Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દુનિયાની કોઈ શક્તિ ભારતને દબાવી શકે નહીં':સોમનાથમાં મોદી: સોમરસથી આધ્યાત્મિકતા, પરમાણુથી લઈ ભારતની શક્તિ સુધીની વાતો ને અંતે હરહર મહાદેવનો નાદ

    15 hours ago

    પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. આ તકે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ 'સોમ' (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જોરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે. ઐતિહાસિક કુંભાભિષેક અને વિશિષ્ટ પૂજા વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના 90 મીટર ઊંચા શિખર પર 11 પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું. ભક્તિ સાથે શક્તિનો સંગમ: પોખરણ અને શિવ-શક્તિ જનસભાને સંબોધતા વડાપ્રધાને આજના દિવસ (11 મે)નું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. તેમણે કહ્યું, આજે 11 મે છે, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માંગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર 'ઓપરેશન શક્તિ' સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ 'શિવ-શક્તિ' નામ આપ્યું છે. સાંસ્કૃતિક વિરાસત અને રાજનીતિ પીએમ મોદીએ સરદાર પટેલને યાદ કરતાં જણાવ્યું કે, આઝાદી બાદ સોમનાથનો જીર્ણોદ્ધાર કરવો એ ભારતનું સ્વાભિમાન હતું. તેમણે તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. "હર હર મહાદેવ"ના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું. ‘સોમનાથ અમૃતપર્વ-2026’ના કાર્યક્રમના મુખ્ય આકર્ષણો હવે જુઓ સોમનાથમાં ભક્તિ અને શક્તિના સંગમની આ તસવીરો… વડોદરામાં ‘બંગાળ થીમ’ પર સ્વાગતની તૈયારી સોમનાથના કાર્યક્રમો પૂર્ણ કરી વડાપ્રધાન વડોદરા જવા રવાના થશે. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ તેઓ પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોવાથી વડોદરામાં 'બંગાળ થીમ' પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, જ્યાં તેઓ 'સરદારધામ-3' નું લોકાર્પણ કરશે. આ પણ વાંચો, સરકારી ખજાનામાંથી સોમનાથ મંદિર બનાવવાની વિરૂદ્ધ હતા ગાંધી આ પણ વાંચો, જામનગરમાં હાલારી પાઘડી પહેરી પીએમ મોદીએ સંબોધન કર્યું આ પણ વાંચો, PM મોદી બોલ્યા, 'પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો':ભારતમાં તેલના કૂવા નથી
    Click here to Read More
    Previous Article
    નેતન્યાહૂએ કહ્યું- ઈરાનના નવા સુપ્રીમ લીડર જીવતા છે:બંકરમાં છુપાયેલા, સત્તા પર પિતા ખામેની જેવી પકડ નથી, જનતાના વિદ્રોહનો ડર સતાવી રહ્યો છે
    Next Article
    સુરતના વૃદ્ધને 28 દિવસ ‘ડિજિટલ એરેસ્ટ’ કરીને 1.47 કરોડ પડાવ્યા:નકલી CBI ઓફિસર બનીને ડરાવ્યા, અમદાવાદના ગોતામાંથી એકની ધરપકડ; બેંક ખાતામાં 2.84 કરોડના ટ્રાન્ઝેક્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment