Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ:ઇન્ટેલિજન્સ એજન્સીઓએ કહ્યું- આત્મઘાતી હુમલો થઈ શકે, ભાજપ મુખ્યાલય-સરકારી ઇમારતોની સુરક્ષા વધારી

    8 hours ago

    ઇન્ટેલિજન્સ એજન્સીઓએ દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે. ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોના આધારે આ માહિતી આપી છે. એજન્સી અનુસાર, ભાજપ મુખ્યાલય અને આસપાસની સરકારી ઇમારતોની સુરક્ષા સઘન કરવામાં આવી છે. એજન્સીઓને શંકા છે કે દીન દયાલ ઉપાધ્યાય (DDU) માર્ગ પર સ્થિત કાર્યાલયોને આત્મઘાતી હુમલાઓ, કાર બ્લાસ્ટ, ગોળીબાર અથવા IED દ્વારા નિશાન બનાવી શકાય છે. કોઈપણ ખતરાને ટાળવા માટે સુરક્ષા દળોએ દેખરેખ અને સાવચેતીના પગલાં વધારી દીધા છે. જવાનોની તૈનાતી અને સીસીટીવી સર્વેલન્સ વધ્યું પોલીસ અને સુરક્ષા દળોએ વધારાના જવાનોની તૈનાતી, ચેકિંગ અને સીસીટીવી સર્વેલન્સ વધારી દીધું છે. શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે બેરિકેડિંગ અને વાહનોની રેન્ડમ ચેકિંગની સાથે-સાથે સુરક્ષા એજન્સીઓ કોઈપણ સંભવિત ખતરાને રોકવા માટે પરસ્પર તાલમેલથી કામ કરી રહી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, સ્નિફર ડોગ યુનિટ્સ અને ક્વિક રિએક્શન ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. દિલ્હી ફાયર સર્વિસને પણ સતર્ક રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. પોલીસને સંવેદનશીલ વિસ્તારોમાં શંકાસ્પદ ગતિવિધિઓ, લાવારિસ વસ્તુઓ અને ઉભેલા વાહનો પર કડક નજર રાખવા જણાવાયું છે. 10 નવેમ્બર 2025- દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ચાલતી કારમાં વિસ્ફોટ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે 10 નવેમ્બર સાંજે 6.52 વાગ્યે આતંકી હુમલો થયો હતો. આતંકવાદીએ ચાલતી કારમાં ધમાકો કર્યો હતો. આ ધમાકામાં 13 લોકોના મોત થયા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટના તાર ટેરર ​​મોડ્યુલ સાથે જોડાયેલા હતા. જેનો ખુલાસો જમ્મુ-કાશ્મીર પોલીસે 1 દિવસ પહેલા હરિયાણાથી કર્યો હતો. પોલીસ સૂત્રો અનુસાર, આતંકવાદીઓ 6 ડિસેમ્બર, એટલે કે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરાયાની વરસીના દિવસે દિલ્હી સહિત ઘણી જગ્યાએ વિસ્ફોટ કરવા માંગતા હતા. આ માટે તેમણે 32 કારની વ્યવસ્થા કરી હતી. તેમાં બોમ્બ અને વિસ્ફોટક સામગ્રી ભરીને વિસ્ફોટ કરવાના હતા. તેમાં બ્રેઝા, સ્વિફ્ટ ડિઝાયર, ઇકોસ્પોર્ટ અને આઇ20 જેવી ગાડીઓ સામેલ હતી. ------------------------------------ આ સમાચાર પણ વાંચો… દિલ્હીમાં લાલ કિલ્લાની પાસે ચાલતી કારમાં વિસ્ફોટ:9નાં મોત; કાર હરિયાણાના નદીમે 2 વર્ષ પહેલાં સલમાનને વેચી હતી, પોલીસે અટકાયતમાં લીધો દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સાંજે 6:52 વાગ્યે એક ચાલતી કારમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એટલો ભયાવહ હતો કે નજીકના વાહનોના ચીંથરા ઉડી ગયા. વિસ્ફોટમાં 11 લોકોના મોત થયાના અહેવાલ હતા, પરંતુ ઘટનાના ત્રણ કલાક પછી ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે 8 લોકોના મોત થયા છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવાયું હતું કે 9 લોકોના મોત થયા છે. શાહે જણાવ્યું હતું કે વિસ્ફોટ i-20 કારના પાછળના ભાગમાં થયો હતો. આ કાર હરિયાણાના ગુરુગ્રામમાં સલમાનના નામે નોંધાયેલી હતી. પોલીસે સલમાનની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    વિજય આવતીકાલે તમિલનાડુના CM તરીકે શપથ લઈ શકે છે:રાજ્યપાલને 121 ધારાસભ્યોના સમર્થનનો પત્ર આપ્યો, TVK ધારાસભ્યોના રિસોર્ટની સુરક્ષા વધારી
    Next Article
    ભાવનગરમાં બે પરિવારો વચ્ચે તલવાર-ધોકા ઉછળ્યા:રૂવાપરી રોડ પર સામસામે પથ્થરમારો થતા મહિલા સહિત 7થી વધુ ઈજાગ્રસ્ત, પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment