Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આધેડનો મૃતદેહ મળ્યો‎:મસાલી ગામથી મજૂરીએ જવાનું કહી ઘરેથી નીકળેલા આધેડ બીજા દિવસે મૃત હાલતમાં મળતાં ચકચાર

    8 hours ago

    રાધનપુર તાલુકામાં એક આધેડ નો મૃતદેહ કેનાલની સાઈડમાંથી મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.મજૂરીએ જવાનું કહી ઘરેથી નીકળેલા 50 વર્ષીય વ્યક્તિ બીજા દિવસે સવારે રાધનપુર-મસાલી રોડ ઉપર કેનાલ કાંઠે મૃત હાલતમાં મળી આવતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. રાધનપુર તાલુકાના મસાલી ગામના રહેવાસી બચુભાઈ મેવાભાઈ રાવળ 11 મેના રોજ સવારે મજૂરીએ જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. જોકે સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા રાતભર શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન 12 મે નાં રોજ સવારે રાધનપુર-મસાલી રોડ ઉપર આવેલ કેનાલની સાઈડમાં એક વ્યક્તિ મૃત હાલતમાં હોવાની જાણ થતાં પરિવારજનો દોડી ગયા હતા. જ્યાં મૃતદેહ બચુભાઈ રાવળનો હોવાનું ઓળખાયું હતું. ઘટનાની જાણ થતાં રાધનપુર પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી શરૂ કરી હતી.આ અંગે રાધનપુર પોલીસ મથકે અકસ્માત મોત નોંધી કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    મહેસાણાના ખરસદામાં મારામારી ઘટના:પાણીની પાઇપલાઇન પર ટ્રેક્ટર લઈ જવાની ના પાડતાં બે ભાઈ બાખડયા
    Next Article
    હેલ્થ સેક્ટરમાં છાત્રોનું ભવિષ્ય બનશે ઉજ્જવળ:ફાયદો : ઉતર ગુજરાતના મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓઆ પોસ્ટ ગેજ્યુટ અભ્યાસક્રમ કરી હેલ્થ સેક્ટરમાં ઉજ્વળ ભવિષ્ય બનાવી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment