Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તો લાહોરમાં જઈને જ કંપની ખોલો ને...:લેન્સકાર્ટમાં તિલક-હિજાબ મામલે ધીરેન્દ્ર શાસ્ત્રી ઉકળ્યા, મહારાષ્ટ્ર-એમપી અને છત્તીસગઢમાં પણ કંપનીનો વિરોધ

    11 hours ago

    આઇવેર કંપની લેન્સકાર્ટના ડ્રેસ કોડને લઈને વિવાદ વધી ગયો છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. છેલ્લા 4 દિવસથી હિંદુ સંગઠનો સાથે જોડાયેલા લોકો દેશભરના લેન્સકાર્ટ સ્ટોરમાં જઈને કર્મચારીઓને તિલક લગાવી રહ્યા છે અને કલાવા બાંધી રહ્યા છે. આ દરમિયાન બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કંપનીના પ્રમોટર્સને કહ્યું, ‘તૂં અપની કંપની લાહૌર મેં ખોલ લે, ભારત મેં કાહે કો મર રહા હૈ? તેરે કાક્કા કા ભારત હૈ ક્યા? હા, હમારે તો બાપ કા ભારત હૈ.’ ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર કંપનીનું એક પોલિસી ડોક્યુમેન્ટ વાયરલ થયું હતું. તેમાં કર્મચારીઓને બિંદી, તિલક અને કલાવા પહેરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી, જ્યારે હિજાબ અને પાઘડીને કેટલીક શરતો સાથે મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યોમાંથી વિરોધની તસવીરો… 1. ભોપાલમાં હિંદુ સંગઠનોએ સ્ટોરના કર્મચારીઓને તિલક લગાવ્યું ભોપાલના ન્યૂ માર્કેટ રોશનપુરા સ્થિત લેન્સકાર્ટ સ્ટોરની બહાર હિંદુ ઉત્સવ સમિતિના કાર્યકરોએ પ્રદર્શન કર્યું. કાર્યકરોએ કર્મચારીઓને તિલક લગાવ્યું. મંત્રોચ્ચાર સાથે કલાવો બાંધ્યો. આ દરમિયાન તેમણે નારા લગાવ્યા- સનાતન કા અપમાન, નહીં સહેગા હિંદુસ્તાન. હિંદુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ ચંદ્રશેખર તિવારીએ કહ્યું કે આ હિંદુસ્તાન છે, અહીં તિલક, કલાવા અને બિંદીનું સન્માન થવું જોઈએ. જો કંપનીએ આના પર રોક લગાવવાનો પ્રયાસ કર્યો, તો તેને બરદાસ્ત કરવામાં આવશે નહીં. 2. રાયપુરમાં સ્ટોરના કર્મચારીઓને કહ્યું- લોકોને જણાવો કે તમે હિન્દુ છો રાયપુરના લેન્સકાર્ટ શોરૂમમાં મંગળવારે એક ધાર્મિક સંગઠનના કેટલાક કાર્યકરો પહોંચ્યા. તેમણે કર્મચારીઓને તેમના નામ પૂછ્યા અને તેમને તિલક લગાવીને કામ કરવા કહ્યું. સાથે જ ગ્રાહકોને પોતાની ઓળખ જણાવવાની વાત પણ કહી. આ પછી એક મહિલાએ પોતાના ચશ્મા બતાવતા કહ્યું કે તે આ જ કંપનીના ચશ્મા વાપરે છે, પરંતુ હવે તેને તોડીને ફેંકી રહી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. 3. ઉત્તર પ્રદેશ: ગાઝિયાબાદમાં BJP ધારાસભ્ય બોલ્યા- લેન્સકાર્ટનો માલિક નકલી હિંદુ છે ગાઝિયાબાદના લોનીના ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર મંગળવારે સાંજે પોતાના સમર્થકો સાથે લેન્સકાર્ટના શોરૂમ પહોંચ્યા. ત્યાં તેમણે કંપનીના ડ્રેસ કોડનો વિરોધ કર્યો અને કહ્યું કે ભારતમાં રહીને બિંદી અને કલાવા પહેરવા પર રોક લગાવવી ખોટી છે. કંપનીના માલિકની તપાસ થવી જોઈએ, તેના માતા કે પિતા મુસલમાન હશે. 4. મહારાષ્ટ્ર: ભાજપ નેતાનો લેન્સકાર્ટ સ્ટોરમાં ઘૂસીને હંગામો મુંબઈના અંધેરીમાં 19 એપ્રિલે લેન્સકાર્ટ સ્ટોરમાં ભાજપના નેતા નાઝિયા ઇલાહી ખાન (નાઝિયા સનાતની)એ લેન્સકાર્ટ સ્ટોરમાં ઘૂસીને હોબાળો કર્યો. તેમણે સ્ટોરના મુસ્લિમ મેનેજર સાથે ડ્રેસ પોલિસીને લઈને દલીલ કરી, તેના પર શરિયા લાગુ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે હિંદુ કર્મચારીઓને તિલક લગાવ્યું. હવે સમજો આખો વિવાદ… એક્ટિવિસ્ટ શેફાલી વૈદ્યએ X પર એક પોસ્ટ કરી. તેમાં તેમણે લેન્સકાર્ટનો ડ્રેસ કોડને લઈને જારી કરાયેલું ડોક્યુમેન્ટ શેર કર્યું. તેમણે કંપનીના ફાઉન્ડરને પૂછ્યું- પીયૂષ બંસલ, શું તમે સ્પષ્ટ કરી શકો છો કે લેન્સકાર્ટમાં હિજાબ બરાબર છે પરંતુ બિંદી અને કલાવા કેમ નહીં? આ પછી લોકોએ લેન્સકાર્ટને ટ્રોલ કર્યું અને કંપનીની નીતિ પર સવાલો ઉઠાવ્યા. પીયૂષ બંસલ બોલ્યા - વાયરલ ડોક્યુમેન્ટ જૂનો અને ખોટો કંપનીના સ્થાપક પીયૂષ ગોયલે વિવાદ વધતો જોઈને 15 એપ્રિલે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે વાયરલ ડોક્યુમેન્ટ જૂનું છે. તેમણે કહ્યું કે આ કંપનીની વર્તમાન ગાઈડલાઈનને દર્શાવતું નથી. કંપની તમામ ધર્મોનું સન્માન કરે છે. દેશમાં અમારા હજારો ટીમ મેમ્બર્સ છે, જેઓ દરરોજ પોતાની શ્રદ્ધા અને સંસ્કૃતિને ગર્વ સાથે પહેરે છે. વાયરલ ડોક્યુમેન્ટમાં શું લખેલું છે? સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી આ 'ગ્રૂમિંગ ગાઈડ' મુજબ, મહિલા કર્મચારીઓને સ્ટોરમાં બિંદી કે ક્લચર લગાવવાની મંજૂરી નથી. સાથે જ, હાથમાં પહેરવામાં આવતા ધાર્મિક દોરા (કલાવા) કે રિસ્ટ બેન્ડને પણ હટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. વળી, આ જ ડોક્યુમેન્ટમાં લખેલું છે કે જો કોઈ કર્મચારી હિઝાબ કે પાઘડી પહેરે છે, તો તે કાળા રંગની હોવી જોઈએ. હિઝાબની લંબાઈ એવી હોવી જોઈએ કે તે કંપનીનો લોગો ન છુપાવે. જોકે, બુરખો પહેરીને સ્ટોરમાં કામ કરવાની મનાઈ કરવામાં આવી છે. લેન્સકાર્ટના ભારતમાં 2500થી વધુ સ્ટોર્સ, માર્કેટ વેલ્યુ ₹94 હજાર કરોડ લેન્સકાર્ટની શરૂઆત વર્ષ 2010માં પીયૂષ બંસલ, અમિત ચૌધરી અને સુમિત કપાહીએ કરી હતી. પીયૂષ બંસલ આ કંપનીનો મુખ્ય ચહેરો છે. તેઓ ટીવી શો 'શાર્ક ટેન્ક ઇન્ડિયા'માં રોકાણકાર તરીકે જોવા મળે છે. તેમણે લેન્સકાર્ટની શરૂઆત એક નાના સ્ટાર્ટઅપ તરીકે કરી હતી. આજે તે ભારતની સૌથી મોટી આઇવેર રિટેલર બની ગઈ છે. ભારતમાં 2500થી વધુ સ્ટોર્સ છે. માર્કેટ વેલ્યુ ₹94 હજાર કરોડ છે. લેન્સકાર્ટના બિઝનેસ મોડેલના 3 મુખ્ય મુદ્દાઓ
    Click here to Read More
    Previous Article
    One year after Pahalgam, what has changed in Army strategy
    Next Article
    ભાજપના હાઈ પ્રોફાઇલ સોસાયટીના 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા:વડોદરા પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ખેસ પહેરાવીને આવકાર્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment