Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલા અસદના ઘર પર બુલડોઝર ફરી વળશે:તંત્રએ નોટિસ લગાવી, અડધી રાત્રે મૃતદેહને ગાઝિયાબાદમાં દફનાવવામાં આવ્યો; ત્રણ આરોપીઓની ધરપકડ

    8 hours ago

    ગાઝિયાબાદમાં 11મા ધોરણના વિદ્યાર્થી સૂર્યા ચૌહાણની હત્યાના આરોપી અસદના ઘર પર બુલડોઝર ફરી વળશે. સોમવારે પ્રશાસનની ટીમ અસદના ઘરે પહોંચી. ઘરના ગેટ પર તાળું લાગેલું હતું. આ પછી એડીએમએ ગેરકાયદેસર કબજો કરીને ઘર બનાવવા અંગેની નોટિસ દરવાજા પર ચોંટાડી દીધી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જે જમીન પર મકાન બન્યું છે, તેના પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે. અસદના પિતાએ 15 દિવસની અંદર એસડીએમ કાર્યાલયમાં પોતાનો જવાબ આપવો પડશે. સાથે જ ગેરકાયદેસર કબજો જાતે હટાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ તરફ, અસદનો મૃતદેહ રવિવારે રાત્રે પોસ્ટમોર્ટમ પછી દફનાવી દેવામાં આવ્યો. પોલીસે જણાવ્યું કે અસદના કાકાની હાજરીમાં મૃતદેહને દફનાવવામાં આવ્યો. જોકે, પોલીસે સુરક્ષા કારણોસર સ્થળ અને સમયનો ખુલાસો કર્યો નથી. ખરેખર, 28 મેના રોજ બકરી ઈદના દિવસે અસદે સૂર્યાની છરી મારીને હત્યા કરી દીધી હતી. રવિવારે વહેલી સવારે પોલીસે અસદને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. પોલીસે આ મામલે ષડયંત્ર રચવાના આરોપમાં અસદના પિતા નવાબ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. હત્યાકાંડનો પાંચમો આરોપી હજુ પણ ફરાર છે. હત્યાના પાંચમા દિવસે પણ ગાઝિયાબાદના ખોડામાં પોલીસ ફોર્સ તહેનાત છે. 3 તસવીરો- અસદના ઘરે લાગેલી નોટિસમાં શું કહેવામાં આવ્યું હતું? સૂર્યા હત્યા કેસમાં અસદના પિતા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ સૂર્યા હત્યા કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અસદના પિતા નવાબ (45), ફરહાન (19) અને આતિફ (19)નો સમાવેશ થાય છે, જે બધા ખોડાના રહેવાસી છે. ત્રણેય સામે ખોડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. વિદ્યાર્થીની માતાએ કહ્યું- બીજા આરોપીઓનું પણ એન્કાઉન્ટર કરવામાં આવે વિદ્યાર્થીની માતા સરોજે કહ્યું, મેં ફક્ત એક જ વ્યક્તિનું એન્કાઉન્ટર જોયું છે, પણ હું અસદનો ફોટો જોવા માંગુ છું. પોલીસે મને હજુ સુધી ફોટો બતાવ્યો નથી. ફોટો જોયા પછી જ મને સંતોષ થશે. બાકીના આરોપીઓને પણ આવી જ રીતે એન્કાઉન્ટરમાં મારી નાખવા જોઈએ. મારા દીકરા સાથે સાત લોકોએ આવું કર્યું. તેમના બધાના ઘર પર બુલડોઝર ફરી વળવું જોઈએ. ડીસીપીએ કહ્યું- મુખ્ય આરોપી અસદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો ડીસીપી ધવલ જયસ્વાલે જણાવ્યું હતું કે એક બાતમીદારે જાણ કરી હતી કે અસદ મિત્ર પાસેથી પૈસા લઈને શહેર છોડીને ભાગી જવાનો પ્લાન કરી રહ્યો છે. આ દરમિયાન, અસદ એક સાથી સાથે બાઇક પર આવ્યો. જ્યારે પોલીસે તેને રોકવાનો સંકેત આપ્યો, ત્યારે અસદે પોલીસકર્મીઓ પર ગોળીબાર કર્યો. પોલીસે અસદને ઘેરી લીધો હતો. તેમણે કહ્યું, પોલીસની જવાબી કાર્યવાહીમાં અસદને ગોળી વાગી હતી. તે રસ્તા પર પડી ગયો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. તેનો એક સાથી અંધારાનો લાભ લઈને ભાગી ગયો, અને શોધખોળ ચાલુ છે. એન્કાઉન્ટરમાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયો હતો. પોલીસે અસદની બાઇક અને પિસ્તોલ જપ્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    Kalita Majhi बनीं Bengal Sarkar में Mantri, कभी घरों में करती थीं काम |CM Suvendu Adhikari’s Cabinet
    Next Article
    ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે GSEBની હેલ્પલાઇન શરૂ:3થી 20 જૂન સુધી નિષ્ણાત માર્ગદર્શન,પૂરક પરીક્ષા માટે વિદ્યાર્થીઓ,વાલીઓ અને શાળાઓને મળશે ટેલિફોનિક સહાય

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment