Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રીના બંદોબસ્તમાં જઈ રહેલા પોલીસ વાનને અકસ્માત:બોટાદ-સેથળી વચ્ચે અશ્વદળનું વાન પલટી, ઘોડાઓને ઈજા

    12 hours ago

    પોલીસ અશ્વદળનું એક વાન બોટાદથી સેથળી ગામ વચ્ચે પલટી ખાઈ ગયું હતું, જેમાં કેટલાક ઘોડાઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ વાન મુખ્યમંત્રીના બંદોબસ્ત માટે સાળંગપુર જઈ રહ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, અશ્વદળનું વાન પસાર થઈ રહ્યું હતું ત્યારે બાજુમાંથી અન્ય એક વાહન પસાર થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને કારણે રસ્તા પર વાન પલટી જતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આજે મુખ્યમંત્રી સાળંગપુર અને બોટાદના પ્રવાસે આવવાના છે, જેના બંદોબસ્ત માટે આ અશ્વદળ પોલીસ સાળંગપુર જઈ રહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ હીટવેવની આગાહી:સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો સ્પેશિયલ વોર્ડ અને 15 કૂલર મુકાયા
    Next Article
    મુળીમાં કોળી ઠાકોર સમાજનું સંમેલન:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment