Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂ પીધા વિના નીતુ કપૂર ઊંઘી નહોતા શકતા:રિશી કપૂરના નિધન પછી માનસિક રીતે ભાંગી પડ્યા, લોકોના ટ્રોલ કર્યા બાદ ખૂબ દુઃખી થયા

    16 hours ago

    એક્ટ્રેસ નીતુ કપૂરે તાજેતરમાં પતિ રિશી કપૂરના નિધન પછીના મુશ્કેલ સમય વિશે ખુલીને વાત કરી હતી. સોહા અલી ખાનના યૂટ્યુબ શોમાં વાતચીત દરમિયાન નીતુએ જણાવ્યું કે 2020માં રિશી કપૂરના નિધન પછી તે માનસિક રીતે ભાંગી પડી હતી. તેમણે જણાવ્યું કે રિશી કપૂરના નિધન પછી તે ઘણા મહિનાઓ સુધી આખી રાત જાગતી રહેતી હતી. ઘણીવાર આખી રાત ઊંઘ આવતી ન હતી. ધીમે-ધીમે હાલત એવી થઈ ગઈ કે દારૂ પીધા વગર તેમને ઊંઘ આવતી ન હતી. શો દરમિયાન નીતુ કપૂર તેમની પુત્રી રિદ્ધિમા કપૂર સાહની સાથે હાજર હતી. વાતચીતમાં નીતુએ કહ્યું કે લોકો તેમને ખોટી રીતે સમજી રહ્યા હતા. જ્યારે તેમણે ટીવી શો અને ફિલ્મોમાં વાપસી કરી, ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ કહ્યું કે પતિના નિધન પછી તરત જ તે કામ પર પાછી ફરી. આ વાતથી તેમને ખૂબ દુઃખ થયું. નીતુએ કહ્યું કે લોકો તેમની મજબૂરી સમજી શક્યા નહીં. તે પોતાને સંભાળવાનો અને પીડામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી હતી. 'જુગ જુગ જીઓ' દરમિયાન ખૂબ નર્વસ હતી નીતુ કપૂર નીતુએ જણાવ્યું કે ડિરેક્ટર કરણ જોહરે તેમને ફરીથી કામ શરૂ કરવા પ્રેરિત કર્યા. તેમણે કહ્યું કે ફિલ્મ ‘જુગ જુગ જીઓ’ના શૂટિંગ દરમિયાન તે ખૂબ નર્વસ હતી, પરંતુ આ જ અનુભવે તેમને ફરીથી મજબૂત બનવામાં મદદ કરી. રિશી કપૂર અને નીતુ કપૂરના લગ્ન 22 જાન્યુઆરી 1980ના રોજ થયા હતા. બંનેએ 1970 અને 1980ના દાયકામાં ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું. તેમના બે બાળકો રિદ્ધિમા કપૂર સાહની અને રણબીર કપૂર છે. રિશી કપૂરને 2018માં લ્યુકેમિયા હોવાનું નિદાન થયું હતું. સારવાર માટે તેમણે ન્યૂયોર્કમાં લગભગ એક વર્ષ વિતાવ્યું. ભારત પાછા ફર્યા પછી પણ તેમણે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તબિયત બગડવાને કારણે ડિસેમ્બર 2019માં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 30 એપ્રિલ 2020ના રોજ 67 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમની છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન’ મરણોત્તર 2022માં રિલીઝ થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    કાલોલના 70થી વધુ નાયક પરિવારો સરકારી યોજનાઓથી વંચિત:1948થી વસવાટ છતાં દસ્તાવેજોના અભાવે લાભ નથી મળતો
    Next Article
    સુરતની SBIમાં 50 લાખ લૂંટ કેસમાં આરોપીનું હાફ એન્કાઉન્ટર:કન્યાસી ગામમાં આરોપીએ પોલીસ પર બંદૂક તાણી તો પોલીસે યુપી સ્ટાઈલથી પગમાં ગોળી મારી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment