ દુઃખદ વાત છે. આ વીડિયોમાં દલિત સમાજ વિશે જે બોલવામાં આવ્યું છે તેને હું વખોડી કાઢું છું અને આ મામલે ચેતન ફળદુ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી હું માંગ કરું છું. જાહેરમાં ગાળો બોલવી તે તેના સંસ્કાર છે તેમણે વધુમાં તેના વ્યક્તિગત જીવન પર પ્રહાર કરતા કહ્યું કે, આ વીડિયોમાં ગાળ બોલવાની તો હાલના સમયમાં દરેક નાના બાળકથી લઈ બધાને આવડતી હોય. પરંતુ આ રીતે ગાળો જાહેરમાં બોલવી તે તેના સંસ્કાર છે અને તેનું હલકી કક્ષાનું લોહી હોય. જેના પરિવારમાં સંસ્કાર જેવી ચીજ ન હોય એવા લોકો અભદ્ર શબ્દ વાપરી શકે અને બોલી શકે છે. એના જેવા થઈને રહીએ તો સમાજમાં એના અને બીજામાં કોઈ ફરક ન પડે. ત્યારે આ તેના સંસ્કાર છે અને તેને તેના સંસ્કાર દેખાડી દીધા છે. વ્યાજે રૂપિયા લઈ ગામના કેટલા લોકોને લૂંટી લીધા આ લડાઈ વ્યક્તિગત નથી આ સંસ્થાની લડાઈ છે. વ્યક્તિગત રીતે કોઈપણ જગ્યાએ આક્ષેપો કરાય પરંતુ દારૂ પીતો હોય જુગાર રમતો હોય તે અમને પણ ખબર છે. એ એના સંસ્કારો છે અને તે દેખાડે છે. વ્યાજે રૂપિયા લઈ ગામના કેટલા લોકોને લૂંટી લીધા એ સમાજને બધી ખબર છે. અને કેટલી રીતે સરકાર જમીનો પર કબજા કર્યા છે તે બધાને ખબર છે તે વ્યક્તિગત પ્રશ્ન છે તેમાં પડાઈ નહીં. પરંતુ આ તેના બધા ધંધાઓ બધા સમજે છે અને જ્યારે પાપનો ઘડો ભરાય ત્યારે તેની આ પરિસ્થિતિ ઉભી થાય છે. ટ્રસ્ટી મોહન દલસાણીયાનો વહીવટી ગેરરીતિનો પર્દાફાશ પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટી મોહન દલસાણીયાએ સંસ્થાની કથળતી હાલત અને મેનેજિંગ ટ્રસ્ટીની મનમાની અંગે ચોંકાવનારી વિગતો આપતા કહ્યું હતું કે, અમે છ ટ્રસ્ટીઓ નિયમિત રીતે મીટિંગમાં આવીએ છીએ. મોહનભાઈ એટલે કે મોલા પટેલના મૃત્યુ બાદ પહેલી મીટિંગમાં ચોપડા લઈ જઈ કાંતિ ફળદુએ મનફાવે તેવી મિનિટ બુક લખી નાખી હતી. મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પણ તેઓ ચડી બેઠા છે. અમે કાયદાકીય લડત આપવા વાળા માણસો છીએ તેવો કાગળિયા આપવાની પણ મનાઈ કરે છે. સમાજે વિચારવું જોઈએ કે એક સમયે આ પટેલ કેળવણી મંડળમાં 2500 દીકરીઓ ભણતી હતી ત્યારે હાલ માત્ર 600 દીકરીઓ જ આ સંસ્થામાં અભ્યાસ કરી રહી છે. આ સંસ્થામાં જ્યારે મોલા પટેલ હતા, ત્યારે 20 કરોડ રૂપિયાનો ભંડોળ મૂકીને ગયા હતા અને 14 કરોડ રૂપિયાના બોન્ડ હતા. તે બોન્ડ પાકતી રકમ એ 20 કરોડ રૂપિયા ના થયા, જે સમયે જેટલો પૈસો હતો તેમાં હાલ એક પણ રૂપિયાનો વધારો થયો નથી અને સંસ્થામાં દિન પ્રતિદિન સંખ્યા પણ ઘટતી જાય છે. દરેક યુનિટના ઓડિટ પણ જોયા તો હાલ યુનિટ નુકસાનમાં ચાલી રહ્યા છે. કાંતિભાઈ ફળદુની સૂચનાથી કોઈ કર્મચારી દરવાજો ખોલતા નથી તેમણે સંસ્થાના વિવિધ એકમો વિશે ચિંતા વ્યક્ત કરતા ઉમેર્યું કે, સારામાં સારું ઈંગ્લીશ યુનિટ કાલરીયા પણ આજે નુકસાનમાં ચાલી રહ્યું છે. ગુજરાતી યુનિટ અને ટેકનોલોજી કોલેજ પણ નુકસાનમાં ચાલી રહી છે. ત્યારે ક્યાં જઈને આ સંસ્થા અટકશે? પ્રમુખ અને વાઇસ મેનેજિંગ ટ્રસ્ટી બંને રાજીનામાં આપ્યા પરંતુ મેનેજિંગ ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુએ એ રાજીનામાની કોપી તેની પાસે દબાવીને રાખી અને અમને આપી નહીં, અને સમગ્ર મામલે અમે નોટિસ પણ પાઠવી છે કે ચાર દિવસમાં સમગ્ર મામલે મીટિંગ બોલાવવામાં આવે. કારણ કે હાલ બંને હોદ્દેદારોએ રાજીનામાં આપતા સહીના અધિકારો પણ રહ્યા નથી. પોતાની સંસ્થા હોય તેમ કર્મચારીઓને પણ દબાવવામાં આવે છે અને દરવાજો પણ સમયે ખોલવા દેવામાં આવતો નથી, મેનેજિંગ ટ્રસ્ટી પોતાની મનમાની ચલાવી રહ્યા છે. આ પટેલ સમાજની સંસ્થા છે અને ગામડે ગામડેથી અનાજ ભેગું કરી વળવાઓએ આ સંસ્થા ઊભી કરી છે. હાલ હું અહીં પટેલ કેળવણી મંડળના દરવાજા પાસે બેઠો છું, સિક્યુરિટી ને ફોન કરું છું અને દરવાજો ખખડાવ્યો પરંતુ દરવાજો ખોલવામાં આવતો નથી, પોલીસને મેં પણ ફોન કર્યો. મેનેજિંગ ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુ એ સૂચના આપવાથી અહીં કોઈ કર્મચારી દરવાજો ખોલતા નથી. વાલીઓનું આંદોલન અને આગેવાનોની મધ્યસ્થી છેલ્લા ચાર દિવસથી દીકરીઓના વાલીઓ ઉપવાસ પર છે. વાલીઓનો આક્ષેપ છે કે કાંતિ ફળદુએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું છે. આ મામલે વાલી અગ્રણી ચંદ્રેશ જારસાણીયાએ જણાવ્યું હતું કે, અમે પટેલ કેળવણી મંડળમાં ભણતી દીકરીઓના વાલીઓ અહીં છેલ્લા ચાર દિવસથી સંસ્થા સામે આંદોલન પર બેઠા છીએ અને આજે પટેલ સમાજના આગેવાનો અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા અરવિંદભાઈ લાડાણી તેમજ પટેલ કેળવણી મંડળ ના અન્ય ટ્રસ્ટીઓ અમારી મુલાકાતે આવ્યા હતા. ત્યારે આગેવાનો કાંતિભાઈ ફળદુને મળવા ગયા હતા અને તેમને કહ્યું હતું કે આવતીકાલે પટેલ કેળવણી મંડળમાં મીટિંગ બોલાવવામાં આવશે જેનો નિર્ણય લાવવામાં આવશે, પરંતુ અમારી માંગ એક જ છે કે કાંતિભાઈ ફળદુ પટેલ કેળવણી મંડળમાં મેનેજિંગ ટ્રસ્ટી પદેથી રાજીનામું આપે. સમાજ હિતમાં આગેવાનોએ માફી માંગી વિવાદ વકરતા ધારાસભ્યો અને પાટીદાર અગ્રણીઓએ મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો. સંજય કોરડીયાએ વાલીઓને શાંત પાડતા કહ્યું કે અમારી એટલી વિનંતી છે અને આ વાલીઓને કહ્યું કે કાંતિભાઈ ફળદુ વતી અમે બધા આગેવાનો માફી માંગીએ છીએ અને તમને પગે પડીએ છીએ. સમાજના નેતૃત્વ તરીકે અને આગેવાનો તરીકે અમારી ફરજ છે કે અમે વાલીઓ પાસે ભાઈ સાહેબ કરી સમાજનું ખરાબ ન થાય તેના માટે માફી માગીએ છીએ. હાલ પૂરતું વાલીઓ રાજીનામા સિવાય કોઈ વાત સ્વીકારવા તૈયાર નથી. આવતીકાલે સંસ્થામાં ટ્રસ્ટીઓ અને વાલીઓ વચ્ચે યોજાનારી મીટિંગમાં આ આંદોલનનો અંત આવશે કે વિવાદ વધુ વકરશે તેના પર સૌની નજર છે. અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી મામલે ચેતન ફળદુ વિરુદ્ધ એટ્રોસિટીની અરજી ​વંથલી તાલુકાના સાંતલપુરના યુવાન અજયકુમાર નાનજીભાઈ વાણવી દ્વારા જૂનાગઢના એક શખ્સ વિરુદ્ધ ગેરબંધારણીય અને જ્ઞાતિસૂચક અપમાનજનક શબ્દો બોલવા બદલ વંથલી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ​અરજદારના અજય વાણવી દ્વારા જૂનાગઢના રહેવાસી ચેતન કાંતિલાલ ફળદુનો એક ઓડિયો રેકોર્ડિંગ સામે આવ્યો છે. જેમાં આરોપીએ ટેલિફોનિક વાતચીત દરમિયાન અનુસૂચિત જાતિના લોકો માટે "હરિજન" જેવા અસંવિધાનિક શબ્દોનો પ્રયોગ કરી કેતન ફળદુએ અભદ્ર ટિપ્પણી કરી હોવાનો આક્ષેપ છે. આ કૃત્યથી સમગ્ર સમાજની માન-મર્યાદાને ઠેસ પહોંચી છે. ​અરજદારે આ ઓડિયો ક્લિપને પુરાવા તરીકે રજૂ કરી તેની FSL તપાસ કરાવવા અને આરોપી વિરુદ્ધ SC/ST Atrocities Act તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 હેઠળ તાત્કાલિક FIR નોંધવા માંગ કરી છે. ​આ મામલે જિલ્લા પોલીસ અધિક્ષક (SP), રેન્જ આઈ.જી. અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ સુધી લેખિત રજૂઆત કરવામાં આવી છે. સામાજિક વૈમનસ્ય ફેલાવતા આવા તત્વો સામે ઉદાહરણરૂપ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જંગ્લેશ્વરમાં હવે વહીવટી તંત્રનું બુલડોઝર ફરશે:રાજકોટમાં 400 કરોડની સરકારી જમીન પરથી 1358 દબાણ દૂર કરાશે, તંત્રની નોટિસ સામે મિલકતધારકોની અપીલ રદ
    Next Article
    મોરબીમાં ₹25 લાખની લેતીદેતીમાં ઉદ્યોગપતિના ખૂનનો પ્રયાસ:કેમ વારંવાર પૈસા માંગે છે? કહી ભાજપના પૂર્વ સદસ્યએ 2ને લોખંડના ખીલાવાળા ધોકા માર્યા, એ ડિવિઝન પોલીસે દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment