Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજની મેચમાં 'પંજાબ કિંગ્સ'ની જીત માટે પ્રીટિની ગોલ્ડન ટેમ્પલમાં પ્રાર્થના:શ્રદ્ધાળુઓને લંગર પીરસ્યું, પંજાબના લોકોનો આભાર માન્યો

    6 hours ago

    બોલિવૂડ એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટા તાજેતરમાં અમૃતસર સ્થિત ગોલ્ડન ટેમ્પલ (સુવર્ણ મંદિર)માં દર્શન કરવા પહોંચી હતી. તેણે ગુરુ ઘરમાં નતમસ્તક થઈને અરદાસ (પ્રાર્થના) કરી. આ દરમિયાન પ્રીટિ ઝિન્ટાની એક ઝલક મેળવવા માટે શ્રદ્ધાળુઓમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો. ઘણા લોકોએ તેની સાથે તસવીરો પણ પડાવી. સંગતને લંગરનું વિતરણ કર્યું ગુરુદ્વારા સાહિબમાં દર્શન કર્યા પછી પ્રીટિ ઝિન્ટાએ લંગર હોલમાં સેવા કરી. તેણે સંગત (લોકો)ને લંગરનું વિતરણ કર્યું. મીડિયા સાથે વાત કરતા પ્રીટિ ઝિન્ટાએ કહ્યું- ‘બાબાજીનો બોલાવો આવ્યો હતો, તેમણે બોલાવ્યા હતા, તો અમે આવી ગયા.’ તેણે જણાવ્યું કે, 11 મેના રોજ તેની 'પંજાબ કિંગ્સ' ક્રિકેટ ટીમનો મહત્વપૂર્ણ મુકાબલો છે અને તે ટીમની જીત માટે અરદાસ કરવા પહોંચી છે. તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વાહેગુરુજીની કૃપાથી તેની ટીમ શાનદાર પ્રદર્શન કરશે અને તમામ મેચ જીતવાનો પ્રયાસ કરશે અને પ્લેઓફમાં પહોંચશે. આ દરમિયાન તેણે ટીમના કેપ્ટન શ્રેયસ ઐયરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'પંજાબના લોકો તેને પ્રેમથી સરપંચ બોલાવે છે, જે ટીમ માટે ગર્વની વાત છે.' પ્રીટિ ઝિન્ટાએ પંજાબના યુવાનો અને ક્રિકેટ પ્રેમીઓનો આભાર માનતા કહ્યું કે, 'ટીમને લોકો તરફથી ભરપૂર પ્રેમ અને સમર્થન મળી રહ્યુ છે. આ જ પ્રેમ ખેલાડીઓનો મનોબળ વધારે છે અને ટીમની સૌથી મોટી તાકાત છે.' પ્રીટિની ટીમનું ટુર્નામેન્ટમાં અત્યાર સુધીનું પ્રદર્શન આ સમીકરણોથી પ્લેઓફમાં સ્થાન બનાવી શકે છે જોકે, ટીમ હજુ પણ પ્લેઓફની રેસમાં છે. IPL 2026ના તાજેતરના સમીકરણો અનુસાર, 'પંજાબ કિંગ્સ' (PBKS)ની સ્થિતિ ઘણી મજબૂત છે. તેમ છતાં, ટીમને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે આગળ પણ શાનદાર પ્રદર્શન કરવું પડશે. જો પંજાબની ટીમ તેની બાકીની તમામ 4 મેચ જીતી જાય તો તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પણ રહી શકે છે. આનાથી તેને ક્વોલિફાયર રમીને ફાઇનલમાં પહોંચવાની 2 તકો મળશે. જ્યારે, જો ટીમ ઓછામાં ઓછી 2 વધુ મેચ જીતી લે તો 17 પોઈન્ટ સાથે પણ ટોપ-4માં પોતાનું સ્થાન નિશ્ચિતપણે પાકું કરી લેશે. ટીમ આગામી 4 મેચમાંથી માત્ર 1 મેચ જીતીને પણ 15 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પ્રવેશી શકે છે, પરંતુ ત્યારે ટીમને નેટ રન રેટ (NRR) અને અન્ય ટીમો (જેમ કે RCB, RR, GT)ની મેચોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.
    Click here to Read More
    Previous Article
    The rise of the involved Indian father: How young men are redefining roles and navigating ‘Dad Guilt’
    Next Article
    કોહલી પાણીની બોટલ ચોરી ભાગ્યો!:ધોની અને પંતે પીછો કર્યો; MI સામેની મેચમાં ટિમ ડેવીડે કોને મીડલ ફિંગર બતાવી?

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment