Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાળંગપુર હનુમાનજીના દર્શન કર્યા:બોટાદ જિલ્લાના પ્રવાસનો પ્રારંભ કર્યો, ધજા અર્પણ કરી

    13 hours ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પવિત્ર યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરીને બોટાદ જિલ્લાના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન-અર્ચન કરી ધજા અર્પણ કરી હતી અને રાજ્યની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. દાદાના આશીર્વાદ લીધા બાદ મુખ્યમંત્રીએ બોટાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત 'પ્રબુદ્ધ નાગરિક સંમેલન'માં હાજરી આપી હતી. આ અવસરે તેમણે જિલ્લાના બૌદ્ધિકો અને પ્રબુદ્ધ નાગરિકોને સંબોધતા સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને ભાવિ વિઝન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ત્યારબાદ, તેમણે બોટાદ જિલ્લાની અગ્રણી સંસ્થાઓના આગેવાનો તથા પૂજ્ય સંતો સાથે ગોષ્ઠી કરી સામાજિક અને પ્રાદેશિક ઉત્થાન માટે વિચાર-વિમર્શ કર્યો હતો. આ કાર્યક્રમમાં સંતો-મહંતોની ગરિમામય હાજરી જોવા મળી હતી. જેમાં વડતાલ મંદિરના ચેરમેન સ્વામીશ્રી ડૉ. સંતવલ્લભદાસજી, ગઢપુર મંદિરના ચેરમેન શ્રી હરિજીવનદાસજી સ્વામી, સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારીશ્રી વિવેકસાગરદાસજી અને ગોકુળધામ, નાર-કુંડળ-બોટાદના શ્રી શુકદેવ સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પુષ્પહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને રાજ્યના વિકાસ માટે આશીર્વાદ પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વી.એન.એસ.જી.યુ. ફાઇન આર્ટ્સ વિભાગની 17મી વાર્ષિક આર્ટ ડિસ્પ્લે:પ્રદર્શન 22 થી 25 એપ્રિલ સુધી ખુલ્લું, વિદ્યાર્થીઓની કૃતિઓ રજૂ
    Next Article
    સુરતમાં AAPનો EVM મશીનમાં ગેરરીતિનો આક્ષેપ:ઉધનાની સ્કૂલના વીડિયો રેકોર્ડિંગના પુરાવા સાથે હોબાળો, ઉમેદવાર-કાર્યકરોએ 'લોકશાહીની હત્યા'ના નારા લગાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment