Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મમતાના ઘરમાં સુવેન્દુની 'નંદીગ્રામ'વાળી ઘેરાબંધી:દીદીનો સ્ટ્રીટ ફાઇટર જેવો જૂનો અંદાજ, લોકો બોલ્યા- દાદાનો રસ્તો મુશ્કેલ

    8 hours ago

    શરૂઆત બે ફોટાથી, અલગ તારીખો, અલગ પ્રસંગો, પરંતુ મેસેજ એક જ- મમતાની સ્ટ્રીટ ફાઈટરવાળી ઇમેજ પ્રથમ તસવીર બીજી તસવીર 2021માં મમતા નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા. પ્રચાર દરમિયાન પગમાં ઈજા થઈ. ત્યારબાદ તેઓ પહેલીવાર વ્હીલચેર પર જોવા મળ્યા. તેના પર જ બેસીને 5 કિલોમીટર લાંબો રોડ શો કર્યો. ત્યારે મમતાએ કહ્યું હતું- A wounded tiger is more dangerous, એટલે કે ઘાયલ વાઘ વધારે ખતરનાક હોય છે. ચૂંટણીમાં TMCએ 215 બેઠકો જીતીને બહુમતી સાથે સરકાર બનાવી હતી, પરંતુ મમતા નંદીગ્રામથી BJP ઉમેદવાર સુવેન્દુ અધિકારી સામે હારી ગયા હતા. પછી ભવાનીપુર બેઠક પરથી પેટાચૂંટણી લડ્યા અને જીતીને CM બન્યા. હવે ફરી ચૂંટણી છે. આજે, એટલે કે 29 એપ્રિલે બીજા ફેઝમાં 142 બેઠકો પર વોટ નાખવામાં આવી રહ્યા છે. નજર ભવાનીપુર બેઠક પર પણ છે. મુકાબલામાં એ જ બંને છે, મમતા અને સુવેન્દુ. ભવાનીપુર મમતાનું ઘર છે. અહીંથી સૌથી મોટી જીતનો રેકોર્ડ તેમના ખાતામાં છે. સુવેન્દુ અધિકારી નંદીગ્રામ ઉપરાંત ભવાનીપુરથી પણ ચૂંટણી લડી રહ્યા છે. તેઓ મમતાને ફરી હરાવશે કે દીદી અગાઉની હારનો બદલો લેશે, તે 4 મેના રોજ ખબર પડશે. ભવાનીપુરમાં મમતા કરતા વધુ એક્ટિવ રહ્યા સુવેન્દુ, એક-એક વોર્ડમાં ગયા ભવાનીપુરમાં મમતાએ સુવેન્દુની સરખામણીએ ઓછી સભાઓ કરી છે. તેઓ પ્રચાર માટે આખા બંગાળમાં એક્ટિવ રહ્યા. 8 એપ્રિલે નામાંકન બાદ ભવાનીપુરમાં 4 મોટી સભાઓ અને 3 પદયાત્રા કરી. ભાર પદયાત્રા અને નુક્કડ સભાઓ પર જ રહ્યો. ડોર ટુ ડોર કેમ્પેઈનની જવાબદારી કાર્યકર્તાઓએ સંભાળી. ત્યાં જ, સુવેન્દુએ મમતા કરતા ત્રણ ગણો વધારે સમય આપ્યો. 6 મોટી સભાઓ અને 8 રોડ શો કર્યા. ભવાનીપુરમાં 8 વોર્ડ છે અને તેમણે દરેક વોર્ડમાં ઓછામાં ઓછી એક નાની સભા અથવા પદયાત્રા ચોક્કસ કરી. ડોર ટુ ડોર કેમ્પેઈન પણ કર્યા. કુલ 30થી 40 વાર ભવાનીપુર ગયા. આની અસર જાણવા અમે ભવાનીપુરના અલગ-અલગ એરિયામાં ગયા. લોકેશન: એલ્ગિન રોડ નંદીગ્રામમાં મમતાની હાર પર લોકો બોલ્યા- પહેલવાન પણ ક્યારેક ક્યારેક હારે છે 25 એપ્રિલે મમતા પોતાના ગઢમાં પગપાળા પ્રચાર પર નીકળ્યા. એ જ જૂનો અંદાજ, સફેદ સાડી અને હવાઈ ચપ્પલ. રસ્તામાં જે મળતું, તેની સાથે હાથ મિલાવતા. લોકોને જોઈને હાથ હલાવતા. મહિલાઓને જઈને મળતા. આ રેલી એલ્ગિન રોડ વિસ્તારમાં હતી. અમે પહોંચ્યા ત્યારે તેની તૈયારી ચાલી રહી હતી. પોસ્ટર લઈને મહિલાઓ આગળ ઉભી હતી, જ્યારે પુરુષ કાર્યકર્તાઓ પાછળ હતા. આનું કારણ પૂછવા પર એક મહિલા કાર્યકર્તા બોલ્યા, ‘બંગાળના CM મહિલા છે, માં દુર્ગા મહિલા શક્તિનું પ્રતીક છે. દીદી પણ હંમેશા આગળ રહેવાનું પસંદ કરે છે.’ આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર રેપ અને મર્ડરનો ઉલ્લેખ કરવા પર બોલ્યા, ‘અમે એ કેસમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. પીડિત ડોક્ટરના માતા ચૂંટણી લડી રહ્યા છે, ભલે તેઓ બીજી પાર્ટીથી હોય, પરંતુ તેઓ ચૂંટણી જીતે. તેમને ન્યાય મળવો જોઈએ.’ થોડી વારમાં મમતા બેનર્જીની પદયાત્રા પસાર થવાની હતી. 'જય બાંગ્લા'ના નારા લાગી રહ્યા હતા. ભીડ વચ્ચે ઉભેલી એક છોકરી બોલી- ‘આ વખતે પણ મમતા બેનર્જી જ જીતશે. દાદા માટે અહીં કોઈ જગ્યા નથી. બંગાળી ભાષા અમારી ઓળખ છે. જે બંગાળી નથી જાણતા, તેઓ અહીં ટકી શકતા નથી.’ એ જ રસ્તા પર થોડા ડગલાં પાછળ ઉભેલા એક વૃદ્ધ કહે છે, મમતા હવે નહીં ચાલે. વ્યવસાયે ટીચર મધુશ્રી કૌર કહે છે કે અત્યારે બતાવી શકવું મુશ્કેલ છે કે બદલાવ આવશે કે વર્તમાન સ્થિતિ જળવાઈ રહેશે. ચૂંટણી પંચે સારું કામ કર્યું છે. તેમ છતાં લોકોમાં ડરનો માહોલ છે. ત્યાં જ, સવિતા કર્મકાર ભાર દઈને કહે છે કે કોઈ બદલાવ નહીં આવે. લોકોને દીદીની યોજનાઓનો ફાયદો મળી રહ્યો છે. કોઈએ ભૂખ્યું રહેવું પડતું નથી. યુવાનોને કામ મળ્યું છે. વિસ્તારના એક વૃદ્ધ નંદીગ્રામમાં મમતાની હાર પર હસતા બોલ્યા, ‘પહેલવાન પણ ક્યારેક ક્યારેક હારે છે. ત્યાં મિસમેનેજમેન્ટના કારણે હાર્યા હતા. આ વખતે રિઝલ્ટ સારું આવશે. વિપક્ષ માટે અહીં વધારે જગ્યા નથી.’ લોકેશન: કાલીઘાટ કાળી માંના દરબારમાં દાદા-દીદીની દસ્તક, પૂજારી બોલ્યા- દીદી જ જીતશે ભવાનીપુરમાં પ્રખ્યાત શક્તિપીઠ કાલીઘાટ છે. માં કાળીના દરબારમાં દાદા સુવેન્દુ અધિકારી અને દીદી બરાબર આશીર્વાદ માટે આવતા રહે છે. ગત વખતે બંને એક જ દિવસે 'પહેલા વૈશાખ', એટલે કે બંગાળી ન્યૂ યર પર પહોંચ્યા હતા. કાલીઘાટ મંદિરના પૂજારી રાજા કહે છે, ‘આ વખતે મમતા બેનર્જી જ જીતશે. તેઓ હંમેશા લોકોની સાથે ઉભા રહે છે. સુવેન્દુ અધિકારી માત્ર ચૂંટણીમાં જોવા મળે છે.’ મંદિર પાસે મળેલા ભવાની ટ્રાન્સજેન્ડર છે. મંદિરની આસપાસ માંગીને ગુજરાન ચલાવે છે. ભવાની કહે છે, ‘લોકડાઉન દરમિયાન સરકાર તરફથી ચોખા, દાળ અને બાકીનો જરૂરી સામાન મળ્યો હતો. તેથી હું મમતા બેનર્જીની સાથે છું.’ અહીં જ રહેતા દીપ નારાયણ વિશ્વાસ માને છે કે વિસ્તારમાં શિક્ષણનું સ્તર સારું નથી. તેથી લોકોને બદલાવનો અહેસાસ ઓછો થાય છે. ઘણા લોકો ખુલીને નથી બોલતા. ડર રહે છે કે તેમની વાતો ઉપર સુધી પહોંચી શકે છે. થોડા આગળ સ્કૂટી પર જઈ રહેલા મનોજ પાંડા મળ્યા. તેમનું માનવું છે કે આ વખતે બદલાવ થઈ શકે છે. છેલ્લા 5 વર્ષમાં મમતા બેનર્જીએ કેટલાક કામ કર્યા છે, પરંતુ પાર્ટીના બીજા નેતાઓના કામની અસર તેમની જીતના અંતર પર પડી શકે છે. પ્રસેનજીત ભવાનીપુરમાં મીઠાઈની દુકાનમાં કામ કરે છે. પ્રસેનજીત કહે છે કે અહીં BJP અને TMC બંનેના ઝંડા જોવા મળી રહ્યા છે, પરંતુ માહોલ મમતા બેનર્જીના પક્ષમાં છે. લોકેશન: હરીશ ચેટર્જી સ્ટ્રીટ મમતાના ઘરવાળા વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા, લોકો બોલ્યા- મુકાબલો રસપ્રદ છે મમતાનું ઘર કાલીઘાટની હરીશ ચેટર્જી સ્ટ્રીટ પર છે. ઘરની આસપાસ પોલીસ તૈનાત છે. અમે આસપાસના લોકો સાથે વાત કરી, પરંતુ મોટાભાગના લોકો ખુલીને ન બોલ્યા. અહીં જ મળેલા તાપસ ઘોષ જણાવે છે, ‘સામાન્ય રીતે અહીં લોકો પોતાની રાજકીય પસંદગી નથી જણાવતા.’ આ વખતે કોણ જીતી રહ્યું છે? તાપસ જવાબ આપે છે, ‘મમતાનો પાછલો રેકોર્ડ સારો છે. તેમની પાસે સરસાઈ છે. જોકે, સુવેન્દુ અધિકારીને પણ સારું સમર્થન મળી રહ્યું છે. મુકાબલો રસપ્રદ છે. હું મિત્રો સાથે આ વિશે વાત કરું છું, તો સમજાય છે કે 4 તારીખે પરિણામ આવતા પહેલા કોઈ પણ કહી શકતું નથી કે કોણ જીતશે.’ તાપસ ઘોષ દાવો કરે છે કે SIRના કારણે વોટર લિસ્ટમાંથી આશરે 40 હજાર નામ કપાયા છે. ઘણા પરિવારો એવા છે, જેમાં કેટલાક લોકોના નામ લિસ્ટમાં છે અને કેટલાકના નથી. રિઝલ્ટ પર આની અસર દેખાશે. ત્યારે જ તાપસની બાજુમાં બેઠેલા શખ્સ બોલી ઉઠે છે, ‘વડાપ્રધાન મોદીની રેલીઓમાં બહુ ભીડ આવી છે. અમે લોકો તો ટીવી પર જ આવી ભીડ જોઈએ છીએ. મીડિયાવાળા સમજી શકે છે કે આટલા લોકો ક્યાંથી આવી રહ્યા છે. લોકોની વિચારધારામાં મોટો બદલાવ આવ્યો છે. આ વખતે જીત-હારનું અંતર બહુ વધારે નહીં હોય.’ અહીં જ આગળ લોટરીની દુકાન પર કેટલાક લોકો ટિકિટ ખરીદતા મળ્યા. દુકાન ચલાવતા તપોન સુવેન્દુની જીતનો દાવો કરે છે. કહે છે, ‘આ વખતે ભવાનીપુરમાં સુવેન્દુની લોટરી લાગશે.’ દીદીથી શું નારાજગી છે? તપોન જવાબ આપે છે, ‘કારણ કે આરજી કર મામલામાં અત્યાર સુધી ઇન્સાફ મળ્યો નથી.’ એક્સપર્ટ બોલ્યા- 25% મુસ્લિમ વોટર મહત્વના, મિડલ ક્લાસ વોટરથી BJPને ફાયદો રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીના પ્રોફેસર બિસ્વનાથ ચક્રવર્તી કહે છે, ‘ભવાનીપુર મમતા બેનર્જીનું હોમ ગ્રાઉન્ડ છે. અહીંના મોટાભાગના કાઉન્સિલર TMC સાથે જોડાયેલા છે. આશરે 25% મુસ્લિમ વોટર મહત્વની ભૂમિકા ભજવે છે, તેથી શરૂઆતી સરસાઈ મમતા બેનર્જી પાસે છે. જો મિડલ ક્લાસ અને ભણેલો-ગણેલો વર્ગ મોટી સંખ્યામાં વોટ નાખવા નીકળે છે, તો મુકાબલો કડક હશે. આનાથી BJPને ફાયદો મળી શકે છે. જો પરંપરાગત વોટિંગ પેટર્ન જળવાઈ રહી, તો સ્થિતિ પહેલા જેવી જ રહેવાની શક્યતા વધારે છે.’
    Click here to Read More
    Previous Article
    પહેલીવાર જુઓ 10 હજાર વિજેતા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ:15 મનપા, 260 તા.પં., 34 જિ.પં. અને 84 નગરપાલિકામાં ક્યા ઉમેદવાર કેટલા મતે જીત્યા?
    Next Article
    In Varanasi, Modi says women reservation a national mission, blames Opposition for Bill’s defeat

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment