Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીએ કહ્યું-બંગાળની દશા અને દિશા બદલાવાની છે:વિકસિત ભારત માટે અંગ, બંગ અને કલિંગનું મજબૂત હોવું જરૂરી

    16 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં રેલી કરી. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં બંગાળની દશા અને દિશા બંને બદલાવાની છે. મોદીએ કહ્યું કે આ ચૂંટણી માત્ર બંગાળ જ નહીં, પરંતુ સમગ્ર પૂર્વ ભારતના ભવિષ્ય નક્કી કરશે. ભૂતકાળમાં જ્યારે ભારત સમૃદ્ધ હતું, ત્યારે અંગ, બંગ અને કલિંગ એટલે કે બિહાર, બંગાળ અને ઓડિશા તેના 3 મજબૂત સ્તંભ હતા. આજે વિકસિત ભારતના લક્ષ્યને પુરુ કરવા માટે આ ત્રણેય ક્ષેત્રોનું મજબૂત હોવું જરૂરી છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના જગદલમાં રવિવારે રાત્રે પીએમ મોદીની રેલી પહેલા ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પથ્થરમારો, ફાયરિંગ અને દેશી બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. ત્રણ લોકો ઘાયલ થયા હતા, જ્યારે એક CISF જવાનને પગમાં ગોળી વાગી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી જગદલના જલેબી મઠ મેદાનમાં થવાની છે. ભાજપના કાર્યકરોનો આરોપ છે કે રેલી માટે લગાવવામાં આવેલા પોસ્ટરો અને ધ્વજ ફાડી નાખવામાં આવ્યા હતા. જ્યારે તેઓ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા ત્યારે ટીએમસીના સમર્થકો ત્યાં પહોંચ્યા. પોલીસ સ્ટેશનની સામે દલીલ થઈ અને ઝપાઝપી થઈ. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ભાટપારા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર પવન કુમાર સિંહના ઘર પર પણ એક દેશી બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે થશે. બંગાળ ચૂંટણી સંબંધિત મોટા અપડેટ્સ… કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બે રોડ શો કરશે. પહેલો રોડ શો બેહાલા થાણાથી મંથન સુધીનો હશે. બીજો રોડ શો હુગલીના ચંદનનગર બાગબજારમાં હશે. મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે જાધવપુરના સુકાંત સેતુથી જાધવપુર અને ટોલીગંજ મતવિસ્તારના પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં એક જાહેર રેલીમાં જોડાશે. ત્યારબાદ તેઓ પોતાનો કાર્યક્રમ યોજશે. તેઓ ભવાનીપુર મતવિસ્તારમાં એક જાહેર સભાને સંબોધન કરશે. વડાપ્રધાન મોદીએ રવિવારે કોલકાતામાં તેમના રોડ શો પહેલા 'મા સિદ્ધેશ્વરી' નામથી ઓળખાતા મુખ્ય મંદિર થંથાનિયા કાલીબારીમાં મા કાલીના દર્શન કરીને આશાર્વાદ લીધા.
    Click here to Read More
    Previous Article
    Bengal Election 2026 : CM Mamata को मिला Sanjay Raut का साथ, PM Modi-Amit Shah को जमकर घेरा
    Next Article
    રાઘવ ચઢ્ઢા બોલ્યા-AAP ભ્રષ્ટ લોકોની પાર્ટી બની:પોતાના ફાયદા માટે કામ કરી રહ્યા, ઓફિસનું વાતાવરણ ઝેરી હોય તો કેવી રીતે કામ કરી શકશો; મારા માટે AAPમાં આવું જ હતું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment