Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિતરણ:કુણઘેર ગૌશાળામાં દાણ અને 200 કિલો તરબૂચનું વિતરણ

    2 days ago

    પાટણના કુણઘેર ગામે આવેલ જયશ્રી ચુડેલ માતા મંદિર વિકાસ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. મુનિરાજ નયશેખર મહારાજ સાહેબની પ્રેરણાથી પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાયો માટે 1,500 કિલો દાણ અર્પણ કરાયું હતું. આ ​સાથે જ કાળઝાળ ગરમીમાં ગૌવંશને ઠંડક મળે તે માટે 200 કિલો તરબૂચ ખવડાવવામાં આવ્યા હતા. આ સેવાનો લાભ મુંબઈના માતા રંજનબેન ધનજી દેઢિયા પરિવારે લીધો હતો.આ પ્રસંગે મુનિરાજે જણાવ્યું હતું કે જીવદયા જ જૈન ધર્મનો આત્મા છે અને દરેક જીવ પ્રત્યે કરુણા રાખવી એ જ સાચી સાધના છે. આ સેવાકાર્યમાં થરાના સંજયભાઈ શાહ,મંદિરના પ્રમુખ બચુભાઈ નાયક સહિત અન્ય કાર્યકરોએ વિશેષ સહકાર આપ્યો હતો.ગૌશાળાના સ્ટાફે પણ વ્યવસ્થા જાળવી હતી.
    Click here to Read More
    Previous Article
    હની ટ્રેપ:પાલનપુરની ટોળકીએ ડીસાના વેપારીને હનીટ્રેપમાં‎ફસાવીને 50 લાખ માંગ્યા, કોન્સ્ટેબલની સંડોવણી‎
    Next Article
    BCCI’s anti-corruption unit flags presence of unauthorised persons in IPL dugout

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment